૦૨/૦૮/૨૦૧૨ ગાથા ૩૩ – યોગબીજના કારણનું કારણ
લઘુકર્મી: જે આત્મા દુઃખી પ્રત્યે દયા આદિ ગુણોવાળો થાય છે, તે કંઈક ઉત્તમ-લઘુકર્મી બન્યો છે.
ભાવપુણ્ય: લઘુકર્મિતા એ જ આત્માની પવિત્રતા કરનાર હોવાથી ભાવપુણ્ય કહેવાય છે. મોહનીયકર્મના ક્ષયોપશમને ભાવપુણ્ય કહેવાય છે. આ ભાવપુણ્ય એ કંઇ કર્મ નથી પરંતુ કર્મોની હીનતારૂપ છે. જેમ લોહચુંબક લોઢાને ખેંચે તેમ આ ભાવપુણ્ય જ શુભ નિમિત્તોને ખેંચી લાવે છે.
બાહ્ય શુભનિમિત્તો: માનવભવ, જૈનશાસનની પ્રાપ્તિ, સદગુરૂનો યોગ, તેમની વાણી રૂપી અમ્રુતનું પાન, ધર્મક્રિયામાં ઓતપ્રોતતા, સતત જ્ઞાન-ક્રિયાનું સેવન, આ બાહ્ય શુભનિમિત્તો છે.
અભ્યન્તર શુભનિમિત્તો: તેના દ્વારા મન-વચન-કાયાનું જોડાવું અથવા સદગુરૂનો મીલાપ થવો તે શુભયોગ, શાસ્ત્રજ્ઞાન અનુસારે ઘર્મકાર્યોમાં પ્રવ્રુતિ કરવી તે શુભક્રિયા અને તેનાથી જન્ય કર્મોની નિર્જરા થવી તે શુભફળ આ ત્રણે અભ્યન્તર શુભનિમિત્તો છે.
શુભનિમિતો: ઉત્તમજીવને જ પોતાની પાત્રતાના કારણે જ બાહ્ય અને અભ્યન્તર શુભનિમિત્તોની પ્રપ્તિ થાય છે. શુભનિમિતો જ મુક્તિની સાધનામાં અવન્ધય કારણ બને છે. મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જીવને ઉત્તમ બનાવે છે અને તેની ઉત્તમતાથી ખેંચાઈને શુભનિમિત્તોનો જીવની સાથે સંયોગ કરાવે છે. આ શુભનિમિત્તો ઉપાદાનની (આત્માની) કલ્યાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે, અને તે શુદ્ધિ મુક્તિદાયક બને છે.
No comments:
Post a Comment