Thursday, August 23, 2012
. Gatha 41 page 175 2nd para thru page 176 2nd para
જેમ મિત્રાદ્રષ્ટિમાં યમ નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે તેમ તારાદ્રષ્ટિમાં નિયમ નામનું યોગનું બીજુ અંગ પ્રાપ્ત થાય છે. યમ એટલે યાવજ્જીવ સુધીનું વ્રત જે મુની માટે અહિંસા આદિ મૂળગુણ રૂપ પાંચ મહાવ્રત અને શ્રાવકને દેશથી તથા તેના ચાર ભેદ- ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ થઇ કુલ ૨૦ પ્રકારે છે. જેમ જેમ યોગમાર્ગનો રંગ લાગે છે, અધ્યાત્મદ્રષ્ટિનો વિકાસ થાય છે, યમપાલનનો રાગ વધે છે તેમ તેમ તારાદ્રષ્ટિમાં આ યમ તો વધારે મજબૂત થાયજ છે પણ તેની પૃષ્ટિ, વૃદ્ધિ અને રક્ષા માટે યથાશક્તિ અને યથાયોગ્યાકાળે નાના-મોટા નિયમ લે છે. મનને નિયમન કરે (કંટ્રોલ) તેને નિયમ કહેવાય જે પરિમિત કાળ માટે હોય. જૈનદર્શનમાં સાધુમુની માટે પિંડવિશુદ્ધિ અને શ્રાવકમાટે દિગપરીમાણ આદિ ઉત્તરગુણ રૂપ નિયમ હોય છે. પાતંજલ યોગદર્શનમાં પાંચ નિયમો કહ્યા છે ૧) શૌચ ૨) સંતોષ ૩) તપ ૪) સ્વાધ્યાય ૫) ઈશ્વરપ્રણિધાન અને તેના ઈચ્છાદિ ચાર ભેદ એમ કુળ ૨૦ નિયમ છે.
શૌચ - બે પ્રકારે- દ્રવ્ય અને ભાવ શૌચ.
૧) દ્રવ્ય શૌચ -જેમ કાયા, વસ્ત્ર, ઘર, ને પાત્રને જળ, સાબુ આદિ થી સાફ કરીએ તે દ્રવ્ય શૌચ. તે પરિમિત કાળમાટેજ શુદ્ધ રહે કારણ કે તે ફરીથી મલીન થવાનાજ, એ તેનો સ્વભાવ જ છે. ગમે એટલીવાર કાયાને સાફ કરીએ તોય મળ, મૂત્ર, લોહી આદિ અશુચિના પુદગલો અંદર ભરેલા હોવાથી ક્યારેય મૂળથી સ્વચ્છ થાશે નહિ જેમ કે ઉકરડો કદાપી સાફ થાય નહિ, તે શુદ્ધતા માટે અયોગ્ય છે. એટલેજ જૈન સાધુઓને દ્રવ્યશૌચ ઇષ્ટ નથી. તેમાં અપકાયની હિંસા છે તેથી શરીર શોભામાટે સ્નાન કરતા નથી. વસ્ત્ર ધોવણ પણ અલ્પમાત્રાએ પ્રયોજન પુરતુ જ કરે, તે પણ અચીત્ત જળથી, જેથી પરસેવાથી જીવોની ઉત્પત્તિ ન થાય.
૨) ભાવ શૌચ - એટલે આત્માને શુદ્ધ કરવો તે ભાવ શૌચ - આત્મા પોતાના જ્ઞાનગુણ આદિ સ્વભાવદશા ની શુદ્ધતા છોડીને જ્યારે પરદ્રવ્યો પર મોહિત થઇ પુદગલાનંદી થાય તો તે અશુદ્ધ, અપવિત્ર અને અશૌચ થાય, પુદગલની પ્રાપ્તિ અને ભોગવવામાં પણ હિંસા થાય. તેથી આત્માને પરદ્રવ્યોની પરિણતિથી દુર રાખવો, કરવો, છોડાવવો તે ભાવ શૌચ છે.
જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ !
Saturday, August 18, 2012
૭/૧૮/૧૨ બુધવાર. ગાથા ૪૨ તારા દૃષ્ટિના બીજા ગુણો
તારા દ્રષ્ટિમાં બીજા જે ગુણો નો સમૂહ પ્રગટ થાય છે તે હવે જોઈએ.
ગાથાર્થ: આ દ્રષ્ટિમાં
૧) યોગકથાઓ પ્રત્યે અસ્ખલિત ( અચલ, બિનહરકતી) પ્રીતિ થાય છે
આ પ્રીતિ ભાવ પૂર્વકની પરમ પ્રીતિ હોય છે.
૨)શુદ્ધ યોગવાળા યોગીઓ ઉપર બહુમાન (આદર, સન્માન) પ્રગટે જ છે.
શુદ્ધ યોગવાળા યોગીઓ એટલે એવા ઉચીં કક્ષાના આત્મા કે જેનામાં યોગદશાનો વિકાસ થયો છે એવા નિર્મળ યોગીઓ
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.
Thursday, August 16, 2012
૬/૨૭/૧૨ બુધવાર ગાથા ૪૧ તારા દૃષ્ટિ
તારા દ્રષ્ટિના મુખ્ય ચાર લક્ષણ છે.
૧) મિત્રા દૃષ્ટિ કરતા થોડો વધારે સ્પષ્ટ બોધ (દર્શન).
આ બોધ છાણા(ગોમય)ના અગ્નિ કણ સમાન હોય છે એટલે કે બહુ જ ઓછી શક્તિ વાળો અને ટૂંકો સમય ટકનાર હોય છે. આ દ્રષ્ટિકાળે જ્ઞાન બહુ જ તેજ વગરનું અને દુર્બળ હોય છે. વિષય કષાયો નું જોર હજી ચાલુ જ હોય છે. પરંતું મુક્તિ પ્રત્યે થોડો અદ્વેષ
આવ્યો છે એટલે તત્વજ્ઞાન ધર્મ ક્રિયા વગેરે કરે છે. પરંતું હજી વિષય કષાયો છોડવાની બુદ્ધિ જાગૃત થઇ નથી અને રાગાદિ એ આદરવા યોગ્ય છે તે બુદ્ધિ નાશ થઇ નથી તેથી ધર્મ ક્રિયા સમયે પણ તારા દ્રષ્ટિનો બોધ બહુ કામ કરાતો નથી. આ બોધના સંસ્કાર હજી ગાઢ થયાનાથી અને એટલે તારા દૃષ્ટિ ન કાળે થતી ધર્મક્રિયા ભાવ ક્રિયા નથી હોતી પરંતું દ્રવ્ય ક્રિયા જ હોય છે. પરંતું બધી જ ક્રિયા વિધિસર કરે છે.
હવે બીજા ત્રણ લક્ષણ જેની વધારે વિગત આ પછીના બ્લોગ માં આવશે.
૨) બોધ પ્રમાણે ના યથા યોગ્ય નિયમ
૩) (આત્માને) હિતકારી કાર્યોમાં અનુદવેગ
૪) તત્વ જાણવાના વિષયવાળી જીજ્ઞાસા
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.
Subscribe to:
Comments (Atom)