Monday, August 1, 2011

08/01/2011 (Monday) ૮-૧-૧૧ page 91 2nd para through point 3 under 'chhit na aath dosho'ચિત્તના આઠ દોષો

ખેદ વગેરે ચિત્તના (મનના -આશયના) દોષો છે અને દોષવાળા ચિત્ત ઉપર વિજય મેળવી શકાતો નથી અને ગુણોની પ્રાપ્તિ થતી નથી. અને આ ચિત્ત વિજય અને ગુણ પ્રાપ્તિ વિના આત્મવિકાસ સાધવો શક્ય નથી. તેથી યોગદશા પ્રાપ્ત કરનાર ભવ્ય આત્માએ આ દોષો જાણવા જ જોઈએ અને કાઢવા જ જોઈએ.



ચિત્તના આઠ દોષો



૧. ખેદ=થાકી જવું. ધર્મની પ્રવૃત્તિ કરતા ઘણો જ પરિશ્રમ પડે છે એમ માનવું. જ્યાં થાકની બુદ્ધિ થાય છે ત્યાં દ્વેષ, અરૂચી,અપ્રીતિ, નાખુશીભાવ આવે જ છે. જેથી આગળ કહેવાતા અદ્વેષ વગેરે ગુણો આવતા નથી.



૨.ઉદ્વેગ=કંટાળો-તિરસ્કાર. ધર્મની પ્રવૃત્તિમાં બેઠા બેઠા કંટાળો આવે, તિરસ્કાર આવે, ક્યારે પૂરું થાય એવા ભાવ આવે,ગોટાળા વાળે



એટલે કે ભૂલો કરે.



૩.ક્ષેપ =ફેંકવુ. ચાલુ(ધર્મ) ક્રિયાને છોડીને ચિત્તને બીજા કામમાં નાખવું. એજેથી ચાલુ ક્રિયા પણ રસ વિનાની બની જાય .


બાળ બુદ્ધિથી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાઇ ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ























































































































































2 comments:

  1. I can see only 3 Dosh. Could you please post the link to read from book if you have gujarati book link?

    ReplyDelete
  2. We only covered 3 dosh on August 01, 2011. The rest was covered on August 02, 2011. The blog for that will come soon... Thanks for your interest... Book can be downloaded from: http://jainlibrary.org/book.php?file=001092

    ReplyDelete