Wednesday, April 20, 2011

04/20/2011 (Wednesday) Gatha 10

ગાથા ૧૦ પાનું ૪૬-૪૭ ૦૪/૨૦/૨૦૧૧

પ્રવ્રજ્યા લેવાની ઈચ્છાવાળા માટે શાસ્ત્રોમાં ૧૬ લક્ષણો:
  1. આર્યદેશમાં જન્મ પામેલ - જેથી જન્મથીજ લોહીમાં ધર્મના સંસ્કાર હોઈ છે.
  2. વિશિષ્ઠ જ્ઞાતિ અને કુલ થી યુક્ત - તીવ્ર કર્મોદય આવે તો પણ લજ્જા ના કારણે સંયમમાં સ્થિર થાય જાય છે. ઉત્તમ સંસ્કારો પ્રતિકુળતામાં પ્રતિજ્ઞાથી પડતા અટકાવે છે.
  3. લઘુ કર્મી, મંદકર્મી
  4. લઘુ કર્મી હોવા થી નિર્મળ બુદ્ધિવાળો, ભવસુખ, વિષયવાસના અને કષાયો થી નિવૃત.
  5. નીચેની વિચારના દ્વારા ભવની નિર્ગુનતા, અને સંસાર ની અસારતા જાણી છે.
  • મનુષ્યભવની પ્રાપ્તિ મહાદુર્લભ છે
  • જો ચેતવામાં ના આવે તો જન્મ-મરણની પરંપરા વધારવામાં મનુષ્યજન્મ નિમિત બની શકે છે
  • સંસારિક વસ્તુઓ ચંચલ છે. કા એ ચાલી જાય અથવા તેને મૂકીને આપડે જવું પડે છે
  • પાંચ ઈન્દ્રીઓ અને ઇષ્ટ-અનિષ્ટ વિષયો દુઃખના જ હેતુઓ છે
  • જેનો સંયોગ છે તેનો વિયોગ છે. માત્ર તે સર્વેના સંયોગજન્ય પાપજ સાથે આવનાર છે
  • મૃત્યુ ક્ષણ-ક્ષણ નજીક આવી રહ્યું છે. મૃત્યુ એક ક્ષણ પણ રાહ જોતું નથી
  • આ ભવમાં કરેલા કષાયો-પાપો-આરંભ-સમારંભ આડી દુષ્કૃત્યોના વિપકો પરભાવમાં ભયંકર દુઃખદાયી છે


No comments:

Post a Comment