Showing posts with label 09/28/2011. Show all posts
Showing posts with label 09/28/2011. Show all posts

Wednesday, September 28, 2011

09/28/2011 (Wednesday) મિત્રા દ્રષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ - પાના નં ૧૦૬ - ૧૦૭

૧) આ દ્રષ્ટિમાં આવેલો જીવ દેવ , ગુરુ , ધર્મના કાર્યમાં એવો રંગાય છે કે થાક નથી લગાડતો,ખેદ નથી પામતો.
૨) સેવા,ભક્તિ, વૈયાવચ્ચ આદિ કાર્યો આનંદથી કરીને એવો ખુશ થાય કે અલ્પ પણ થાક નથી લગાડતો,ખેદ નથી પામતો.
૩)આવા કાર્યમાં તે અદમ્ય ઉત્સાહ,અપૂર્વ વિર્યોલ્લાસ અને હૈયાના અત્યંત ઉછરંગ થી રચ્યો પચ્યો રહે છે,થાકતો નથી।
૪)પ્રવૃત્તીરેવ - શરીર અસ્વસ્થ હોવા છતા વિશેષ પ્રીતિ હોવાથી આવી પ્રવૃત્તિ કર્યા જ કરે છે.થાક નથી લગાડતો,ખેદ નથી પામતો.
૫) દેવ, ગુરુ,ધર્મના કાર્ય ન કરનારા જીવો ઉપર અલ્પ પણ દ્વેષ નથી કરતો।

જીનાગમ વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.