Showing posts with label ૧૨/૧૪/૧૧ બુધવાર ગાથા ૨૮. Show all posts
Showing posts with label ૧૨/૧૪/૧૧ બુધવાર ગાથા ૨૮. Show all posts

Thursday, April 19, 2012

૧૨/૧૪/૧૧બુધવાર પાનું ૧૩૯ #૭ થી પાનું ૧૪૦ ગાથા ૨૮ ન અંત સુધી.

ધર્મશાસ્ત્રો લેખનાદીમાં ૧૦ શબ્દોનો સમાવેષ (ચાલુ)
(૭)પ્રકાશના: આપણે ગ્રહણ કરેલા શાસ્ત્ર જ્ઞાનનું યોગ્ય અને ભવ્ય જીવોમાં પ્રસારણ કરાવવું ,ભણાવવું, પુસ્તકો પ્રકાશિત કરવા, અન્ય જીવોને તત્વ સમજાવવું અને અભિમાન વગર બીજા જીવોના ભલા માટે આ જ્ઞાન આપવું.
(૮)સ્વાધ્યાય : સ્વાધ્યાય દ્વારા શાસ્ત્ર જ્ઞાન ને વિનય સહીત ભણવું અને બીજાને આપવું.
સ્વાધ્યાય પાચ પ્રકારે છે: (૧) વાચના: કર્મોની નિર્જરા અને જ્ઞાન મેળવવા ગીતાર્થ ગુરુ પાસે વિનય થી ભણવું (૨)પૃચ્છના : પોતાની શંકા ટાળવા માટે અને પોતાના જ્ઞાનને નિસંદેહ કરવા માટે વિનયપૂર્વક ગુરુને પૂછવું. (૩)પરાવર્તના : શીખાયેલા સુત્રોને યાદ રાખવા માટે અને કર્મોની નિર્જરા માટે સુત્રોનું વારંવાર રટણ કરવું (૪) અનુપ્રેક્ષા :સુષ્મબુદ્ધિપૂર્વક શીખાયેલા વિષયોનું ઊંડું તત્વ ચિંતન કરવું. (૫)ધર્મકથા: આપણ ને જે વિષય યથાર્થ સમજાયો હોય તેનું બીજાના આત્મ કલ્યાણ માટે અને મદદ કરવાની બુદ્ધિથી દાન કરવું
આ રીતે પંચવિધ સ્વાધ્યાય કરવો.
(૯)ચિંતના: સુષ્મ તત્વ ચિતન કરવું.નવા નવા શાસ્ત્રો વડે મળેલું જ્ઞાન પહેલા પ્રાપ્ત કરેલા ગ્રંથોના અર્થની સાથે અવિરુદ્ધ પણે સમજવું અને પૂર્વાપર અવિરુદ્ધ અર્થ લગાવવા.
(૧૦)ભાવના: જે સુત્રો અને જ્ઞાન પ્રાપ્ત થયા છે તેનું વારંવાર રટણ કરવું,બોલી જવું અને દઢીભૂત કરવું( ન ભુલાય તેવી રીતે યાદ રાખવું). આ ભવમાં મેળવેલા જ્ઞાન ના સંસ્કાર ભવાન્તરે નાની ઉંમરથી જ મળવા લાગે છે
આ રીતે જે આત્માને સમજે છે કે મુક્તિની પ્રાપ્તિ શાસ્ત્ર જ્ઞાનથી જ થાય છે તે શાસ્ત્ર નું બહુમાન,પગે લાગવું, લખવું, લખાવવું, દાન કરવું,ભણવું અને ભણાવવું. ઊંડો અભ્યાસ કરવો વગેરે પ્રવૃત્તિ માં જ પ્સ્યો રહે છે . આ પણ છઠું યોગબીજ છે આ રીતે નીચે પ્રમાણે છ યોગબીજ છે:
(1.) જીનેશ્વર પ્રત્યે સંશુધ્ધ એવું કુશળ ચિત્ત.
(૨) આચાર્ય વગેરે મહાત્મા પ્રત્યે સંશુધ્ધ એવું કુશળ ચિત્ત
(૩)શુદ્ધ આશય સાથે વિધિપૂર્વક વૈયાવચ્ચ.
(૪) સહજ એવો ભવ ઉદવેગ
(૫) દ્રવ્ય અભિગ્રહ નું પાલન
(૬)સિધ્ધાંત ની લેખન વગેરે ક્રિયા
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