પ્રાતીભ જ્ઞાન એટલે પ્રતિભાથી પ્રગટેલું જ્ઞાન. જરાય પણ મર્યાદાની બહાર ગયા વગર યથાર્થ મુક્તિના માર્ગને જ અનુસરનાર એવું અપૂર્વ તત્વચિંતન નામનું વિશિષ્ઠ જ્ઞાન. અને તેનાથી યુક્ત એવો સામર્થ્ય ની પ્રધાન્તાવાળો આ ધર્મયોગ.
આ ધર્મયોગમાં ધ્યાન,તત્વચિંતન-આત્મભાવની એકાગ્રતા-દેહાંતિતતાનું અપૂર્વ ચિંતન વગેરે ભાવો જ હોય છે અને આવો ધર્મવ્યાપાર ક્ષપક શ્રેણીમાં (૮-૧૨ ગુણસ્થાનક) જ આવે છે. જે શ્રુત જ્ઞાનથી પર અને કેવળ જ્ઞાન પહેલાની પ્રભાત જેવો છે અને અહીં આવો જ યોગ લેવાનો છે.
આ સામર્થ્ય યોગ અનુભવાત્મક જ છે અને શબ્દોથી ન વર્ણવી શકાય તેવો અને પ્રાતીભ યુક્ત છે અંને કેવળ જ્ઞાન નું પ્રબળ સાધન બને છે. આવા યોગથી જ જીવ મોહનો ક્ષય કરે છે અને કેવલી થાય છે.
અલ્પ પણ વિલંબ વગર આ યોગથી સર્વજ્ઞપણ!ની (૧૩મુ ગુણસ્થાનક) સિદ્ધિ થાય છે
સારાંશ કે ગુરુમુખે શાસ્ત્ર શ્રવણથી શ્રોતા મુક્તિના ઉપાયરૂપ સમ્યગદર્શન, જ્ઞાન, ચરિત્ર ત્રણે ગુણોનું સ્વરૂપ જાણીને જ્ઞાન માત્ર મેળવે છે અનુભવ મેળવી શકતો નથી, પરંતું ઉપાયોનું બરાબર જ્ઞાન થવાથી તેનો અનુભવ મેળવવા માટે બહુંજ ઉત્સાહ થી આત્મ અનુભવનો અસાધારણ પ્રકાશ ચમકે છે અને અંતરમાં અસામાન્ય ચેતન શક્તિ સ્ફુરાયમાન થાય છે. આનેજ પ્રાતીભાજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાન પૂર્વક પોતાના આત્મ વીર્યને મોહના નાશ માટે વપરાતો આ જીવ ક્ષપક શ્રેણી માંડે છે અને સામર્થ્ય યોગ નાં બળે મોહસાગર તરી બારમે (ક્ષીણ મોહ) ગુણસ્થાનકે આવી ઘનઘાતીકર્મો ખપાવી તેરમે ગુણસ્થાનકે જઈને કેવલ્ય અવસ્થાને જલ્દીથી પ્રાપ્ત કરે છે.
બાળ બુધ્ધિના કારણે જીન આજ્ઞાથી વિરુદ્ધ કઈ લખાયું હોયતો મિચ્છામીદુક્કડમ
No comments:
Post a Comment