Monday, February 7, 2011

02/07/2011 (Monday) Gatha 15 (repeat)

ફેબ્રુઆરી ૭,૨૦૧૧ પાનાં નંબર ૭૮ ત્રીજો અને ચોથો પેરેગ્રાફ

(૬):પરિજ્ઞાનાદિયોનિ: પારિજ્ઞાન એટલે પૂર્ણ કે સમ્યકજ્ઞાન જે સુષ્મ વસ્તુનો ભેદ પણ જાણી શકે.

પાંચમી દ્રષ્ટિનો પ્રકાશ રત્ન ની પ્રભા જેવો હોય છે રત્ન ની પ્રભાથી રત્ન ની આરપારના સર્વ ભાગો દેખાય છે તેવીજ રીતે સ્થિરા દ્રષ્ટિ માં આવેલા જીવ ને સમ્યકત્વ થવાથી આત્મતત્વ એજ સાર છે એમ યથાર્થ જણાય છે. સમ્યકત્વ રૂપ બોધિરત્નના પ્રકાશથી આત્મજ્ઞાની વસ્તુને યથાર્થ(વાસ્તવિક) પણે જાણે છે॰ અને સાંસારિક પૌદગલિક પદાર્થો તુચ્છ છે તેમ સમજાય જાય છે બોધિરત્ન મળવાથી આત્મા ની આપત્તિઓ દૂર થાય છે, સંપત્તિ (આત્મિક) વધે છે અને મંગલ જ મંગલ થઈ જાય છે

No comments:

Post a Comment