Tuesday, June 28, 2011

06/28/2011 (Tuesday) Page 75 2nd pera, Page 76 1st pera


પ્રશ્ન : ત્રીજીદ્રષ્ટિ માં જણાવેલ પ્રીતિ અનુષ્ઠાન અને ચોથી દ્રષ્ટિ માં જણાવેલ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન એમ ઉભયગુણયુક્ત અનુષ્ઠાન માં શો તફાવત છે?

જવાબ: પ્રેમભાવ-સ્નેહભાવ-મમતા તે પ્રીતિ કહેવાય છે. પૂજ્યભાવ-અહોભાવ-વંદનીયભાવ-બહુમાનભાવ ભક્તિ કહેવાય છે.

દા.. પુરુષ ને પોતાની પત્ની પ્રત્યે પ્રીતિ હોઈ છે, અને માતા પ્રત્યે પૂજ્ય ભાવ હોઈ છે, આમ ત્રીજી દ્રષ્ટિ કાલે જીવ ધર્મઅનુષ્ઠાન પ્રીતિ ભાવથી અને ચોથી દ્રષ્ટિ માં ધર્મઅનુષ્ઠાન પ્રીતિ-ભક્તિ એમ ઉભયભાવ થી કરે છે.

પ્રશ્ન : ચોથી દ્રષ્ટિમાં જ્ઞાનપ્રકાશ દીપકની પ્રભાસમાન કહ્યો તેમાં સ્થિતિની દીર્ઘતા અને વીર્યની તીવ્ર્તાદી સિવાય બીજું કોઈ અધિક કારણ હોઈ શકે?

જવાબ: જ્ઞાનપ્રકાશ દીર્ઘસ્થીતી અને તીવ્ર-સામર્થ્યવાળો હોવા છતાં રત્ન-તારા-સૂર્ય-ચંદ્રની પ્રભા કરતા વિલક્ષણ છે.

- દીપક ની પ્રભા તેલ-વાત-કોડિયું-સાનુકુળ પવન આડી પર પરવશ છે, પરાધીન છે,

- વાયુવડે પરાભાવનીય છે, અસ્થિર છે, બુઝવાવાળી, જ્યોત હાની-વૃદ્ધિ પામનાર છે,

- જયારે પાંચમી દ્રષ્ટિ ની પછીની દ્રષ્ટિ ની પછીની દ્રષ્ટિઓ માં પ્રભા સ્વતંત્ર છે, સ્વાધીન છે, અપરાભવનીય છે,

- આમ, તૃણ આદિ ના અગ્નિકણ થી અધિક અને રત્ન આદિ ની પ્રભા થી હીન પ્રભા હોઈ છે.

સ્થિરાદ્રષ્ટિ(પાંચમી), રાગ-દ્વેષ ની ગાંઠ જેમને ભેદી છે સમ્યક્દ્રષ્ટિ મહાત્મા ને પ્રાપ્ત થાય છે.
જેનો જ્ઞાન પ્રકાશ રત્ન ની પ્રભા સમાન, ભાવ થી અપ્રતિપાતી( પડવાના)સ્વભાવવાળો,વૃદ્ધિ પામનારો,અપાય(પતનાદીના ભય) વિનાનો, અન્ય ને પરિતાપ આપનારો, નિર્દોષ, સહજ આનદ નું કારણ, પ્રણીધાન આદિ આશયો ના બીજભૂત હોઈ છે.

