- પાંચમી સ્થિરા દ્રષ્ટિ માં આવેલા આત્મા ને રત્ન ની પ્રભા સમા સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, ને આત્મતત્વ એ જ સાર છે, સર્વ તેના મૂળ સ્વરૂપે સમજાય છે.
- હીરો હાથ લાગવાથી, તેની કિંમત સમજાવાથી સંસારિક કાચ આદિ તુચ્છ લાગે છે, તેમ બોધિબીજ પ્રાપ્ત થવાથી સંસારિક પૌદગલીક પદાર્થો તુચ્છ લાગે છે.
- જેમ રત્ન પ્રાપ્ત થતા સુખ સમ્ર્રુદ્ધિ વધે છે, તેમ બોધીરતના મળવાથી આત્માની આપત્તિઓ દૂર થાય છે.
છઠી કાન્તા દ્રષ્ટિ માં બોધ
- તારા ની કાંતિ સમાન હોઈ છે.
- તારા ની પ્રભા જેમ દુર દુર થી ચમકતો હોઈ છે.
- રત્ન ની જેમ ક્ષેત્રપરીમીત નથી.
કાન્તા એટલે પવિત્રતા સ્ત્રી, જે ઘર ના સઘળા કાર્યો કરતા છતા તેનું ધ્યાન પતિમાં જ હોઈ છે, તેમ આ દ્રષ્ટિમાં આવેલો પુરુષ સંસાર ના સઘળા કામો કરવા છતા તેનું ધ્યાન દેવ, શાસ્ત્ર, ગુરુ માં જ હોઈ છે, કર્મો ના ઉદય ની પરવશતાના કારણે સંસારસંબંધી કાર્યો કરવા પડે છે.
આ દ્રષ્ટિ માં આવેલો જીવ
- નો જ્ઞાનપ્રકાશ આત્મા ના અનંત જ્ઞાનાનંદ હોઈ છે.
- ડગમગ સ્થિતિવાળો હોતો નથી
- નિરતિચારમાત્ર જ હોઈ છે.
- શુદ્ધજ્ઞાનદશા ના ઉપયોગને અનુસરનારા હોઈ છે.
- વિશિષ્ઠ પણે અપ્રમાત્તા હોઈ છે.
- વિનીયોગપ્રધાન છે, જેમાં ઉદાર અને ગંભીર આશય હોઈ છે.
No comments:
Post a Comment