Wednesday, December 7, 2011

12/07/2011 (Wednesay), Pg 135 last pera to pg 137 1st pera

ચોથું યોગબીજ જ્ઞાનગર્ભિત ભવોદ્વેગ માટે
- પૈદગલિક સુખો ક્ષણમાત્ર છે, તેની ઉપાધિ દીર્ઘકાળ છે. આયુષ્ય વિજળીના ચમકારા જેવું છે, સંસાર સગાઇ માયાવી અને સ્વાર્થાધ છે, યૈવન વાદળ સમાન છે, વગેરે અસારતા, વગેરે એવી અસારતા-દુ:ખો થી થતા સહજ વૈરાજ્ઞ ને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહ્યો છે, અને તે દુ:ખો માંથી છુટવા જીવ ઇચ્છે છે.
પાંચમું યોગબીજ = અભિગ્રહો/નિયમો નું પાલન
સત્પાત્રોને આહાર, ઔષધ, વસ્ત્ર આદિ આપવાના અભિગ્રહનું પાલન કરવું, અતિથિની ભક્તિ કરીને જ જમવું ઇત્યાદિ દ્ર્વ્ય આશ્રયી અભિગ્રહને પાંચમું યોગબીજ કહ્યું છે.
- ગ્રંથિભેદ કર્યો હોય તેવો આત્માને મોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપક્ષમ હોવાથી ભાવાભિગ્રહ આવે છે, પરંતુ અહિં અભિન્નગ્રંથિભેદ હોવાથી દ્ર્વ્યાભિગ્રહ કહ્યું છે.
- સુત્પાત્ર શ્બ્દમાં અહિં જે મુનિ દેહની મુર્છા વિનાના, આત્મધ્યાન મા મગ્ન, દેહ ને પોતાના સાધનભૂત માની, સ્વ-પર-ઉપકાર-પરાયણ હોય તે સમજવા. આવા સુત્પાત્ર મુનિને યોગ્ય સમયે યથાશક્તિ વિધિપૂર્વક કરવાન દાન ના અભિગ્રહ સુંદર ફ્ળ આપનાર છે. કારણ તે મુનિ ગામોગામ વિહાર કરી અનેક જીવો ને ધર્મ પમાદશે.
- દીન-દુ:ખી આત્માઓને યોગ્ય સમયે અનુકંપા દાન કરવું, કરુણા કરવી એમા પણ પરોપકારનો હેતુ હોવાથી, શુભ આશયવિશેષ હોવાથી યોગબીજ છે.
આમ, સુપાત્રદાન, પાત્રદાન અને અનુકંપા દાન દ્રવ્યાભિગ્રહ એ પણ શુભાશય રૂપ હોવાથી તેને યોગમાર્ગની પ્રાપ્તિનુ બીજ કહ્યું છે.

No comments:

Post a Comment