Monday, June 27, 2011

06/27/2011 (Monday) Gatha 15

ગાથા ૧૫ પાનું ૭૪-૭૫ ૦૬/૨૭/૨૦૧૧
ચોથી દીપ્રાદ્રષ્ટિમાં:
  • પ્રથમની ત્રણ દ્રષ્ટિ કરતાં વિશિષ્ટ બોધ હોય છે
  • દીપકની પ્રભા સમાન બોધ હોય છે
  • દીર્ઘ સ્થિતિ અને તીવ્રસામર્થ્યવાળો બોધ હોય છે
  • મિથ્યાત્વનો ઉદય અતિશય મંદ હોય છે
  • પરમસુખની પ્રાપ્તિ માટેનો બોધ વધતો જાય છે
  • ઇન્દ્રિય સુખ ની ઘેલછા તૂટતી જાય છે
  • આત્મજ્ઞાનનો પ્રકાશ દીપકની પ્રભાની જેમ ચિરસ્થાયી અને બળવાન બનતો જાય છે
  • જ્ઞાનના આવરણનો ક્ષયોપશમ + ગાઢ સંસ્કારોનું આધાન = વંદનાદિ ધર્મક્રિયાના પ્રયોગકાલે અતિશય પટુતાવાળી સ્મૃતિ થાય છે
  • અધ્યાત્મજ્ઞાનની પરાકાષ્ઠા વૃદ્ધિ પામવાથી મોહને (વિષય-કષાયની વાસના સંબંધી રાગ-દ્વેષની ગાંઠને) તોડવાનો પ્રબળ પુરુષાર્થ ધર્મની પ્રીતિ થી કરે છે.
  • ધર્માનુષ્ઠાનો પ્રત્યે પ્રીતીભાવ હોવા છતાં + અદમ્ય ઉત્સાહ રૂપ પ્રબળ પુરુષાર્થ કરવાનો પ્રયત્ન હોવા છતાં પણ હજુ પ્રથમ ગુણસ્થાનક હોવાથી વંદનાદિ ધર્મક્રિયામાં દ્રવ્યપ્રયોગ હોય છે, કારણકે સમ્યક્ત્વ ન હોવાના કારણે ભાવક્રિયા નથી
  • દ્રવ્યક્રિયા ચડતા ચડતા પરિણામ વળી ભાવક્રિયાભીમુખ થતી જાય છે
  • ધર્મ અનુષ્ઠાનો પ્રત્યે જ્ઞાનની ઝલક વધતા પ્રીતિ અને શ્રદ્ધાપૂર્વકની અપૂર્વ ભક્તિ પ્રગટે છે
  • અપૂર્વ = પ્રીતિ + ભક્તિ ઉભયભાવ
  • ખરું મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે = પ્રીતિ-ભક્તિ ઉભયપૂર્વકના ધર્માનુષ્ઠાનનું આચરણ, તેના પ્રત્યે પરમ શ્રદ્ધા, અને તે સંબંધી અપૂર્વબોધ એમ ગુણોનો વધુ વિકાસ થવો
મિથ્યાત્વ અવસ્થામાં ચોથી દ્રષ્ટિ આવે ત્યારે જ ગુણોનો પ્રકર્ષ વધે છે
અપૂર્વકરણ-ગ્રંથીભેદ-અનિવૃત્તિકરણ ચોથી દ્રષ્ટિનો વેગ વધતા સહજ અને સરળતાથી થઇ જાય છે

(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)

Wednesday, June 15, 2011

06/15/2011 (Wednesday) મિત્રા, તારા અને બલા દ્રષ્ટિ . - ગાથા ૧૫ . - પાનાં # ૭૧,૭૨,૭૩,૭૪.

જૂન ૧૫ , ૨૦૧૧ - બુધવાર .

મિત્રા દ્રષ્ટિ - બોધ - જ્ઞાન પ્રકાશ તૃણ ના અગ્નિના કણ સરખો. અલ્પ વીર્યવાન, તાત્વિકપને ધર્મ કાર્ય કરવા સમર્થ નથી . માત્ર દ્રવ્યથી ધર્મ કાર્ય હોય શકે . મિત્રા દ્રષ્ટિ અલ્પ પણ પ્રકાશવાળી હોવાથી ઓઘદ્રષ્ટિ થી જુદી પડે છે અને વસ્ત્તુના યથાર્થ બોધ તરફ લઈ જાઈ છે માટે તેને યોગદ્રષ્ટિ કહે છે.તૃણ ના અગ્નિનો આ કણ અલ્પસ્થિતિ , અલ્પવિર્ય વાળો હોવાથી સૂક્ષ્મ પદાર્થોને જણાવવામાં અસમર્થ છે અને તેનાથી કાર્ય અધૂરું જ રહે છે. પણ જો આ અલ્પ પ્રકાશ વૃધ્ધિ પામે તો આત્માને વિતરાગાવસ્થા સુધી લઈ જાઈ છે.

તારાદ્રષ્ટિ - બોધ છાણના અગ્નિકન જેવો હોય છે. જે તૃણ ના અગ્નિ કણ કરતાં સતેજ હોય છે તેથી મિત્રા કરતાં તારામાં બોધ વધારે સતેજ હોય છે પણ આ ભેદ અંશમાત્ર હોય છે . અહી પણ બોધ અલ્પકાળ , મંદ વીર્ય વાન અને વિકલતવાળો હોય છે તેથી જીવ ભાવયુક્ત ધર્મ ક્રિયા ના કાર્યને કરવા સમર્થ નથી . પણ મિત્રા દ્રષ્ટિ કરતાં પ્રકાશ સતેજ છે અને અનાદિની ઓઘદ્રષ્ટિ માથી જીવ ને બહાર આવવામાં મદદ કરે છે.

