Monday, March 28, 2011

03/28/2011 (Monday) સામર્થ્યયોગ - ગાથા ૬,૭.

માર્ચ ૨૮, ૨૦૧૧ , સોમવાર . પાનાં # ૨૯,૩૦,૩૧.

સર્વકર્મક્ષય જન્ય મુક્તિ પદના કારણો સામ્યગ દર્શન, સમ્યજ્ઞાન અને સમયગચરિત્ર શાસ્ત્રમાં કહ્યા છે અને તેના અનંત ભેદો અને પ્રતિભેદો છે. આ સર્વે પરમાર્થ પણે શાસ્ત્રથીજ જણાય એવો નિયમ નથી કારણકે શાસ્ત્ર દિશાસૂચક છે. શાસ્ત્રની આ મર્યાદા છે. તેના પછી આત્માના અનુભવરૂપ આત્મ -સમર્થથી જ આગળ વધવાનું હોય છે.

શાસ્ત્ર્યોગની સીમા પૂર્ણ થાય ત્યાથી શાસ્ત્રયોગ દ્વારા જ પરિપક્વ બનેલો આ આત્મા સામાર્યથ્યયોગ વાળો બને છે અને ક્ષપક શ્રેણી ચઢે છે . કેવલજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત કરે છે.

શાસ્ત્રયોગ ની મર્યાદાનું કારણ - દર્શન , જ્ઞાન અને ચરિત્રાદીરૂપ મુક્તિના કારણો અને તે કારણ નું જ્ઞાન જ્ઞાનવરણીય અને મોહનીયના ક્ષયોપશમની હિનાધિકતાના પ્રમાણે અનંત ભેદાત્મક છે અને આ ભેદો આત્માની શક્તિ સિવાય સમજી શકાતા નથી.

શાસ્ત્ર શ્રવણથી દ્રવ્યની શક્તિનું જ્ઞાન થયી શકે છે પરંતુ અનુભવ થતો નથી કારણકે શ્રુતજ્ઞાન પરોક્ષ છે પ્રત્યક્ષ નથી . એ જ રીતે શાસ્ત્રયોગ કાળે સિધ્ધિપદ્દ ની પ્રાપ્તિના કારણ ભૂત સામ્યગદર્શના રત્નાત્રાઈનું શ્રુત જ્ઞાન માત્ર જ થાય છે અનુભવ થતો નથી . અનુભવ કરવા શાસત્રયોગને ઓરંગીને સામર્થ્યયોગમાં જવું પડે છે.

No comments:

Post a Comment