Tuesday, February 28, 2012

02/28/2012 (Tuesday) Gatha 34 page 155 and 156

૦૨/૨૮/૨૦૧૨ ૩૪ (યોગ, ક્રિયા, અને ફળ એ ઉત્તમ ત્રિપુટી છે)

  • ગાથાર્થ: શાસ્ત્રોમાં યોગ, ક્રિયા, અને ફળ નામનાં જે અવંચક ત્રય (ત્રિપુટી) સંભળાય છે તે સાધુ પુરુષોને આશ્રયી (સત્પુરુષોને આશ્રયી) ઇષુ (બાણ) દ્વારા લક્ષ્યને વિંધવાની ક્રિયાની ઉપમા સમાન પરમ ઉત્તમ ત્રિપુટી છે.
  • અવ્યક્તસમાધિ: યોગાવંચક, ક્રિયાવંચક, અને ફલાવંચક. મોહનીય-જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મનો હીનાધિકપણે ક્ષયોપશમ વિશેષ થવાથી પ્રગટ થયેલો તેવા પ્રકારનો ચિત્તનો પરિણામ વિશેષ.
  • વ્યક્તસમાધિ: કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થતો હોય ત્યારે આવેલી દશા (ક્ષપકશ્રેણીમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં). તેના કાર્ય સ્વરૂપ વીતરાગ દશા તેરમા-ચૌદમા ગુણસ્થાનકે પ્રગટ થાય છે.
  • અવંચક: જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે, આત્માનું અહિત ન કરે, આત્માને અહિતભણી ન લઈ જાય, અમોઘ અવન્ધ્ય, અચૂક ફળ લાવ્યા વિના ન જ રહે, એવો જે યોગ, એવી જે ક્રિયા, અને એવું જે ફ્ળ તે અવંચકયોગાદિ ત્રિપુટી
  • યોગ: સદગુરૂ આદિ શુભ નિમિત્તોનો મિલાપ, સમાગમ, પ્રાપ્તિ, સંયોગ
  • ક્રિયા: ગુરૂ આદિને કરાતી નમસ્કાર અને પ્રણામાદિ ક્રિયા
  • ફળ: તજ્જ્ન્ય કર્મનિર્જરા રૂપ ભાવમલક્ષય એ ફળ જાણવું
  • કારણ-૧: મિથ્યાત્વ આદિ દોષો મંદ પડવાથી, ભવસ્થિતિનો પરિપાક થવાથી, કાળ-સ્વભાવ-નિયતિ આદિ પાંચ સમવાયિકારણો મળવાથી
  • કાર્ય-૧: જીવ ચરમાવર્તમાં આવે છે
  • કારણ-૨: જીવ ચરમાવર્તમાં આવે + બહુ કાલ ગયે છતે જીવનો ભાવમલ કંઈક વધારે પ્રમાણમાં ક્ષય
  • કાર્ય-૨: દેવ-ગુરુ પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર-પ્રણામ-દુઃખી જીવો ઉપર દયા, ભવ-ઉદવેગ, દ્રવ્યથી વ્રતોનું પાલન, પુસ્તકો પ્રત્યે બહુમાનભાવ, ગુણી પુરુષો ઉપર અદ્વેષ આદિ પ્રાથમિક ગુણો પ્રગટ થાય છે.
  • કારણ-૩: બીજની પ્રાપ્તિ
  • કાર્ય-૩: યોગદશાની પ્રાપ્તિ અને યોગ-ક્રિયા અને ફળનો અવંચકભાવ પ્રાપ્ત થાય છે.

Wednesday, February 8, 2012

02/08/2012 (Wednesday) gatha 33 page 149-150

૦૨/૦૮/૨૦૧૨ ગાથા ૩૩ – યોગબીજના કારણનું કારણ

લઘુકર્મી: જે આત્મા દુઃખી પ્રત્યે દયા આદિ ગુણોવાળો થાય છે, તે કંઈક ઉત્તમ-લઘુકર્મી બન્યો છે.

ભાવપુણ્ય: લઘુકર્મિતા એ જ આત્માની પવિત્રતા કરનાર હોવાથી ભાવપુણ્ય કહેવાય છે. મોહનીયકર્મના ક્ષયોપશમને ભાવપુણ્ય કહેવાય છે. આ ભાવપુણ્ય એ કંઇ કર્મ નથી પરંતુ કર્મોની હીનતારૂપ છે. જેમ લોહચુંબક લોઢાને ખેંચે તેમ આ ભાવપુણ્ય જ શુભ નિમિત્તોને ખેંચી લાવે છે.

બાહ્ય શુભનિમિત્તો: માનવભવ, જૈનશાસનની પ્રાપ્તિ, સદગુરૂનો યોગ, તેમની વાણી રૂપી અમ્રુતનું પાન, ધર્મક્રિયામાં ઓતપ્રોતતા, સતત જ્ઞાન-ક્રિયાનું સેવન, આ બાહ્ય શુભનિમિત્તો છે.

અભ્યન્તર શુભનિમિત્તો: તેના દ્વારા મન-વચન-કાયાનું જોડાવું અથવા સદગુરૂનો મીલાપ થવો તે શુભયોગ, શાસ્ત્રજ્ઞાન અનુસારે ઘર્મકાર્યોમાં પ્રવ્રુતિ કરવી તે શુભક્રિયા અને તેનાથી જન્ય કર્મોની નિર્જરા થવી તે શુભફળ આ ત્રણે અભ્યન્તર શુભનિમિત્તો છે.

શુભનિમિતો: ઉત્તમજીવને જ પોતાની પાત્રતાના કારણે જ બાહ્ય અને અભ્યન્તર શુભનિમિત્તોની પ્રપ્તિ થાય છે. શુભનિમિતો જ મુક્તિની સાધનામાં અવન્ધય કારણ બને છે. મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જીવને ઉત્તમ બનાવે છે અને તેની ઉત્તમતાથી ખેંચાઈને શુભનિમિત્તોનો જીવની સાથે સંયોગ કરાવે છે. આ શુભનિમિત્તો ઉપાદાનની (આત્માની) કલ્યાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે, અને તે શુદ્ધિ મુક્તિદાયક બને છે.