પ્રવ્રજ્યા લેવાની ઈચ્છાવાળા માટે શાસ્ત્રોમાં ૧૬ લક્ષણો:
- આર્યદેશમાં જન્મ પામેલ - જેથી જન્મથીજ લોહીમાં ધર્મના સંસ્કાર હોઈ છે.
- વિશિષ્ઠ જ્ઞાતિ અને કુલ થી યુક્ત - તીવ્ર કર્મોદય આવે તો પણ લજ્જા ના કારણે સંયમમાં સ્થિર થાય જાય છે. ઉત્તમ સંસ્કારો પ્રતિકુળતામાં પ્રતિજ્ઞાથી પડતા અટકાવે છે.
- લઘુ કર્મી, મંદકર્મી
- લઘુ કર્મી હોવા થી નિર્મળ બુદ્ધિવાળો, ભવસુખ, વિષયવાસના અને કષાયો થી નિવૃત.
- નીચેની વિચારના દ્વારા ભવની નિર્ગુનતા, અને સંસાર ની અસારતા જાણી છે.
- મનુષ્યભવની પ્રાપ્તિ મહાદુર્લભ છે
- જો ચેતવામાં ના આવે તો જન્મ-મરણની પરંપરા વધારવામાં મનુષ્યજન્મ નિમિત બની શકે છે
- સંસારિક વસ્તુઓ ચંચલ છે. કા એ ચાલી જાય અથવા તેને મૂકીને આપડે જવું પડે છે
- પાંચ ઈન્દ્રીઓ અને ઇષ્ટ-અનિષ્ટ વિષયો દુઃખના જ હેતુઓ છે
- જેનો સંયોગ છે તેનો વિયોગ છે. માત્ર તે સર્વેના સંયોગજન્ય પાપજ સાથે આવનાર છે
- મૃત્યુ ક્ષણ-ક્ષણ નજીક આવી રહ્યું છે. મૃત્યુ એક ક્ષણ પણ રાહ જોતું નથી
- આ ભવમાં કરેલા કષાયો-પાપો-આરંભ-સમારંભ આડી દુષ્કૃત્યોના વિપકો પરભાવમાં ભયંકર દુઃખદાયી છે
No comments:
Post a Comment