૧૦/૧૮/૨૦૧૧ ગાથા ૨૩— યોગનાં બીજ
- બીજું યોગબીજ (નમસ્કાર): હ્રદયના ભરપૂર પૂજ્યભાવ-ભક્તિભાવ અને મનના અદમ્ય ઉત્સાહથી થતી સ્તુતિ-પ્રાર્થના અને ગુણગાન કરવા રુપ અભૂતપૂર્વ વચનોચ્ચાર કરવા પૂર્વક કરાતું શીર્ષનમન, તે નમસ્કાર. જેના પ્રત્યે દ્વેષ ટળ્યો, હ્રદયમાં પ્રીતિ-ભક્તિ-બહુમાન જન્મ્યું, તેમના ગુણગાન સહજભાવે આવી જ જાય છે. શુભભાવના યુક્ત મનોયોગથી પ્રેરાયેલો એવો આ શુભ ’વચનયોગ’ છે.
- ત્રીજું યોગબીજ (પંચાંગ પ્રણામ): હ્રદયમાં ઘણોજ બહુમાનનો ભાવ અને ગુણસ્તુતિ ગાતાં-ગાતાં, બે હાથ, બે ઢીંચણ, અને મસ્તક, એમ પાંચે અંગો ભૂમિને સ્પર્શાવવાથી પ્રણામ કરવો. ’સંશુદ્ધ’ પ્રણામ વિશેષણમાં ’અસંશુદ્ધ’ નો વ્યવચ્છેદ માટે છે, કારણકે: મોહઘેલો ભક્તિભાવશૂન્ય, સંસારસુખપોષક, લજ્જાથી, માનમોભાથી, પ્રતિષ્ઠાની બુદ્ધિથી, સુખની લાલસાથી પ્રણામાદિ ઘણીવાર કર્યા છે – તે બધા પ્રણામાદિ સામાન્યથી યથાપ્રવ્રુતિકરણ માત્ર સ્વરુપ છે. સ્મશાનીય વૈરાગ્ય તુલ્ય, ક્ષણજીવી અને આત્માની સાથી અસ્પર્શી છે. આવું યથાપ્રવ્રુતિકરણ તો અભવ્યોને ઘણીવાર અને ભવ્યજીવોને પણ અચરમાવર્તમાં ઘણીવાર આવે છે. તે કંઇ તેજસ્વી નથી, તેથી તેમાંથી યોગમાર્ગે પ્રગટ થતો નથી. આ કારણે આ અસંશુદ્ધપ્રણામાદિ જે છે તે યોગબીજ બનતું નથી. આ પંચાંગ પ્રણામ સંશુદ્ધ રીતે કરાય તે કાયશુદ્ધિરુપ ’કાયયોગ’ છે.
- કુશલચિત્ત – પ્રથમ યોગબીજ મનની શુદ્ધિરુપ છે
- ગુણગાનાત્મક વચનોચ્ચાર – બીજું યોગબીજ એ વચનની શુદ્ધિ રુપ છે
- પંચાંગ પ્રાણામાત્મક – ત્રીજું યોગબીજ એ કાયાની શુદ્ધિરુપ છે
- વીતરાગ પરમાત્માની મન-વચન-કાયાથી પ્રીતિ-ભક્તિ-સ્તવના-ગુણગાન કરવા અને ભાવપૂર્વક પ્રણામ કરવા એ મોક્ષપ્રાસાદ ઉપર ચડવાનું પ્રથમ પગથીયું છે તથા યોગમાર્ગની પ્રાપ્તિરુપ વ્રુક્ષારોપણનું બીજ છે. પ્રભુની ભક્તિ એ મુક્તિ-સ્ત્રીની પ્રાપ્તિ કરાવવામાં વચ્ચે કામ કરતી એવી દૂતી (સખી) સમાન છે.