બલા દ્રષ્ટિ - બોધ કાષ્ઠ ના અગ્નિ કણ સમાન હોય છે અને મિત્રા , તારા દ્રષ્ટિ ના બોધ કરતાં વિશિષ્ઠ હોય છે. ચિર સ્થાયી , વધારે શક્તિ સંપન્ન હોય છે તેથી જોવાનું, વાંચવાનું , લખવાનું ધર્મ કાર્ય થઈ શકે છે . મિત્રા, તારા કરતાં બલાદ્રષ્ટિમાં મિથ્યાત્વ મોહનીય નો ઉદય વધારે મંદ થવાથી અને જ્ઞાનવરણીય કર્મ નો ક્ષયોપશમ વૃધ્ધિ થવાથી અહી બોધ વધારે સામર્થ્ય વાળો અને દીર્ઘકાલ રહે તેવો હોય છે અને તેથી તેના સંસ્કાર વધારે મજબૂત પડે છે અને ધર્મ ક્રિયા વખતે તેનો પ્રભાવ પડે છે અને ધર્મક્રિયા માં પ્રીતિભાવ થાય છે. અત્યાર સુધી મિથ્યાત્વની તીર્વતા ના લીધે પૌદગલિક સુખ અને સાધનો પ્રત્યે રાગ હતો તેને બદલે મિથ્યાત્વ મંદ પડવાથી ધર્માનુષ્ઠાનો પ્રત્યે પ્રીતિભાવ જાગે છે અને પ્રીતિ અનુષ્ઠાન શરૂ થાય છે.

( અણસમજથી ભગવાન ની આજ્ઞા વિરુધ્ધ લખાય ગયું હોય તો મિચ્છમી દુકકડમ )
ટાઇપ કરવામાં ભૂલો છે તે સુધારીને વાંચવા વિનંતી .

Tuesday, June 14, 2011

06/14/2011 (Tuesday) ગાથા ૧૫, પાનાં નં ૭૦ ,૭૧,૭૨,મિત્રા દ્રષ્ટિ ૬/૧૪/૧૧

આ ગાથા માં સદદૃષ્ટિવાળા (યોગ્દ્દૃષ્ટીવાળા) આત્માની આઠ દ્દૃષ્ટિ ના નામ અને એમાં તેના બોધ -પ્રકાશની સમાનતા ની ઉપમાઓ જણાવેલ છે. તે નીચે પ્રમાણે છે.
૧)મિત્રાદૃષ્ટિ -એક તૃણ અથવા ઘાસ(a single blade of grass not a bunch)ની અગ્નિના કણ(તણખલાની) ઉપમા સરખો
૨)તારાદૃષ્ટિ - ગોમય અથવા છાણાં ની અગ્નિ ના કણની ઉપમા સરખો બોધ -પ્રકાશ
૩)બલાદૃષ્ટિ - કાષ્ટના અથવા લાકડાના અગ્નિના કણની Remove Formatting from selection " " બોધ -પ્રકાશ
૪) દીપ્રાદૃષ્ટિ - દિપકના પ્રકાશની ઉપમાવાળો બોધ
૫) સ્થિરાદૃષ્ટિ - રત્નની પ્રભાની ઉપમાવાળો બોધ
૬) કાન્તાદૃષ્ટિ - તારાની પ્રભાની ઉપમાવાળો બોધ
૭) પ્રભાદૃષ્ટિ - સૂર્યની પ્રભાની " "
૮) પરા દૃષ્ટિ - ચંદ્રની પ્રભાની " "

