Friday, March 23, 2012

ગાથા ૪ શાસ્ત્રયોગ

ગાથાર્થ: પ્રમાદ વગર અને શ્રધ્ધા સહીત શાસ્ત્રીય સુશ્મ્બોધના કારણે આગમ વચન અનુસાર અને તેજ કારણે અતિચાર વગરનો યથાશક્તિ જે ધર્મયોગ તે શાસ્ત્રયોગ જાણવો.
અહીં યોગ(ધર્મ વ્યાપાર) સંબધી શાસ્ત્રોમાં કુશળતા મેળવીને તે પ્રમાણે કરાતો અતિચાર વગર નો ધર્મ વ્યાપાર
તે શાસ્ત્રયોગ.
આ શાસ્ત્રયોગ અપ્રમાંદી જીવને હોય છે. આ જીવ શાસ્ત્રના શુષ્મ અભ્યાસ ને કારણે નિંદા, વિકથા વગેરે પ્રમાંદો વગરનો હોય છે અને તેથીજ તેનો ધર્માંવ્યપાર દોષ વગરનો, અતિચાર વગરનો, ખામી વગરનો અને અવિકલ હોય છે.
કેવો પ્રમાદી? આ આત્માને દર્શન મોહનીય કર્મનો વિશેષ ક્ષયોપક્ષમ હોવાથી અત્યંત વિશ્વાસ, અત્યંત પ્રેમ અને અત્યંત શ્રધ્ધા હોય છે અને શાહ્સ્ત્રોના સુશ્મમાં શુશ્મ અર્થોની પટુતા યુક્ત બોધ થવાથી તે અગમોના વચન અનુસાર થોડી પણ કાલ,વિનય, બહુમાન વગેરે વિકલતા વગરનો અને જરા પણ અપૂર્ણતા વગરનો ધર્મ વ્યાપાર કરે છે અને તેનેજ શાસ્ત્રયોગ સમજાવો. આ આત્મા પોતાનાં શરીરની શક્તિ અનુસાર જ જરા પણ દોષ ન લાગી જાય તે પ્રમાણે ધર્મ વ્યાપાર કરે છે.
ઈચ્છા યોગમાં ઈચ્છા ની પ્રધાનતા છે અને પ્રમાદ હોય શકે જયારે શાસ્ત્ર યોગમાં શાસ્ત્રની પ્રધાનતા છે અને પ્રમાદ નો અભાવ છે.
બાળ બુધ્ધિના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કહી પણ લખી ગયું હોય તો મિચ્છામી દુક્ક્ડમ.

No comments:

Post a Comment