Showing posts with label 03/15/2011. Show all posts
Showing posts with label 03/15/2011. Show all posts

Tuesday, March 15, 2011

03/15/2011 (Tuesday) Gatha 2 and 3

માર્ચ ૧૫, ૨૦૧૧ - મંગરવાર , ગાથા ૨, ૩. પાના # ૧૯,૨૦,૨૧,૨૨,૨૩.

યોગીઓના ચાર ભેદ છે.
૧. ગોત્રયોગી - નામ માત્રથી યોગી, યોગી કુર માં જન્મ પરંતુ અંશમાત્ર પણ યોગની અપેક્ષા નથી.
૨. કુરયોગી - યોગી કુરમાં જન્મ અને યોગ પ્રાપ્તિના પ્રવેશને યોગ્ય ગુણો અદ્વેષ,ગુરુપ્રિય, દેવપ્રિય, દ્વીજ્પ્રીય,દયાવાન,વિનીત,જ્ઞાનવાન અને ઇન્દ્રીયદમન.
૩. પ્રવૃતચક્રયોગી - યોગદશા સાધવાના ચક્રોમાં પ્રવૃતિશીલ, ઇચ્છાયોગ તથા પ્રવૃતીયોગ સાધ્યો છે ,
૪. નીષપન્નયોગી - યોગદશા સાધી ચુક્યા છે અને સાધવાનું પ્રયોજન સમાપ્ત થયેલ છે.

આ ચાર પ્રકારના યોગીઓમાંથી કુલયોગી અને પ્રવૃતચક્ર યોગી માટે આ ગ્રંથ ઉપકાર થનાર છે માટે તેઓ આ ભણવાના અર્થી છે. આ ગ્રંથ ભણવાથી તેઓ યોગદશાનું હાર્દ સમજી નિષ્પન્ન યોગી બની શકે.

યોગને આઠ દ્રશ્તીઓથી સમજાવવામાં આવશે અને આ દ્રશ્તીઓ ઈચ્છા યોગાદીથી સંબંધ વારી છે માટે ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સમાંર્થ્યોગ પહેલા સમજાવે છે.

૧. ઇચ્છાયોગ - ધર્મ કરવાની પૂર્ણ ઈચ્છા, શાસ્ત્રોના અર્થના જ્ઞાની પણ પ્રમાદ વશથી અપૂર્ણ ધર્મયોગ .
ધર્મની ક્રિયા વિના માત્ર ધર્મની ઈચ્છા તે ઈચ્છા યોગ નથી તથા ઈચ્છા વિના પરની પરધીન્તાથી કે દમ્ભાદીથી કરાયેલો ધર્મ પણ ઈચ્છા યોગ નથી.

ચાર વિશેષણો વારા આત્માનો કઈક દોશવારો એવો ધર્મયોગ = ધર્મક્રિયા તેને ઇચ્છાયોગ કહેવાય .

૧ કર્તુંમીચ્છો - નીષક્પતપણે અંતરંગ સાચી ઇચ્છાથી કરેલા ધર્મવ્યપારને ઇચ્છાયોગ કહેવાય . આ ધર્મ પ્રવેશનું પ્રથમ સોપાન.

૨. શ્રુતાર્થસ્ય - ધર્મયોગને સમજાવનારા આગમો જેણે ગુરુગમથી સાંભર્યા છે તેવા શ્રુત્જ્ઞાની
આત્માનો ધર્મયોગ .

૩. જ્ઞાનીનોદપી - આગમ શાસ્ત્રનું વિશાલ જ્ઞાન ન હોય પરંતુ આત્માર્થ સાધવાનું જ્ઞાન છે. એટલે આત્માને શુદ્ધ કરવા માટે શું કરવું તે કર્તવ્યપના વડે જાણે .

૪. પ્રમાંદત: - સામ્યગજ્ઞાની ધર્મ કરવાની ઇચ્છ્વાવારો હોય પણ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન તથા નવ નોકષાયના ઉદયને વશ પૂર્ણ ધર્મયોગ સાધી શકતો નથી. અહી પ્રમાદ વિકથાનો છે જેને લીધે આત્મા આત્મસ્વરૂપમાથી ભ્રષ્ટ થાય, પતન પામે એવી રાજ્યકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથાના ભાવો કરે. ધર્મની ઇચ્છ્હવારો પણ પાંચચારના ૩૯ આચારો સાચવવામાં પ્રમાદને કારણે અપૂર્ણ હોય છે. આવો ધર્મયોગ તે ઈચ્છાયોગ.



* ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાયું હોય તો તે મારી અજ્ઞાનતાને કારણે છે. તેને માટે મીચ્છ્હમી દુકકડમ.
* જોડણી લખવામાં ભૂલો છે તે સુધારી ને વાંચશો.

ગીતા