જૈન આગમમાં પ્રવ્રજ્યા અર્થી જીવોની યોગ્યતા સૂચવતા ૧૬ લક્ષણો કહ્યા છે .
આર્યદેશમાં જન્મ, વિશિષ્ટ જ્ઞાતિ અને કુલથી યુક્ત, લઘુકર્મી , વિષય વાસના અને કષયોની મતિ નિવૃત, સંસારની નિર્ગુણતા જાણનાર, વૈરાગ્ય વાન, કષયો પાતળા બન્યા છે , મન્દ નોકષાય , ઉપકારીનો કૃતજ્ઞ, વિનીત, બધા વડે બહુમાન પામેલો , અદ્રોહકારી , સર્વ અંગથી પરિપૂર્ણ શરીર , શ્રધ્ધા વારો જેથી અતિચાર મુક્ત, સ્થિર પરિણામ વારો , ગુરુજીને સમર્પિત.
ઉપરના ૧૬ લક્ષણો વાળો આત્મા જ પ્રવ્રજ્યાનો અધિકારી છે અને જો આ ન હોય તો તે પ્રવ્રજિત જીવનમાં જ્ઞાનયોગ આરાધી શકતો નથી કારણકે તેનું ચિત મોહવૃત્તિમાં ભટકતું હોય છે. જો ઉપર જણાવેલ ગુણો હોય તે જીવ પ્રવ્રજ્યા સ્વીકારીને એકાગ્ર ચિત્તે જ્ઞાનયોગ આરાધી શકે છે અને દીક્ષિત જીવનમાં છઠ્ઠા- સાતમા ગુણસ્થાનકે સારંભ ધરમોનો સંન્યાસ છે જ પરંતુ ઓપચારિક હોવાથી અતાત્વિક છે અને આઠમા ગુણસ્થાનકથી ક્ષાયોપશમીક ભાવવાળા ધર્મોનો સંન્યાસ એ તાત્વિક ધર્મસન્ન્યાસ છે.
(અણસમજથી ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાય ગયેલ હોય તો મિચ્છમી દુક્કડમ )