મિત્રાદૃષ્ટિ: કેવલ પૌદગલિક સુખ તરફની અનાદિકાળની અંધકરવાળી ઓઘદૃષ્ટિ (અસદદૃષ્ટિ) માં થી જ્યારે મિથ્યાત્વ થોડુ મોળુ પડે ત્યારે ત્યાથી નિકળી ને આત્મા ચરમાવર્તમાં પ્રવેશીને મોક્ષ તરફ વળવાનો પ્રયાસ શરૂ કરે છે અને પહેલી યોગદૃષ્ટિ (સદદૃષ્ટિ)વાળો થાય છે. આ પહેલી મિત્રાદૃષ્ટિના પગથિયા ઉપર ધીમે ધીમે ચઢીને વીતરાગતા તરફ જઈ છેલ્લી પરાદૃષ્ટિવાળો બને છે. જેમ ગાઢ અંધકાર માં એક તૃણ ની અગ્નિકણ નો અલ્પ પ્રકાશ નો ચમકારો દિશા બતાવે છે ભલે અલ્પ જ સમય માટે, તેમ જ ગાઢ મિથ્યાત્વના અજ્ઞાનના અંધકારમાં થી અલ્પ આધ્યાત્મિક સુખની લગની નો પ્રકાશ(બોધ/જ્ઞાન ) આત્મા ને બહારની બદલે અંતર સ્વરૂપ તરફ વળવાની દિશા બતાવે છે જે પહેલા ન હતી. બોધ ઓછો છે પણ સાવ ન હતો તેના થી તો વધારે છે. આ બોધ અલ્પસમય અને અલ્પવીર્ય વાળો હોવાથી ધર્મક્રિયા વગરે કરે, પણ અધૂરી રહે. ભાવ ટકે નહીં તેથી દ્રવ્ય (mechanical) ક્રિયા થઈ ને રહી જાય છે. છતા થોડો તો થોડો પણ પ્રકાશ હોવાથી અંધારી ઓઘદૃષ્ટિ થી ભિન્ન મિત્રાયોગદૃષ્ટિવાળો આ જીવાત્મા યોગી જ કહેવાય છે.

"મારા થી ભૂલ થઈ હોય તો મિચ્છમી દુક્કડમ"-વિભા

Wednesday, June 8, 2011

06/08/2011 (Wednesday) Gatha 14

ગાથા ૧૫ પાનું ૬૯ ૦૬/૦૮/૨૦૧૧










(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)

Tuesday, June 7, 2011

06/07/2011 (Tuesday) [Yog Drashti Sammuchay] june7 gatha 14, page 66.67



(૫) ચારિ(ઘાસ ચારાને) ચરક (ચરનાર) પરંતુ સંજીવની ને અચરક(ન ચરનાર) એવા આ બળદ ને ચારણ(ચરાવનાર) નિત્યા (ન્યાય વડે) યોગી મહાત્મા ઓ પરોપકાર કરે છે.






આ રીતે મિત્રા વગેરે પહેલી ચાર દ્રષ્ટિ સમયે દ્રષ્ટિ ભેદ હોય છે. પરંતુ સ્થિરા વગેરે પાછળ ની ચાર દ્રષ્ટિ ના સમયે આવા પ્રકાર નો દ્ર્શ્તિભેદ હોતો નથી


Wednesday, June 1, 2011

06/01/2011 (Wednesday) and 06/06/2011 (Monday) ઓઘદ્રષ્ટિ


ગાથા ૧૪ , સ્વાધ્યાય - જૂન ૧ અને ૬ , ૨૦૧૧ , બુધવાર અને સોમવાર .
પાનાં # ૬૩,૬૪,૬૫,૬૬.

ગ્રંથકારે જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમ અને મોહનીય કર્મના ઉદયને લીધે સંસારી જીવ ની સત્ય સમજવાની દ્રષ્ટિ તરતમાતા વાળી હોય છે તે સમજાવવા માટે જીવની ઇન્દ્રિય થી સમજવાની શક્તિનો દાખલો આપ્યો છે - સમેઘા રાત્રિ, અમેઘા રાત્રિ, સમેઘ દિવસ,અમેઘ દિવસ,ગ્રહવેશયુક્ત દ્રષ્ટા , ગ્રહવેષરહિત દ્રષ્ટા, અભ્રક દ્રષ્ટા, અન ર્ભક્દ્રષ્ટા , મિથ્યા દ્રષ્ટિ - આમાં પ્રથમ ચાર ભેદો કાળને આશ્રયી છે અને પાંચથી આઠ સુધીના ભેદો દેખનાર વ્યક્તિને આશ્રયી છે અને છેલ્લા બે ભેદો લોચનને આશ્રયી છે.

