સાતમી પ્રભાદ્રષ્ટિ
૧) બોધ:
- સૂર્યના પ્રકાશ સમાન
- અમંદ અને અપરિમિત
- અપૂર્વ ઉગ્રતા અને જાજ્વાલામાંન
- અતિશય માત્રાવાળો
- જ્ઞાનપ્રકાશ આત્માને સર્વકાળે ધ્યાનનો હેતુ જ બને છે
૨) ધ્યાન:
- આત્મતત્વ સાધક વિષયના ચિંતનમાં એકાકારતા
- મોહદશા ક્ષીયમાન થાય અને આત્મા તત્વચિંતનના જ વિષયમાં આત્મા નિર્ભયપણે એકાકાર બની જાય છે
- પ્રાયઃ કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ થવાનો અવસર જ સાંપડતો નથી
- ચિત કોઈપણ વિચારોમાં જતું નથી
- ઉપસર્ગ અથવા પરીસાહોના નિવારણના ઉપાયોનો કે પ્રતિકારનો પણ સંકલ્પ-વિકલ્પ નથી
- સાનુકુળ અને પ્રતિકુળ અવસ્થામાં આત્મા સદા સમતામય રહે છે
- શરીર કે સાનુકુળતામાં સુખ ન માનતા 'પ્રશમભાવ' માં જ સુખનો પૂર્ણ અનુભવ કરે છે
૩) દશા:
- સમતાના સુખનો જ સ્વાદ લાગે છે
- નીર્વીક્લ્પતા અને પ્રશમભાવમાં સુખ માણવામાં અન્ય કોઈ શાસ્ત્રપાઠનો કે શ્લોકનો આધાર લેવો પડતો નથી
- અન્ય સર્વ શાસ્ત્રો અકીન્ચીત્કાર બની જાય છે
- આત્માનુભવ જ સુખકાર બને છે
- તે કાલે કરાતું ધ્યાન-તાપ આદિ સર્વ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે
- અલ્પ પણ ચલ-વિચાલતા કે આકુલવ્યકુલતા સંભવતી નથી
- તેના આત્મામાં પ્રશાન્તવાહિતા પ્રસરે છે
- આજુ-બાજુના દ્રવ્ય-ક્ષેત્રમાં પણ એવી પ્રશાન્તવાહિતા ઝળકે છે કે વાઘ-બકરીના જેવો જાતીબદ્ધ વેર નો નાશ થાય છે
- કલ્યાણકારી અમૃતમય ધર્મદેશના દ્વારા નિરંતર પરોપકાર-પારાયણપનેજ આ આત્માઓ વર્તે છે
- એમના મુખકમળમાંથી પ્રાયઃ પરોપકાર કરનારી ઉત્તમ ભવ્ય દેશના વહે છે
No comments:
Post a Comment