Thursday, April 7, 2011

સામર્થ્યોગ - ગાથા ૯

ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ માં ઘાતી કર્મો ના ઉદય થી આત્મગુણો આવૃત થયા છે પણ જીવ ઘાતી કર્મો ના ક્ષયોપશમથી આત્મગુણો પ્રગટ કરે છે છતાં મંદરસવાલા કર્મોનો ઉદય ચાલુ હોવાથી અતિચારો અને દોષો લાગે છે . વળી કર્મને મંદ રસવાળા કરવામાં પ્રમાદ આવી જાય તો તે તીવ્રરસે ઉદય માં આવે છે અને પ્રાપ્ત ગુણો પણ પાછા આવૃત થયી જાઈ છે .


સામર્થ્યયોગ માં જીવ ક્ષયોપશમ ભાવના ગુણો રૂપ જે ધર્મો છે તે ધર્મોને આત્માના સામર્થ્યથી ત્યાગ કરે છે કારણકે જીવ આ યોગથી ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં તિવ્ર કે મંદ રસવારા ઘાતી કર્મો નો ક્ષયોપશમ નહીં પણ ક્ષય કરતો જાઈ છે. જેથી ચારે ઘાતિકર્મ ના મંદ ઉદયજન્ય પણ અતિચાર યુક્ત અને ભય યુક્ત ગુણો રૂપ જે ક્ષયોપશમીક ધર્મો હતા તે નાશ પામી જાઈ છે . તેનું જ નામ ધર્મસન્ન્યાસ છે. આનાથી આત્મા નિરતિચાર અને નિર્દોષ ગુણવાળો બને છે આને ક્ષાયિકભાવ કહેવાય છે.


(ગુજરાતી ભાષા લખવામાં ભૂલ થયેલ છે તે સુધારીને વાંચશો )

ભગવાનની આજ્ઞા વિરુદ્ધ અણસમજથી લખાયેલ હોય તો મિચ્છમી દૂકકડમ .

No comments:

Post a Comment