સાતમી દ્રષ્ટિ(પ્રભા દ્રશ્ટિ) માં આવેલ મહાત્મા....
- જે શિષ્યનું જે ભાવે આત્મહિત થાય તે ભાવે તેમ્ના પ્રત્યે ઉચિત આચરણાથી વર્તે છે.
- શિષ્યો ના મમતા, પક્ષપાત, વેરઝેર જેવા દુષણો થી રહિત,
- વિનય-સેવા આદિ ની અપેક્ષા રાખ્યા વગર
.....સ્વભાવ-પરાયણતામા શિષ્યોના આત્મકલ્યાણ અર્થે ધર્મદેશના આપે છે.
- અલ્પમાત્ર પણ સેવાદિની અપેક્ષા ન હોવાથી, અવિનીત શિષ્ય માટે લેશમાત્ર પણ અરુચિ થતી નથી.
તેથી તેઓએ આચરેલી આત્મસુખની પ્રાપ્તિ માટેની ધર્મક્રિયા ક્દાપિ નિષ્ફળ બનતી નથી, નિયમા
કર્મક્ષયરુપ ફળ આપનારી, શિષ્યોનો ઉપકાર કરવાવાળી બને છે.
આમ, પ્રભાદ્રશ્ટિ એ કેવલગ્યાનની પ્રાપ્તીની પુર્વકાળવર્તી સર્વોત્તમ નિર્વિકલ્પાવસ્થાવાળી છે.
સંકલ્પ-વિક્લ્પ કરાવનારા પ્રશસ્ત ગણાતા કષાયો(મોક્ષ રાગ,સંસારનો દ્વેષ, દુ:ખી પર કરુણા) પર-પ્રત્યયિક ભાવ હોવાથી એનો પણ ત્યાગ કરે છે....પ્રશસ્ત કષાયો પણ મન ને ગમતા માં રાગ ને ન ગમતા માં દ્વેશ કરનારા હોઇ છે.
No comments:
Post a Comment