Monday, March 26, 2012

પ્રાતિભ જ્ઞાન વિષે સમજણ અને સામર્થ્ય યોગ ના ભાગો

પ્રાતિભ જ્ઞાન એ શ્રુત જ્ઞાન ના અંતે અને કેવળ જ્ઞાન ની પહેલા થતું સીમાડા રૂપી જ્ઞાન છે એટલે એ શ્રુતજ્ઞાન (તત્વથી વિચારતા) જ છે પરંતું આ જ્ઞાન મોહનીયના વિશિષ્ટ ક્ષયોપક્ષમ યુક્ત એવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમવાળું હોવાથી અતિ વિશિષ્ટ શ્રુત છે. આ જ્ઞાન ૮ થી ૧૨ ગુણસ્થાનકવાળા જીવને જ થાય છે અને તે પણ ક્ષપક શ્રેણી માં જ થાય છે.
બીજા દર્શનકારો પણ "તારક" અને "નિરીક્ષણ" વગેરે શબ્દોથી આ અપૂર્વ જ્ઞાનને સ્વીકારે છે. પૂ. યશોવિજયજી મ.શ્રીએ કહ્યું છે કે જેમ રાત્રી અને દિવસ ની સંધ્યા જુદી હોય છે તેમ આ પ્રાતીભ જ્ઞાન શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાનથી ભિન્ન છે.
ગાથા ૯ માં સામર્થ્ય યોગ ના બે ભેદો બતાવે છે,
૧. ધર્મસન્યાસ ૨. યોગ સંન્યાસ
અહીં ક્ષયોપશામિક ભાવોના ભેદો એ ધર્મ અને મન વચન અને કાયા ની ક્રિયા(પ્રવૃત્તિ) એ યોગ એમ સમજવું .
ધર્મ એટલે જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતીકર્મોના ક્ષયોપક્ષમથી થતા ચાર જ્ઞાન (કેવળ જ્ઞાન નહિ લેવાનું) ત્રણ દર્શન (કેવળ દર્શન નહિ લેવાનું).મોહનીય કર્મના ક્ષયોપક્ષમિક ભાવવાળા ગુણો (ક્ષમા,નમ્રતા,સરળતા,સંતોષ વગેરે ) તથા ક્ષયોપક્ષમિક ભાવની દાન વગેરે પાંચ લબ્ધિ વગેરે તત્ત્વાર્થ સુત્ર માં જણાવેલા ૧૮ ધર્મો.
સંન્યાસ એટલે ત્યાગ કરવો
(યોગ ઉપર સમજાવેલ જ છે )
ક્ષયોપક્ષમ એટલે ઉદયમાં આવેલ કર્મ ના રસ ને તીવ્રમાંથી મંદ કરી બોગાવીને ક્ષય કરવો અને તેજ સમયે ના ઉદયમાં આવેલ કર્મને ઉદીરણા વગેરે બળ વડે ઉદયમાં ન આવી શકે એવી સ્થિતિમાં મુકવા તે ઉપશમ.
એમ ક્ષય અને ઉપશમ બંને જ્યાં સાથે છે તે ક્ષયોપક્ષમ.
ઔદયિકભાવ એટલે ચાર ઘાતિ કર્મો જેવા પ્રકારના તીવ્ર રસે બાંધ્યા હોય તેવા તીવ્ર રસે ઉદયમાં આવે અને તેવાજ તીવ્ર રસે ભોગવાય.
ઔદયિકભાવ આત્માના સ્વરૂપને રોકનારા દુર્ગુણો છે. આત્માની વિભાવ દશા છે. આ ભાવો ત્યજવા લાયક છે. તેથી તેને દુર કરવા શુભ આલંબન દ્વારા ઉદયમાં આવવાળાકર્મોમાં જે તીવ્ર રસ છે તેને હણીને મંદ કરવામાં આવે કે જેથી તે કર્મો ઉદયમાં આવે ત્યારે પણ આત્માના ગુણોને હણવાની શક્તિવાળા રહેતા નથી માત્ર
પ્રગટ થયેલા આત્માના ગુણોમાં દોષો-કલંકો અને અતિચારો લાવવાની શક્તિવાળા જ હોય છે. અને આને ક્ષયોપશમ ભાવ કહેવાય છે.

મંદ બુદ્ધિ ના કારણે જીન આજ્ઞા થી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

