Showing posts with label ૪/૫/૧૧ પાનું ૩૬ ગાથા ૯ થી પાનું ૩૯ બીજો ફકરો. Show all posts
Showing posts with label ૪/૫/૧૧ પાનું ૩૬ ગાથા ૯ થી પાનું ૩૯ બીજો ફકરો. Show all posts

Monday, March 26, 2012

પ્રાતિભ જ્ઞાન વિષે સમજણ અને સામર્થ્ય યોગ ના ભાગો

પ્રાતિભ જ્ઞાન એ શ્રુત જ્ઞાન ના અંતે અને કેવળ જ્ઞાન ની પહેલા થતું સીમાડા રૂપી જ્ઞાન છે એટલે એ શ્રુતજ્ઞાન (તત્વથી વિચારતા) જ છે પરંતું આ જ્ઞાન મોહનીયના વિશિષ્ટ ક્ષયોપક્ષમ યુક્ત એવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમવાળું હોવાથી અતિ વિશિષ્ટ શ્રુત છે. આ જ્ઞાન ૮ થી ૧૨ ગુણસ્થાનકવાળા જીવને જ થાય છે અને તે પણ ક્ષપક શ્રેણી માં જ થાય છે.
બીજા દર્શનકારો પણ "તારક" અને "નિરીક્ષણ" વગેરે શબ્દોથી આ અપૂર્વ જ્ઞાનને સ્વીકારે છે. પૂ. યશોવિજયજી મ.શ્રીએ કહ્યું છે કે જેમ રાત્રી અને દિવસ ની સંધ્યા જુદી હોય છે તેમ આ પ્રાતીભ જ્ઞાન શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાનથી ભિન્ન છે.
ગાથા ૯ માં સામર્થ્ય યોગ ના બે ભેદો બતાવે છે,
૧. ધર્મસન્યાસ ૨. યોગ સંન્યાસ
અહીં ક્ષયોપશામિક ભાવોના ભેદો એ ધર્મ અને મન વચન અને કાયા ની ક્રિયા(પ્રવૃત્તિ) એ યોગ એમ સમજવું .
ધર્મ એટલે જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતીકર્મોના ક્ષયોપક્ષમથી થતા ચાર જ્ઞાન (કેવળ જ્ઞાન નહિ લેવાનું) ત્રણ દર્શન (કેવળ દર્શન નહિ લેવાનું).મોહનીય કર્મના ક્ષયોપક્ષમિક ભાવવાળા ગુણો (ક્ષમા,નમ્રતા,સરળતા,સંતોષ વગેરે ) તથા ક્ષયોપક્ષમિક ભાવની દાન વગેરે પાંચ લબ્ધિ વગેરે તત્ત્વાર્થ સુત્ર માં જણાવેલા ૧૮ ધર્મો.
સંન્યાસ એટલે ત્યાગ કરવો
(યોગ ઉપર સમજાવેલ જ છે )
ક્ષયોપક્ષમ એટલે ઉદયમાં આવેલ કર્મ ના રસ ને તીવ્રમાંથી મંદ કરી બોગાવીને ક્ષય કરવો અને તેજ સમયે ના ઉદયમાં આવેલ કર્મને ઉદીરણા વગેરે બળ વડે ઉદયમાં ન આવી શકે એવી સ્થિતિમાં મુકવા તે ઉપશમ.
એમ ક્ષય અને ઉપશમ બંને જ્યાં સાથે છે તે ક્ષયોપક્ષમ.
ઔદયિકભાવ એટલે ચાર ઘાતિ કર્મો જેવા પ્રકારના તીવ્ર રસે બાંધ્યા હોય તેવા તીવ્ર રસે ઉદયમાં આવે અને તેવાજ તીવ્ર રસે ભોગવાય.
ઔદયિકભાવ આત્માના સ્વરૂપને રોકનારા દુર્ગુણો છે. આત્માની વિભાવ દશા છે. આ ભાવો ત્યજવા લાયક છે. તેથી તેને દુર કરવા શુભ આલંબન દ્વારા ઉદયમાં આવવાળાકર્મોમાં જે તીવ્ર રસ છે તેને હણીને મંદ કરવામાં આવે કે જેથી તે કર્મો ઉદયમાં આવે ત્યારે પણ આત્માના ગુણોને હણવાની શક્તિવાળા રહેતા નથી માત્ર
પ્રગટ થયેલા આત્માના ગુણોમાં દોષો-કલંકો અને અતિચારો લાવવાની શક્તિવાળા જ હોય છે. અને આને ક્ષયોપશમ ભાવ કહેવાય છે.

મંદ બુદ્ધિ ના કારણે જીન આજ્ઞા થી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