Monday, February 14, 2011

02/14/2011 (Monday) and 02/15/2011 (Tuesday) Gatha 15

ગાથા ૧૫ પાનું ૮૦ (છેલ્લો ફકરો) અને ૮૧ (પહેલા ત્રણ ફકરા) ૦૨/૧૪/૨૦૧૧ અને ૦૨/૧૫/૨૦૧૧

સાતમી પ્રભાદ્રષ્ટિ
૧) બોધ:
  • સૂર્યના પ્રકાશ સમાન
  • અમંદ અને અપરિમિત
  • અપૂર્વ ઉગ્રતા અને જાજ્વાલામાંન
  • અતિશય માત્રાવાળો
  • જ્ઞાનપ્રકાશ આત્માને સર્વકાળે ધ્યાનનો હેતુ જ બને છે
૨) ધ્યાન:
  • આત્મતત્વ સાધક વિષયના ચિંતનમાં એકાકારતા
  • મોહદશા ક્ષીયમાન થાય અને આત્મા તત્વચિંતનના જ વિષયમાં આત્મા નિર્ભયપણે એકાકાર બની જાય છે
  • પ્રાયઃ કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ થવાનો અવસર જ સાંપડતો નથી
  • ચિત કોઈપણ વિચારોમાં જતું નથી
  • ઉપસર્ગ અથવા પરીસાહોના નિવારણના ઉપાયોનો કે પ્રતિકારનો પણ સંકલ્પ-વિકલ્પ નથી
  • સાનુકુળ અને પ્રતિકુળ અવસ્થામાં આત્મા સદા સમતામય રહે છે
  • શરીર કે સાનુકુળતામાં સુખ ન માનતા 'પ્રશમભાવ' માં જ સુખનો પૂર્ણ અનુભવ કરે છે
૩) દશા:
  • સમતાના સુખનો જ સ્વાદ લાગે છે
  • નીર્વીક્લ્પતા અને પ્રશમભાવમાં સુખ માણવામાં અન્ય કોઈ શાસ્ત્રપાઠનો કે શ્લોકનો આધાર લેવો પડતો નથી
  • અન્ય સર્વ શાસ્ત્રો અકીન્ચીત્કાર બની જાય છે
  • આત્માનુભવ જ સુખકાર બને છે
  • તે કાલે કરાતું ધ્યાન-તાપ આદિ સર્વ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે
  • અલ્પ પણ ચલ-વિચાલતા કે આકુલવ્યકુલતા સંભવતી નથી
  • તેના આત્મામાં પ્રશાન્તવાહિતા પ્રસરે છે
  • આજુ-બાજુના દ્રવ્ય-ક્ષેત્રમાં પણ એવી પ્રશાન્તવાહિતા ઝળકે છે કે વાઘ-બકરીના જેવો જાતીબદ્ધ વેર નો નાશ થાય છે
  • કલ્યાણકારી અમૃતમય ધર્મદેશના દ્વારા નિરંતર પરોપકાર-પારાયણપનેજ આ આત્માઓ વર્તે છે
  • એમના મુખકમળમાંથી પ્રાયઃ પરોપકાર કરનારી ઉત્તમ ભવ્ય દેશના વહે છે

No comments:

Post a Comment