Wednesday, August 24, 2011
08/24/2011 (Wednesday) page 99 gatha 19 through page 102 end of gatha 19 ગાથા ૧૯ સંપૂર્ણ
Tuesday, August 16, 2011
08/16/2011 (Tuesday) Gatha 17
ગાથા ૧૭, પાનું ૯૫ લાસ્ટ પેરા, પાનું ૯૬ પહેલા ૨ પેરા
Date: 08/16/2011
દ્રષ્ટિ શબ્દ નો અર્થ સમજાવતા કહે છે કે...
- ભયોથી/વિઘ્નોથી મુક્ત જોવું, દેખાવું, જાણવું તે દર્શન ને દ્રષ્ટિ કહેવાય છે.
- જ્યાં સુધી આંખ ખુલી નથી ત્યાં સુધી કઈ દેખાતું નથી અને અથડાઈ જવાનો ભય રહે છે.
- એક વાર આંખ/દ્રષ્ટિ ખુલે પછી બસ તરતમતા નો જ ફર્ક છે, કોઈ ને થોડું વધારે દેખાય, કોઈ ને થોડું ઓછુ દેખાય, પરંતુ દેખાય છે એ જ મહત્વનું છે, અને એટલે જ અથડાવાનો ભય નથી.
- જન્માંધ વ્યક્તિ ને દ્રષ્ટી ની ખામી હોવાથી તેના બુદ્ધિ ના પરિઘ ની અંદર વિકલ્પો ના વમળો રચ્યા કરે છે, અને કલ્પના કરી અથડાયા કરે છે, પણ સત્ય નું ભાન નથી થતું, પરંતુ કોઈ ચિકિત્સક વૈદ્ય ની બતાવેલા માર્ગદર્શન પર અને બતાવેલી ઔષધ લેવામાં આવે તો નેત્ર પ્રાપ્ત થતા/ દ્રષ્ટિ ખુલતા, ભય માંથી મુક્તિ થતા આનંદ ની અનુભૂતિ અને સત્ય ની પ્રાપ્તિ થાય છે, અને સમસ્ત દ્રશ્ય પદાર્થો દેખાય છે. અને આ દ્રષ્ટિ એક વાર મળ્યા પછી કદી સાથ છોડનાર નથી, અને હંમેશાં વૃદ્ધિ પામનારી છે. તે પ્રમાણે જો સદગુરુરૂપી વૈદ્ય, સત્સાસ્ત્રરુપી તેમની આજ્ઞા અને ભાવો ની યથાર્થ રુચીરુપી ઔષધ લઈએ તો દ્રષ્ટિ ખુલે અને અનંત દર્શન પ્રગટ થાય છે.
- ખૂટે છે જીવ નો સંકલ્પ, સંસાર ના લોભામણા દ્રશ્યો, સદગુરુ પ્રત્યે સમર્પણતા. આટલા જન્મો એમ ના એમ વૈદ્ફ્યા બસ એક જન્મ સદગુરુ ની સોપી પછી જોઈ આ જીવ ક્યાં થી ક્યાં પહોચી સકે છે. બસ, સદગુરુ, કે જે જે પ્રભુ ના માર્ગ પર છે, પ્રભુ ની સમીપ છે, એમની કરુણા ને જીલી અને એમના મય બનાવી દઈયે અને એક વાર આ બુંદ ને એ સાગર માં ભેળવી દઈ, બસ પછી આખો સાગર દરેકે દરેક બુંદ માં મળશે..અને જીવ માં એ જ દ્રષ્ટી આવશે કે જે સદગુરુ પાસે - પ્રભુ પાસે છે.
- દ્રષ્ટી મળ્યા પહેલાનો અંધાપો દોષ વાળો હોવાથી ભયવાળો છે અને અતિશય આકરો છે જયારે દ્રષ્ટિ અલ્પ યા અધિક પ્રમાણ માં મળે તો પણ ભય મુક્ત હોવાથી તેને યોગ ની આત્મવિકાસ ની દ્રષ્ટિ કહેવાય છે.
- ફક્ત બોધ ને દ્રષ્ટી ન કહેતા "સત્શ્રદ્ધા સંગત" ના બોધ ને દ્રષ્ટિ કહે છે. તેથી સત્શાસ્ત્ર અને સત્શાસ્ત્ર ને સમજાવનારા સદગુરુ માં થતી પરમ શ્રદ્ધાપૂર્વક ના બોધ ને જ દ્રષ્ટિ કહેવાય છે. સ્વછંદ મતીકલ્પના ના આધાર પર અને સત્શાસ્ત્ર અને સત્શાસ્ત્ર ને સમજાવનારા સદગુરુ વિના જીવ અંધાપો વધારે છે અને અનંત સંસાર નું પરિભ્રમણ વધારે છે.
