Wednesday, April 13, 2011

04/13/2011 (Wednesday) સમ્યગ્દર્શનના ગુણ - આસ્તિકતા, અનુકંપા , નિર્વેદ, સંવેગ, પ્રશમ.

ગાથા 10, પાનાં # ૪૩, ૪૪ . બુધવાર , એપ્રિલ ૧૩,૨૦૧૧.

પ્રથમ અપૂર્વકરણથી (શુભ આત્મપરીનામથી ) જીવ ગ્રંથિ ભેદ કરે છે અને આ ગ્રંથિભેદનું ફળ સમ્યગ્દર્શન છે. એક વખત ગ્રંથિભેદ થયા પછી ગ્રંથિ કદાપિ સંધાતી નથી - ફરીથી જીવ તીવ્ર રાગ-દ્વેષ કરતો નથી. હવે જીવને તીવ્ર કષાયોનો ઉદય નથી કે નવા તીવ્ર કષાયો બંધાતા નથી. આ ગ્રથિ ભેદ એ જ મુક્તિના બીજ રૂપ સમ્યગ્દર્શન નું કારણ છે.

ગ્રંથિભેદ, અનિવૃતિકરણ, અંતરકરણ થી પ્રશમ (કષાયોની ઉપશાન્તિ ), સંવેગ (મોક્ષાભિલાષ), નીર્વેદ (સંસારના સુખોથી પણ ઉદ્વેગ ), અનુકંપા (સ્વ અને પર દયા ), આસ્તિકતા ( સર્વજ્ઞ પરમાત્માના કથનમાં દ્રઢ વિશ્વાસ ), ગૂણો પ્રગટે છે . આ ગૂણો સામ્યગ દર્શન ના ચિન્હો છે . આ ગૂણો નો ક્રમ તેની પ્રધાનતાને લક્ષીને આપેલો છે . પ્રશમ સૌથી વધુ પ્રધાન છે અને તેના પછી અનુક્રમે ઓછા પ્રધાન વારા ગૂણો છે .

પણ આ લક્ષોણીની પ્રાપ્તિમાં આસ્તિકતા ગુણ જીવ પહે લા મેળવે છે. અને પછી ચડતા ક્રમે છેલ્લે પ્રશમ ગુણ મેળવે છે. ગૂણો ની પ્રાપ્તિ આસ્તિકતા થી શરૂ થાય છે. આસ્તિકતા આવવાથી સ્વ-પરની દ્રવ્ય-ભાવ કરુણા આવે છે તેનાથી સંસારની અસારતા જણાય છે અને મોક્ષાભિલાષ થાય છે અને પુરુષાર્થ થી કષયોની મંદતા પ્રાપ્ત કરે છે અને આ ગુણોવાળું આત્મપરીનામ એ જ સમ્યગ્દર્શન છે જે ગ્રંથિભેદ્જન્ય છે.

(ભાષા જોડણી ભૂલો સુધારીને વાંચશો )

ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાયેલું હોય તે મારી અણસમજ ને કારણે છે તે બદલ મિચ્છમી દુક્કડમ .

No comments:

Post a Comment