Tuesday, April 12, 2011

04/12/2011 (Tuesday) Pg 40 last pera to Pg 42 last pera


યોગસન્ન્યાસયોગ = આહાર-નિહાર-વિહારરુપ કાયયોગ, ધર્મદેશના આપવા રુપ વચનયોગ અને મનથી પ્રત્યુત્તર આપવા રુપ મનોયોગ એમ ત્રણે યોગોનો સર્વથા નિરોધ કરી અયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે એવા પ્રકારના સામથ્યયોગને યોગસન્ન્યાસયોગ કહે છે. જેનું ફ્ળ અયોગી અવસ્થાની પ્રાપ્તી અને શેષ રહેલા કર્મોને યોગી મુક્ત થાય છે.

ગાથા : ૧૦

સામથ્યયોગ ના બે ભેદ અને તે ક્યારે સંભવી શકે?

૧) ધર્મસન્ન્યાસયોગ સમ્યકદર્શન પુર્વે બીજા અપુર્વકરણકાલે હોય છે.

૨) યોગસન્ન્યાસયોગ કેવલીસમુદઘાત પછી યોગનિરોધ કરે છે તે યોગનિરોધ એટલે યોગસન્ન્યાસયોગ

- સામથ્યયોગ ફ્ક્ત ક્ષપકશ્રેણી મા જ આવે આઠમા ગુ.સ્થા. છે અને આઠમા ગુ.સ્થા. થી શરૂ થાય છે.

- અપુર્વકરણક જીવ આખા સંસારચક્ર માં જીવ બે વાર કરે છે.

૧) પહેલે ગુ.સ્થા. ૨) આઠમા ગુ.સ્થા.

અપૂર્વકરણ = કદાપિ પૂર્વે ન પ્રવર્તેલો શુભ આત્મપરિણામ.

- જેનું ફ઼્ળ ગ્રંથિભેદ છે, અને ગ્રંથિભેદ નું ફ઼્ળ સમ્યકદર્શન છે.

ગ્રંથિભેદ= અપૂર્વ આત્મપરિણામ દ્વારા, અનાદિકાળ ના સુખ નો રાગ અને દુઃખનો દ્વેષ ની ગ્રંથિ ને જીવ તોડે છે, જે કદિ સંધાતી નથી, અને જેથી આત્મા ને તેવા તીવ્રકષાયો નો ઉદય અને બંધ કદિ થતો નથી.

- જેના ફ઼્ળરુપ સમ્યકદર્શન અવશ્ય થાય જ છે, અને પદાર્થનું યથાર્થ સ્વરુપ નું જ્ઞાન થાય છે.

સમ્યકદર્શન = તત્વભૂત પદાર્થોની રુચિરુપ આત્મપરિણામ.

- જે આવવાથી આત્મામાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા એમ પાંચ ગુણો પ્રગટે છે.

- આત્માને અર્વણનીય આનંદ પ્રસરે છે.

- આત્મસ્વરુપની અપૂર્વ અનુભોતિ થાય છે.

- સંસાર નિશ્ર્ચિતરૂપે સિમિત થાય છે.

No comments:

Post a Comment