Showing posts with label 3/8/2011 page 16 first para through page 17 first para. Show all posts
Showing posts with label 3/8/2011 page 16 first para through page 17 first para. Show all posts

Friday, March 23, 2012

ગાથા ૧ વીર શબ્દનો અર્થ અને ઇષ્ટદેવતા મહાવીર

અહીં તીર્થંકરના નામમાં જે વીર શબ્દ છે તેના અર્થો નીચે પ્રમાણે છે.
૧. બહુંજ ઊંચું અત્મ્વીર્ય
૨.તપ વડે કર્મનો નાશ કરનાર
૩. કષાય વગેરે ભાવ શત્રુનો વિજય કરનાર
૪. કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીને મેળવનાર
પ્રભુમાં સાચા ગુણો છે અને અન્ય દેવોમાં ન સંભવી શકે એવા અસાધારણ ગુણો પ્રભુમાં છે તેથી તેવા ગુણો ગાવા એજ પરમાત્માનું ભાવ સ્તાવનું સ્વરૂપ છે. એટલે જ અહીં જીનોત્તમ, આયોગ અને યોગીગ્મ્ય વગેરે વિશેષણોવડે અને વીર શબ્દના જુદાજુદા અર્થ કરવારૂપ મહાવીર પ્રભુના અસાધારણગુણોની પ્રસંસા દ્વારા ઇષ્ટદેવતાની સ્તુતિ કરવારૂપ મંગળાચરણ કર્યું છે.
પ્રભુમાં ઇષ્ટત્વ અને દેવત્વ માનવાના કારણો:
મહાવીર પર્ભુમાં અન્ય દેવો કરતા અતિશય ગુણો હોવાથી તેમના પ્રત્યે ઇષ્ટત્વ ગ્રંથકારને યોગ્ય લાગ્યું છે
સંસારમાં વધારે સુખ અને આનંદના ક્ષેત્રમાં જે જીવો છે તેમાં દેવપણું મનાય છે તેમ પ્રભુ પરમગતિ (મુક્તીગતિ)ને
પામ્યા હોવાથી તેમાં દેવત્વપણું માનેલ છે.