Wednesday, March 23, 2011

03/23/2011 (Wednesday) Gatha 5

ગાથા ૫ પાનું ૨૮ ૦૩/૨૩/૨૦૧૧

સામર્થ્યયોગ ની વિશેષતા:
  • સામર્થ્યયોગ શાસ્ત્રના વિષયથી પર છે.
  • માર્ગ પહેલા દુર-દુર, લાંબો-લાંબો, અને મુશ્કેલ દેખાતો હતો તેજ હવે નજીક, ટુંકો અને સરળ દેખાવા લાગે છે.
  • મોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી શક્તિનો ઉદ્રેક થાય છે.
  • આત્માનુભવના બળે શ્રેણીમાં આરૂઢ થાય છે.
  • શાસ્ત્રના વિષયના ઉલ્લંઘન કરવાવાળો નથી.
  • ઈચ્છાયોગ અને શાસ્ત્રયોગના બલિષ્ઠ સેવન થી આ જીવ સામર્થ્યયોગમાં આરૂઢ થાય છે.
  • સામર્થ્યયોગ એ ત્રણેય યોગમાં પ્રધાન છે, શ્રેષ્ઠ છે, શિરોમણી છે, કારણકે તે વિના વિલંબે મુક્તિ અપાવે છે
  • ઈચ્છાયોગ અને શાસ્ત્રયોગ મુક્તિમાં પરંપરા કારણ હોવાથી તેમાં વિલંબ થાય છે.
યોગ અને પ્રધાન કારણ:
  • ઈચ્છાયોગમાં ઈચ્છાની પ્રધાનતા છે.
  • શાસ્ત્રયોગમાં શાસ્ત્રની પ્રધાનતા છે.
  • સામર્થ્યયોગમાં આત્માનુભવની પ્રધાનતા છે.



No comments:

Post a Comment