Wednesday, March 2, 2011

03/02/2011 (Wednesday) Gatha 1

પાનાં # ૭ થી ૧૧ . માર્ચ ૨, ૨૦૧૧ બુધવાર
યોગના વિષયને સમજાવતા ગ્રંથોમાં ' યોગદ્રષ્ટિ સમુચ્ચય ' ગ્રંથ સર્વેને
સમન્વય કરે તેવો ગ્રંથ છે.
ગ્રંથના પ્રારંભમાં ૧. મંગલચરણ , ૨ વિષય , ૩ સંબધ , ૪ પ્રયોજન ,
દર્શાવવામાં ત્રણ મુખ્ય કારણો છે .
૧ શિષ્ટ પુરુષોના આચારનું પાલન ૨ વિઘ્નોના સમૂહની શાન્તિ - અને ૩
વિદ્વાન પુરૂષોનો ગ્રંથ પ્રવેશ .
ગ્રંથકાર જીનોત્તમ વીર પ્રભુને ઇચ્છાયોગથી નમસ્કાર કરી યોગને યોગની
દ્ર્ષ્ટિઓના ભેદથી સંક્ષેપમાં સમજાવે છે .
મંગલચરણનું પહેલું કારણ ઈષ્ટદેવને નમસ્કારએ શીષ્ટ પુરુષોનો આચાર છે .
બીજું કારણ વિઘ્નો આવે નહીં તે માટે અને ત્રીજું કારણ વિદ્વાન શરૂઆતમાં
ગ્રંથના પ્રયોજન, વિષય અને સંબંધ જાણી ગ્રંથમાં પ્રવેશ કરે .
શ્રી હરિભદ્રસૂરિજીએ પ્રથમ શ્લોકમાં મંગલ, પ્રયોજન, વિષય અને સંબંધ
જણાવી શિષ્ટ પુરુષોના આચાર પાલન માટે નિર્વિઘ્ન ગ્રંથ સમાપ્તિ માટે અને
તેઓનો ગ્રંથ પ્રવેશ સરર કરી દીધો છે ( અહિયાં ગ્રંથકાર ઈચ્છાયોગથી
નમસ્કારનો ઉલ્લેખ કરીને પોતે શાસ્ત્રયોગ અને સમર્થયોગના અધિકારી નથી તેવી
લઘુતા બતાવે છે )
(લખાણમાં ભૂલ થઈ હોય તો મિચ્છમિડુક્કડમ )॰

No comments:

Post a Comment