સામર્થ્યયોગ ની વિશેષતા:
- સામર્થ્યયોગ શાસ્ત્રના વિષયથી પર છે.
- માર્ગ પહેલા દુર-દુર, લાંબો-લાંબો, અને મુશ્કેલ દેખાતો હતો તેજ હવે નજીક, ટુંકો અને સરળ દેખાવા લાગે છે.
- મોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી શક્તિનો ઉદ્રેક થાય છે.
- આત્માનુભવના બળે શ્રેણીમાં આરૂઢ થાય છે.
- શાસ્ત્રના વિષયના ઉલ્લંઘન કરવાવાળો નથી.
- ઈચ્છાયોગ અને શાસ્ત્રયોગના બલિષ્ઠ સેવન થી આ જીવ સામર્થ્યયોગમાં આરૂઢ થાય છે.
- સામર્થ્યયોગ એ ત્રણેય યોગમાં પ્રધાન છે, શ્રેષ્ઠ છે, શિરોમણી છે, કારણકે તે વિના વિલંબે મુક્તિ અપાવે છે
- ઈચ્છાયોગ અને શાસ્ત્રયોગ મુક્તિમાં પરંપરા કારણ હોવાથી તેમાં વિલંબ થાય છે.
યોગ અને પ્રધાન કારણ:
- ઈચ્છાયોગમાં ઈચ્છાની પ્રધાનતા છે.
- શાસ્ત્રયોગમાં શાસ્ત્રની પ્રધાનતા છે.
- સામર્થ્યયોગમાં આત્માનુભવની પ્રધાનતા છે.
No comments:
Post a Comment