Showing posts with label 02/08/2011. Show all posts
Showing posts with label 02/08/2011. Show all posts

Tuesday, February 8, 2011

02/08/2011 (Tuesday) Page 78 2nd last pera, page 79 1st pera


  • પાંચમી સ્થિરા દ્રષ્ટિ માં આવેલા આત્મા ને રત્ન ની પ્રભા સમા સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, ને આત્મતત્વ સાર છે, સર્વ તેના મૂળ સ્વરૂપે સમજાય છે.
  • હીરો હાથ લાગવાથી, તેની કિંમત સમજાવાથી સંસારિક કાચ આદિ તુચ્છ લાગે છે, તેમ બોધિબીજ પ્રાપ્ત થવાથી સંસારિક પૌદગલીક પદાર્થો તુચ્છ લાગે છે.
  • જેમ રત્ન પ્રાપ્ત થતા સુખ સમ્ર્રુદ્ધિ વધે છે, તેમ બોધીરતના મળવાથી આત્માની આપત્તિઓ દૂર થાય છે.

છઠી કાન્તા દ્રષ્ટિ માં બોધ

- તારા ની કાંતિ સમાન હોઈ છે.

- તારા ની પ્રભા જેમ દુર દુર થી ચમકતો હોઈ છે.

- રત્ન ની જેમ ક્ષેત્રપરીમીત નથી.

કાન્તા એટલે પવિત્રતા સ્ત્રી, જે ઘર ના સઘળા કાર્યો કરતા છતા તેનું ધ્યાન પતિમાં હોઈ છે, તેમ દ્રષ્ટિમાં આવેલો પુરુષ સંસાર ના સઘળા કામો કરવા છતા તેનું ધ્યાન દેવ, શાસ્ત્ર, ગુરુ માં હોઈ છે, કર્મો ના ઉદય ની પરવશતાના કારણે સંસારસંબંધી કાર્યો કરવા પડે છે.

દ્રષ્ટિ માં આવેલો જીવ

- નો જ્ઞાનપ્રકાશ આત્મા ના અનંત જ્ઞાનાનંદ હોઈ છે.

- ડગમગ સ્થિતિવાળો હોતો નથી

ઉતમજ્ઞાનદશા હોવાથી વંદન, પચ્ચખાન આદિ ધર્માંનુષઠાન

- નિરતિચારમાત્ર હોઈ છે.

- શુદ્ધજ્ઞાનદશા ના ઉપયોગને અનુસરનારા હોઈ છે.

- વિશિષ્ઠ પણે અપ્રમાત્તા હોઈ છે.

- વિનીયોગપ્રધાન છે, જેમાં ઉદાર અને ગંભીર આશય હોઈ છે.

02/08/2011 (Tuesday) Gatha 15

૨-૮-૧૧ ગાથા ૧૫ પાનું ૭૮ /૭૯ છેલ્લો પેરેગ્રાફ:

કાન્તા દ્રષ્ટિ માં બોધ તારા ની પ્રભા જેવો હોય છે. જ્ઞાન પ્રકાશ દૂર દૂરથી તારા ની જેમ ચમકતો અને જળહળતો દેખાય છે. કાન્તા એટલે પતિવ્રતા સ્ત્રી જે ઘરના સઘળા કામ કરે છતાં તેનું ધ્યાન પતિમાં જ હોય છે તેવીજ રીતે આ દ્રષ્ટિ માં આવેલો જીવ સંસારના બધા કામ કરવા છતાં તેનું ધ્યાન શાસ્ત્ર અનુભવમાં જ એકાગ્ર હોય છે. કર્મો ના ઉદયની પરવશતાને કારણે સંસાર સંબંધિ કામ કરવું પડે છે પરંતુ તેનું મન તેમાં હોતું નથી

આ દ્રષ્ટિવાળા જીવનું ચિત્ત અનાસક્ત હોય છે આ જ્ઞાન પ્રકાશ સહજ ભાવે સ્થિર હોય છે અને અનંત જ્ઞાનાનંદ માં ચમકે છે