Saturday, August 18, 2012

૭/૧૮/૧૨ બુધવાર. ગાથા ૪૨ તારા દૃષ્ટિના બીજા ગુણો

તારા દ્રષ્ટિમાં બીજા જે ગુણો નો સમૂહ પ્રગટ થાય છે તે હવે જોઈએ.
ગાથાર્થ: આ દ્રષ્ટિમાં
૧) યોગકથાઓ પ્રત્યે અસ્ખલિત ( અચલ, બિનહરકતી) પ્રીતિ થાય છે
આ પ્રીતિ ભાવ પૂર્વકની પરમ પ્રીતિ હોય છે.
૨)શુદ્ધ યોગવાળા યોગીઓ ઉપર બહુમાન (આદર, સન્માન) પ્રગટે છે.
શુદ્ધ યોગવાળા યોગીઓ એટલે એવા ઉચીં કક્ષાના આત્મા કે જેનામાં યોગદશાનો વિકાસ થયો છે એવા નિર્મળ યોગીઓ


જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.

No comments:

Post a Comment