પુદગલનાંદી જીવની દ્રષ્ટિ સામાન્યપણે પુદગલોના સુખ તરફની હોય છે તે ઓઘદ્રષ્ટિ . આ ઓઘદ્રષ્ટિ પ્રથમ ગુણસ્થાનકે આપુંબર્ધકવસ્થા પ્રાપ્ત થતાં પૂર્વે જ સમાપ્ત થયી જાય છે. અને યોગદ્રષ્ટિ શરૂ થાય છે. પૌદગલિક સુખમાં, દુખ દેખાવા લાગે ત્યારે જીવ ચરમાવર્ત માં પ્રવેશ કરે છે અને ક્રમશઃ અપૂન્બર્ધક બને છે. ચર્મવર્તના પૂર્વના અર્ધભાગ માં મિત્રા,તારા,બલા , દિપ્રા દ્રષ્ટિ હોય છે. અચર્મવર્ત માં અને ચર્મવર્તના પૂર્વાર્ધમાં જીવને જ્ઞાનવરણીય કર્મની ક્ષયોપશમ ની તરતમતાં ને લીધે અને મિથ્યાત્વ ના ઉદયને કારણે દર્શનભેદ અર્થાત પ્રતિપતિભેદ હોય છે.

કર્મની મંદતાને લીધે જીવ અપૂર્વકર્ણ , અનિવૃતિકરણ, અંતરકરણ કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. સમયગદ્રષ્ટિ જીવ સ્થિરા, કાંતા, પ્રભા, પરા દ્રષ્ટિમાં વર્તનાર છે. અને તેમને પ્રતિ પત્તિ ભેદ હોતો નથી અને આ યોગી મહાત્માઓની પ્રવૃત્તિ પણ પરોપકાર માટે હોય છે . તેઓ પોતાની સંપત્તિ પરના ઉપકાર માં જોડે છે અને પોતાને જે પરમાર્થ તત્વનો લાભ થયેલ છે તે બીજા જીવોને પણ મળે તે માટે પ્રયત્ન કરે છે.

આ પ્રયત્ન પાછળ પાંચ મુખ્ય કારણ છે.

૧ . શુધ્ધબોધ ભાવેન - નિશ્ચય અને વ્યવહાર નયોની અપેક્ષા સમજાઈ હોવાથી શુધ્ધ બોધ છે. જ્ઞાન નિર્મળ છે. દ્રષ્ટિ સાપેક્ષ છે. તેથી પરમાર્થ તત્વનો પ્રેમ જાગે છે. અધ્યાત્મિક દ્રષ્ટિ વિકસે છે અને પરોપકાર કરવા તરફ પ્રવૃત્તિ કરે છે.

૨. વિનિવૃત્તગ્રહતયા - સાપેક્ષ દ્રષ્ટિ હોવાથી કદાગ્રહ નથી . દ્રષ્ટિ નિર્મળ , વિશાળ છે. અને પરમાર્થ તત્વ પ્રત્યેના પ્રેમથી પરોપકાર પારાયણ બને છે.

૩. માઈત્ર્યદિપરત ન્ત્રએન - સમ્યકત્વના પ્રતાપે કષયોની મંદતા છે તેથી મૈત્રી-પ્રમોદ-કરુણા અને મધ્યસ્થા ભાવોથી દર્શન ભેદનો ત્યાગ કરી પરોપકાર કરવામાં જીવ પ્રવર્તે છે.

૪. ગંભીરોદરાશયત્વત - સ્થિરાદિ દ્રષ્ટિમાં આવેલ જીવો ક્ષમા આપનાર હોય છે. અન્યના અવિનયાદીને ભૂલી જઈને પરોપકારી હોય છે.

૫. - બાલ જીવો નું હિત-કલ્યાણ થાય તે રીતે સદા ધર્મ શ્રવણ કરાવે છે.

નોંધ :

પ્રતિપત્તિ - મીમાંસા કરતાં સાચા બોધનો સ્વીકાર કરવો .
મીમાંસા - તત્વબોધ થવાથી તે સંબંધી સૂક્ષ્મવિચારણા કરી સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું .
દર્શનભેદ - ( શ્રી યોગદ્રષ્ટિ સમુચ્ચય - પાનાં #૬૫ ) પ્રથમ ચાર દ્રષ્ટિ વખતે જીવ સાચા તત્વ નો બોધ સ્વીકારે છે પરંતુ જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ અને દર્શનમોહના ઉદયને લીધે તત્વબોધનો પોતાની માન્યતા પ્રમાણે સ્વીકારે છે તેનાથી દર્શનભેદ રહે છે .


(સ્વાધ્યાય લખવામાં અણસમજ થી ભૂલ થયેલ હોય તો મિચ્છમી દુક્કડમ .)