Monday, April 4, 2011

04/04/2011 (Monday) પ્રાતિભજ્ઞાન - યોગદ્રષ્ટિ સ્વાધ્યાય - ગાથા ૮


એપ્રિલ ૪, ૨૦૧૧ - સોમવાળ પાનાં # ૩૪,૩૫,૩૬,૩૭.

પ્રાતિભજ્ઞાન - આત્મ પ્રતિભાથી પ્રગટેલુ જ્ઞાન, અલ્પ માત્ર પણ મર્યાદા ને ઓળંગ્યા વિના યથાર્થ મુક્તિના માર્ગને અનુસરનારું એવું પ્રકૃષ્ટ =શ્રેષ્ઠતમ =અપૂર્વ તત્વચિંતન નામનું વિશિષ્ટ જ્ઞાન . આ જ્ઞાન છે તો શ્રુતજ્ઞાન પણ પ્રાતિભ જ્ઞાન સ્વરૂપ અમુલ્ય તત્વચિંતન એ જ્ઞાનાવરનીય ઉપરાંત મોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમ બળે અને ક્ષય બળે થાય છે. આથી વસ્ત્તુના સ્વરૂપને જાણવા માત્ર રૂપ શ્રુતજ્ઞાન કરતાં અનુભવાત્મક રૂપે અધિક હોવાથી આ જ્ઞાન શ્રુતજ્ઞાન નથી પરંતુ શ્રુતજ્ઞાન થી અધિક અર્થાત શ્રુતજ્ઞાન ના અંતિમ સીમાડા વર્તી છે અને કેવલજ્ઞાન ની પ્રાપ્તિનાં પૂર્વકાલ વર્તી છે ॰
પ્રતિભા જ્ઞાન - ૮ થી ૧૨ ગુણસ્થાનક માં શ્રપક શ્રેણી કાળે જ આત્માનુભવ -ગોચર અને શબ્દોથી અવાચ્ય , જ્ઞાના વરણીય અને મોહનીય કર્મ ના ક્ષયોપશમ જન્ય તથા મોહનીય કર્મ ના ક્ષય જન્ય જે આત્માનુભવ થાય છે તે પ્રાતિભ જ્ઞાન.. આ પ્રાતિભ જ્ઞાન યુક્ત , વાણીથી અગોચર આ અનુભવાત્મક સામર્થ્ય યોગ કેવલ જ્ઞાનાદિ નું પ્રબળ સાધન બને છે .

ગુરૂ મુખે શાસ્ત્ર શ્રવણથી મુક્તિ ના ઉપાયભૂત સમ્યગદર્શન , સમ્ય ગજ્ઞાન , સમ્ય ગચારિત્ર ગુણોનું સ્વરૂપ જાણવા મળે છે . પરંતુ અનુભવ મેળવી શકતો નથી . પણ ઉપયોનું બરોબર જ્ઞાન થવાથી અને અદમ્ય પુરુષાર્થ થી આત્માનુભવ નો પ્રકાશ થાય છે. અને આ આત્માનુભવ એ જ પ્રાતીભ જ્ઞાન . અને આ જ્ઞાનપૂર્વક આત્મવિર્ય વડે મોહનો નાશ કરતો ક્ષપક શ્રેણી માં આરૂઠ થાય છે અને પ્રાતીભ જ્ઞાન યુક્ત એવા આત્માનુભવ રૂપ અપૂર્વ -તત્વચિંતન મય સામર્થ્ય યોગ ના બળે મોહનીય કર્મની નિર્જરા કરી ક્ષીણ મોહ ગુણસ્થાનકે આવી ઘનઘાતી કર્મો ખપાવી તેરમે ગુણસ્થાનકે જઈને કેવલયવસ્થા ને અક્ષેપે પ્રાપ્ત કરે છે.

સામર્થ્ય યોગ ના બે ભેદ - ધર્મ સંન્યાસ અને યોગસન્ન્યાસ.
ધર્મ (ક્ષાયોપશમીક ભાવ ) નો સંન્યાસ (ત્યાગ) એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે તે યોગ ધર્મ સનન્યાસ .

યોગ (મન, વચન, કાય યોગ )નો સનન્યાસ (ત્યાગ) એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે તે યોગસન્ન્યાસ .

(અણસમજ થી ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છમી દૂ ક્કડમ ).

No comments:

Post a Comment