Sunday, March 25, 2012

5/24/11 ગાથા 12,૧૩,અને ૧૪ દ્રષ્ટિની વ્યાખ્યા

અહીં ત્રણ યોગ (ઈચ્છા,શાસ્ત્ર અને સામર્થ્ય) જે આઠ દ્રષ્ટિ (મિત્ર,બલા,તારા વગેરે) ના પાયારૂપ છે તેને મજબુત કરીને હવે તે યોગોના અવલંબન વગર જ (સ્વતંત્રપણે,ભીન્નપણે) સમજાવાશે. એટલે કે કઈ દૃષ્ટિ ક્યાં યોગમાંથી આવેલી છે આવું બતાવ્યા વગર સ્વતંત્રપણે બતાવવામાં આવશે. આ દ્રષ્ટિઓ દરેક જીવ પ્રમાણે જુદી જુદી છે તેથી અનેક છે પરંતું સામાન્યથી આઠ ભાગ(મિત્ર,તારા,બલા....)છે.
ગાથા ૧૩ માં આ આઠ દૃષ્ટિ નામ નીચે પ્રમાણે છે.
(૧)મિત્ર,(૨)તારા,(૩)બલા, (૪)દીપ્રા,(૫)સ્થિરા,(૬)કાંટા,(૭)પરા (૮)પ્રભા
અને હવે તેના લક્ષણો બતાવવામાં આવશે.
આ દૃષ્ટિઓના નામો અર્થયુક્ત છે અને તે દૃષ્ટિ સમજાવતી વખતે બતાવવામાં આવશે.
અહીં યોગ દૃષ્ટિ શબ્દ વાપરીને ઓઘ દ્રષ્ટિનો નાશ કરવામાં આવે છે થી પહેલા ઓઘ દૃષ્ટિ જ સમજાવવામાં આવે છે.
ગાથા ૧૪ : મેઘ સહીત અને મેઘ રહિત રાત્રી તથા દિવસમાં, ગ્રહ યુક્ત કે ગ્રહ વિના, બાળક કે યુવાનને, મિથ્યા દૃષ્ટિ કે અમીથ્યા દૃષ્ટિ (જીવ)ને જેમ તરતમતા વાળી(હીન અને અધિક) દૃષ્ટિ હોય છે તેમ અહીં ઓઘ દૃષ્ટિ જાણવી.
અનાદિ કાલથી મિથ્યાતવી જીવની પ્રથમ ઓઘ દૃષ્ટિ હોય છે ને જયારે મીથ્યાત્વ બંધ પડે છે અને આત્મા અપુનર્બંધક બનેછે ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે.
અનાદીકાળથી સર્વ સંસારી જીવોને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન અને મોહનીય કર્મના ઉદયથી સંસારના સુખનો રાગ અને સુખના પ્રતિબંધક તત્વો ઉપર દ્વેષ હોય છે. પરંતું સર્વ જીવોને હમેશા અલ્પ અથવા અધિક પ્રમાણમાં મતિ-શ્રુત જ્ઞાનાવરણીય કર્મ અને અચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપક્ષમ હોય જ છે.
કારણકે આ કર્મો ઉદય વખતે હમેશા ક્ષયોપક્ષમ વાળા જ હોય છે. તેથી નીગોદથી માંડી ને સર્વ જીવોની જ્ઞાનામાંત્રા કઈંક અંશે ખુલી હોય જ છે.
વસ્તુને જાણવાની આત્માની અનાવૃત (પ્રગટ) રહેલી ચેતન્યશક્તિને દૃષ્ટિ કહેવાય છે.

અજ્ઞાનતાથી જીન આજ્ઞા વિરુદ્ધ કહી લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ.


No comments:

Post a Comment