મીત્રાદ્રષ્ટિ માં રહેલો આત્મા મોક્ષ ના અવન્દ્ય(નિષ્ફળતા વિનાનું) કારણ બને એવા પ્રકાર ના યોગના બીજો પ્રાપ્ત થઇ છે.
· યોગ ના બીજો ગાથા ૨૩ માં બતાવેલા છે.
· ચિત રૂપી ભૂમિ માં આ બીજ વવાય છે, કે જેમાંથી સત્શાત્ર-સદગુરૂ અને તેઓની શ્રદ્ધારૂપી ખાતર, પાણી, પવન વગેરે મળતા "મોક્ષમાર્ગ ની પ્રાપ્તિ" રૂપ યોગાત્મક મહાવૃક્ષ ઉગી નીકળે છે, તેમાંથી કાલાંતરે અવશ્ય મોક્ષરૂપી ફળ ની પ્રાપ્તિ થઇ છે. આ રીતે આ બીજ મુક્તિ નું અવન્દ્ય કારણ બને છે.
· સારાંશ કે યોગબીજ વાવવાથી યોગાત્મક વૃક્ષ થઇ છે, અને યોગાત્મક વૃક્ષથી મુક્તીરૂપ ફળની પ્રાપ્તિ થઇ જ છે.
· યોગબીજ ના ગ્રહણ થી જીવ બાધક ભાવો ને ત્યજી, સાધક્ભાવો ને ધારણ કરે છે, ભાવાભીનંદી હતો, તે માંથી આત્માર્થ ના આનંદ ને માનનાર બને છે.
· દ્રષ્ટિ અંધ હતી, તેમાંથી અંશમાત્ર ખુલે છે, હજુ બહુ ખુલી નથી, પણ કંઈક ખુલી છે તેનો આનંદ છે.
· યોગબીજ થી જન્મ જ બદલાઈ જાય છે,
· વિશાય્સુખો થારફ ઉદાસીનતા આવી જાય છે.
· સમ્યગશાસ્ત્ર, સમ્યગ શ્રદ્ધા, સદગુરૂ ના જ સંયોગ ની રઢ લાગે છે અને કાલાંતરે જ્ઞાનપાન કરતા જીવ સંસારસાગર તરી જાય છે.
No comments:
Post a Comment