૦૨/૨૮/૨૦૧૨ ૩૪ (યોગ, ક્રિયા, અને ફળ એ ઉત્તમ ત્રિપુટી છે)
- ગાથાર્થ: શાસ્ત્રોમાં યોગ, ક્રિયા, અને ફળ નામનાં જે અવંચક ત્રય (ત્રિપુટી) સંભળાય છે તે સાધુ પુરુષોને આશ્રયી (સત્પુરુષોને આશ્રયી) ઇષુ (બાણ) દ્વારા લક્ષ્યને વિંધવાની ક્રિયાની ઉપમા સમાન પરમ ઉત્તમ ત્રિપુટી છે.
- અવ્યક્તસમાધિ: યોગાવંચક, ક્રિયાવંચક, અને ફલાવંચક. મોહનીય-જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મનો હીનાધિકપણે ક્ષયોપશમ વિશેષ થવાથી પ્રગટ થયેલો તેવા પ્રકારનો ચિત્તનો પરિણામ વિશેષ.
- વ્યક્તસમાધિ: કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થતો હોય ત્યારે આવેલી દશા (ક્ષપકશ્રેણીમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં). તેના કાર્ય સ્વરૂપ વીતરાગ દશા તેરમા-ચૌદમા ગુણસ્થાનકે પ્રગટ થાય છે.
- અવંચક: જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે, આત્માનું અહિત ન કરે, આત્માને અહિતભણી ન લઈ જાય, અમોઘ અવન્ધ્ય, અચૂક ફળ લાવ્યા વિના ન જ રહે, એવો જે યોગ, એવી જે ક્રિયા, અને એવું જે ફ્ળ તે અવંચકયોગાદિ ત્રિપુટી
- યોગ: સદગુરૂ આદિ શુભ નિમિત્તોનો મિલાપ, સમાગમ, પ્રાપ્તિ, સંયોગ
- ક્રિયા: ગુરૂ આદિને કરાતી નમસ્કાર અને પ્રણામાદિ ક્રિયા
- ફળ: તજ્જ્ન્ય કર્મનિર્જરા રૂપ ભાવમલક્ષય એ ફળ જાણવું
- કારણ-૧: મિથ્યાત્વ આદિ દોષો મંદ પડવાથી, ભવસ્થિતિનો પરિપાક થવાથી, કાળ-સ્વભાવ-નિયતિ આદિ પાંચ સમવાયિકારણો મળવાથી
- કાર્ય-૧: જીવ ચરમાવર્તમાં આવે છે
- કારણ-૨: જીવ ચરમાવર્તમાં આવે + બહુ કાલ ગયે છતે જીવનો ભાવમલ કંઈક વધારે પ્રમાણમાં ક્ષય
- કાર્ય-૨: દેવ-ગુરુ પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર-પ્રણામ-દુઃખી જીવો ઉપર દયા, ભવ-ઉદવેગ, દ્રવ્યથી વ્રતોનું પાલન, પુસ્તકો પ્રત્યે બહુમાનભાવ, ગુણી પુરુષો ઉપર અદ્વેષ આદિ પ્રાથમિક ગુણો પ્રગટ થાય છે.
- કારણ-૩: બીજની પ્રાપ્તિ
- કાર્ય-૩: યોગદશાની પ્રાપ્તિ અને યોગ-ક્રિયા અને ફળનો અવંચકભાવ પ્રાપ્ત થાય છે.