- સ્વછંદ મતીકલ્પના નો ત્યાગ અને સત્શાસ્ત્રની શ્રદ્ધા એ જ યોગ્દ્રષ્ટિ નું પ્રવેશદ્વાર છે અને ત્યાંથી જ દ્રષ્ટી અંશત: ખુલે છે.
Monday, August 15, 2011
08/15/2011 (Monday) gatha 17
- યોગની દ્રષ્ટિ = સમ્યગ શ્રદ્ધાથી યુક્ત બોધ
- આ બોધ અસત પ્રવૃત્તિને અટકાવનાર હોવાથી સત પ્રવૃત્તિવાળા પદને (સ્થાનને) આપનાર છે
- સમ્યગ શાસ્ત્રોનો આધાર ત્યજી પોતાના મનફાવતાં અભિપ્રાય પ્રમાણે, સ્વચ્છંદપણે, પોતાની મતિ-કલ્પના પ્રમાણે ખોટા તર્ક-વિતર્ક કરવામાં આવે એવી શાસ્ત્રનીરપેક્ષ શ્રદ્ધા
- અસદ્શ્રદ્ધાના વિકલપણાથી
- સમ્યગ શાસ્ત્રોના બોધની આધારવાળી
- આપ્ત્પુરુષોની આજ્ઞાને અનુસરનારી શ્રદ્ધા
Wednesday, August 10, 2011
08/10/2011 (Wednesday) ગાથા ૧૬ પાના નં ૯૨-૯૩ -૯૪ ८/१०/११
ધર્મક્રિયા કરતા થાક લાગે (પેહલો દોષ ખેદ)
થાક લાગે એટલે કંટાળો આવે (બીજો દોષ ઉદ્વેગ)
કંટાળો આવે એટલે ચિત્ત અસ્થિર થઇ બીજે જાય (ત્રીજો દોષ ક્ષેપ)
એટલે ચાલુ ધર્મકાર્યમાંથી ઉઠી જાય (ચોથો દોષ ઉત્થાન)
ચિત્ત ઉઠી જતા ચારેકોર અહી તહી ભમે (પાંચમો દોષ ભ્રાંતિ)
ભમતા ચિત્તને પરભાવદશામાં આનંદ આવે છે મોહોદય થી (છટ્ઠો દોષ અન્યમુદ)
પરભાવાદશાનો આનંદ જ યોગમાર્ગમાં પીડા આપે(સાતમો દોષ રુગ)
અનાદિના મોહની વાસનાથી પુદગલસુખમાજ આસક્તિ વધે (આઠમો દોષ આસંગ)
જેમ જેમ એક એક દોષ નીકળતો જશે તેમ તેમ એક એક કરતા આઠેય ગુણ આપોઆપ ક્રમશ પ્રગટ થશે e,g, જેમ વાસણનો કાટ ઓછો થશે તેમ આપમેળે ચમક વધશે
આઠ ગુણ (આઠ ગુણમય અંગની સદદ્રષ્ટિ)
અદ્વેષ - આ છે આત્મકલ્યાણનું પેહલું પગથીયું -દ્વેષ ન થવો,અણગમો ન થવો પરમાર્થ સાધવા પ્રત્યે - તો વિકાસ શક્ય છે.
જીજ્ઞાસા - પરમાર્થ જાણવાની ઈચ્છા
શુશ્રુષા - ધર્મતત્વ સાંભળવાની ઈચ્છા,તમન્ના તાલાવેલી થવી
શ્રવણ - એકાગ્રતાથી ધર્મતત્વ સુગુરુ પાસે સાંભળવું.
બોધ - ધર્મતત્વ સાંભળીને જ્ઞાન થવું,તત્વબોધ થવો
મીમાંસા - તત્વબોધ ઉપર સુક્ષ્મ વિચારણા કરી સુક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું
પ્રતિપત્તિ - સુક્ષ્મજ્ઞાન સ્વીકારવું, ઉપાદેય ને ઉપાદેય રૂપે સ્વીકારવું. આ જ સત્ય છે બીજું મિથ્યા છે તેમ સ્વીકારવું
પ્રવૃત્તિ - ઉપાદેય તરીકે સ્વીકારેલા માર્ગમાં પ્રવૃત્તિ કરવી,ઓતપ્રોત થવું,અનુભવમય બનવું.
આઠ યોગ્દ્રષ્ટિની એક એક દૃષ્ટિમાં આઠ અંગમાંથી એક એક અંગ પ્રાપ્ત થાય છે,એક એક દોષ દૂર થાય છે,એક એક ગુણ પ્રાપ્ત થાય છે, અંતે આત્મા સર્વદોશરહિત અને સર્વ ગુણમય બને છે.
જૈન તથા અન્ય દર્શન ના યોગચાર્યો જેમકે પાતંજલિ,ભાસ્કરબંધુ ,દત્તમુની વિગેરે ને પણ
"આ સદદ્રષ્ટિ કહેવાય" ,તેમ માન્ય છે.
જીનાગમ વિરુદ્ધ કઈ લખાયગયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