Wednesday, August 24, 2011

08/24/2011 (Wednesday) page 99 gatha 19 through page 102 end of gatha 19 ગાથા ૧૯ સંપૂર્ણ

પ્રથમની ચાર દૃષ્ટિ (મિત્રા,તારા,બલા,વિપ્રા) પ્રતીપાતી (એટલે કે આવીને ચાલી જાય તેવા ભયવાળી છે. પરંતું એવો નિયમ નથી કે આવી ને ચાલી જ જાય,પણ ચાલી જવાના ભય (સંભવ) વાળી છે. પાછળ ની ચાર દૃષ્ટિ (સ્થિરા, કાન્તા,પ્રભા,પરા) અપ્રતીપાતી એટલે કે આવીને ચાલી જવાવાળી નથી. જો કે સમ્યક્ત્વ (ચોથા) દેશવિરતિ(પાંચમા) વગેરે ગુણસ્થાનકથી ઉપશાંતમોહ ગુણસ્થાનક (અગિયાર) સુધી ચડેલા આત્માઓ ત્યાંથી પડીને મીથ્યાત્વ (પહેલા ) ગુનથાને પણ આવી જાય છે એટલે છેલ્લી ચાર દૃષ્ટિ પણ પ્રતીપાતી લાગે છે પરંતું તેનો ખરેખર પ્રતિપાત ગણાતો નથી કારણકે તે જીવ અંતઃ સાગરોપમ કોડાકોડીથી વધારે સ્થીતીબંધ કરતો નથી તથા વધુમાંવધુ અર્ધ દેશોનપુદગલ પરવાર્તાનમાં અવશ્ય ઉપર આવી જાય છે.
ખુલાસો: પહેલી ચાર દૃષ્ટિ પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમ અને મોહનીય કર્મ ની મંદતાવાળી હોવાથી યોગની જ દૃષ્ટિ છે પરંતું મોહનીયકાર્મના વિપાક ઉદયથી પડવાના ભયવાળી છે એટલે દુર્ગતિનું કારણ બની શકે.

અહિયા શ્રેણિક મહારાજને ક્ષાયિક સમ્યક્ત્વ હોવા કેમ નરકની દુર્ગતિ મળી તે પુર્વાબદ્ધ કર્મોના કારણે સંભવિત છે પરંતું મોટેભાગે આવું બનતું નથી તે સમજાવે છે. બીજો અર્થ એમ પણ છે કે નરકમાં જવા છતા આ સદ્દ્રષ્ટિ હણાતી નથી.

No comments:

Post a Comment