Showing posts with label 10/04/2011. Show all posts
Showing posts with label 10/04/2011. Show all posts

Tuesday, October 4, 2011

10/04/2011 (Tuesday) Page 108,109 Gatha 22


મીત્રાદ્રષ્ટિ માં રહેલો આત્મા મોક્ષ ના અવન્દ્ય(નિષ્ફળતા વિનાનું) કારણ બને એવા પ્રકાર ના યોગના બીજો પ્રાપ્ત થઇ છે.

· યોગ ના બીજો ગાથા ૨૩ માં બતાવેલા છે.

· ચિત રૂપી ભૂમિ માં બીજ વવાય છે, કે જેમાંથી સત્શાત્ર-સદગુરૂ અને તેઓની શ્રદ્ધારૂપી ખાતર, પાણી, પવન વગેરે મળતા "મોક્ષમાર્ગ ની પ્રાપ્તિ" રૂપ યોગાત્મક મહાવૃક્ષ ઉગી નીકળે છે, તેમાંથી કાલાંતરે અવશ્ય મોક્ષરૂપી ફળ ની પ્રાપ્તિ થઇ છે. રીતે બીજ મુક્તિ નું અવન્દ્ય કારણ બને છે.

· સારાંશ કે યોગબીજ વાવવાથી યોગાત્મક વૃક્ષ થઇ છે, અને યોગાત્મક વૃક્ષથી મુક્તીરૂપ ફળની પ્રાપ્તિ થઇ છે.

· યોગબીજ ના ગ્રહણ થી જીવ બાધક ભાવો ને ત્યજી, સાધક્ભાવો ને ધારણ કરે છે, ભાવાભીનંદી હતો, તે માંથી આત્માર્થ ના આનંદ ને માનનાર બને છે.

· દ્રષ્ટિ અંધ હતી, તેમાંથી અંશમાત્ર ખુલે છે, હજુ બહુ ખુલી નથી, પણ કંઈક ખુલી છે તેનો આનંદ છે.

· યોગબીજ થી જન્મ બદલાઈ જાય છે,

· વિશાય્સુખો થારફ ઉદાસીનતા આવી જાય છે.

· સમ્યગશાસ્ત્ર, સમ્યગ શ્રદ્ધા, સદગુરૂ ના સંયોગ ની રઢ લાગે છે અને કાલાંતરે જ્ઞાનપાન કરતા જીવ સંસારસાગર તરી જાય છે.