ગાથા ૩૫ પેજ ૧૬૦ તારીખ: ૦૩/૧૯/૨૦૧૨
- અનાદિકાલીન મોહની મલીનતા ધોવાતાં આત્મા નિર્મળ બને છે, તેની દ્રષ્ટિ બદલાય છે.
- પરમાર્થ સાધવાની પાત્રતા પ્રગટે છે.
- પાત્રતા પ્રગટ થવારૂપ ભાવપુણ્યોદય વધતાં ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેંચાતો આવે છે.
- ઉત્તમ નિમિત્તોનું સતત વારંવાર સેવન કરતો કરતો જીવ પોતાની મલીનતાને વધુ ને વધુ ટાળતો સત્ય માર્ગે પ્રયાણ કર્તો અંતે પરમાર્થપદની પ્રાપ્તિ કરે છે.
- તારણ: શુભનિમિત્તોના સંયોગનું કારણ અવંચક ત્રય, અવંચક ત્રયનું કારણ સત્પ્રણામાદિ, અને તે સત્પ્રણામાદિનું કારણ ભાવમલની અલ્પતા છે.
No comments:
Post a Comment