જે વસ્તુનું વર્ણન શાસ્ત્ર થી સંભળાતું હોય છે, ત્યારે તેનું જ્ઞાન માત્ર જ થાય છે, અનુભવ થતો નથી, આ કારણથી જ્ઞાન મેળવ્યા પછી અનુભવ કરવો પડે છે, એ જ રીતે શાસ્ત્રયોગથી મુક્તિપદ ની પ્રાપ્તિનાં કારણોનું જ્ઞાન માત્ર જ થાય છે. અનુભવ થતો નથી. જ્ઞાન મેળવ્યા પછી અનુભવ કરવો પડે છે. તેથી જે અનુભવ કરવો પડે છે. તેથી જે અનુભવ કરવો એ જ સાર્મથ્યયોગ છે.
સારાંશ કે જેમ ડોક્ટરને બધી દવાઓનું જ્ઞાન છે, પરંતુ સ્વાનુભવ નથી. સ્વાનુભવ તો ત્યારે જ થાય છે કે જ્યારે પોતે દવા લે છે. તેમ અહીં શાસ્ત્રાશ્રવણકાલે વિષયનું શાસ્ત્રીય જ્ઞાન થાય છે. પરંતુ સ્વાનુભવ થતો નથી. સ્વાનુભવ તો જ્ઞાન પછી કરવો પડે છે.
No comments:
Post a Comment