Sunday, March 25, 2012

5/24/11 ગાથા 12,૧૩,અને ૧૪ દ્રષ્ટિની વ્યાખ્યા

અહીં ત્રણ યોગ (ઈચ્છા,શાસ્ત્ર અને સામર્થ્ય) જે આઠ દ્રષ્ટિ (મિત્ર,બલા,તારા વગેરે) ના પાયારૂપ છે તેને મજબુત કરીને હવે તે યોગોના અવલંબન વગર જ (સ્વતંત્રપણે,ભીન્નપણે) સમજાવાશે. એટલે કે કઈ દૃષ્ટિ ક્યાં યોગમાંથી આવેલી છે આવું બતાવ્યા વગર સ્વતંત્રપણે બતાવવામાં આવશે. આ દ્રષ્ટિઓ દરેક જીવ પ્રમાણે જુદી જુદી છે તેથી અનેક છે પરંતું સામાન્યથી આઠ ભાગ(મિત્ર,તારા,બલા....)છે.
ગાથા ૧૩ માં આ આઠ દૃષ્ટિ નામ નીચે પ્રમાણે છે.
(૧)મિત્ર,(૨)તારા,(૩)બલા, (૪)દીપ્રા,(૫)સ્થિરા,(૬)કાંટા,(૭)પરા (૮)પ્રભા
અને હવે તેના લક્ષણો બતાવવામાં આવશે.
આ દૃષ્ટિઓના નામો અર્થયુક્ત છે અને તે દૃષ્ટિ સમજાવતી વખતે બતાવવામાં આવશે.
અહીં યોગ દૃષ્ટિ શબ્દ વાપરીને ઓઘ દ્રષ્ટિનો નાશ કરવામાં આવે છે થી પહેલા ઓઘ દૃષ્ટિ જ સમજાવવામાં આવે છે.
ગાથા ૧૪ : મેઘ સહીત અને મેઘ રહિત રાત્રી તથા દિવસમાં, ગ્રહ યુક્ત કે ગ્રહ વિના, બાળક કે યુવાનને, મિથ્યા દૃષ્ટિ કે અમીથ્યા દૃષ્ટિ (જીવ)ને જેમ તરતમતા વાળી(હીન અને અધિક) દૃષ્ટિ હોય છે તેમ અહીં ઓઘ દૃષ્ટિ જાણવી.
અનાદિ કાલથી મિથ્યાતવી જીવની પ્રથમ ઓઘ દૃષ્ટિ હોય છે ને જયારે મીથ્યાત્વ બંધ પડે છે અને આત્મા અપુનર્બંધક બનેછે ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે.
અનાદીકાળથી સર્વ સંસારી જીવોને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન અને મોહનીય કર્મના ઉદયથી સંસારના સુખનો રાગ અને સુખના પ્રતિબંધક તત્વો ઉપર દ્વેષ હોય છે. પરંતું સર્વ જીવોને હમેશા અલ્પ અથવા અધિક પ્રમાણમાં મતિ-શ્રુત જ્ઞાનાવરણીય કર્મ અને અચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપક્ષમ હોય જ છે.
કારણકે આ કર્મો ઉદય વખતે હમેશા ક્ષયોપક્ષમ વાળા જ હોય છે. તેથી નીગોદથી માંડી ને સર્વ જીવોની જ્ઞાનામાંત્રા કઈંક અંશે ખુલી હોય જ છે.
વસ્તુને જાણવાની આત્માની અનાવૃત (પ્રગટ) રહેલી ચેતન્યશક્તિને દૃષ્ટિ કહેવાય છે.

અજ્ઞાનતાથી જીન આજ્ઞા વિરુદ્ધ કહી લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ.


Saturday, March 24, 2012

03/30/2011 પ્રાતીભજ્ઞાનથી યુક્ત સામર્થ્ય યોગ

શ્રોતાને શાસ્ત્ર સાંભળવાથી જ્ઞાન થાય છે પરંતું અનુભવ થતો નથી. સયોગી/અયોગી ગુનાસ્થાનાકનું સ્વરૂપ જાણ્યા પછી તેને અનુભવવા માટે આ યોગી પોતાનું વીર્ય ફોરાવે છે. પોતાનું સામર્થ્ય પ્રગટાવે છે. આ અનુભવ શબ્દો થી સમજી ન શકાય તેવો છે. તેથી સ્વાત્માનુંભવ ગોચર જ એવો યોગ પ્રગટે છે એને પ્રાતીભ જ્ઞાનથી યુક્ત યોગ પણ કહે છે.
પ્રાતીભ જ્ઞાન એટલે પ્રતિભાથી પ્રગટેલું જ્ઞાન. જરાય પણ મર્યાદાની બહાર ગયા વગર યથાર્થ મુક્તિના માર્ગને જ અનુસરનાર એવું અપૂર્વ તત્વચિંતન નામનું વિશિષ્ઠ જ્ઞાન. અને તેનાથી યુક્ત એવો સામર્થ્ય ની પ્રધાન્તાવાળો આ ધર્મયોગ.
આ ધર્મયોગમાં ધ્યાન,તત્વચિંતન-આત્મભાવની એકાગ્રતા-દેહાંતિતતાનું અપૂર્વ ચિંતન વગેરે ભાવો જ હોય છે અને આવો ધર્મવ્યાપાર ક્ષપક શ્રેણીમાં (૮-૧૨ ગુણસ્થાનક) જ આવે છે. જે શ્રુત જ્ઞાનથી પર અને કેવળ જ્ઞાન પહેલાની પ્રભાત જેવો છે અને અહીં આવો જ યોગ લેવાનો છે.
આ સામર્થ્ય યોગ અનુભવાત્મક જ છે અને શબ્દોથી ન વર્ણવી શકાય તેવો અને પ્રાતીભ યુક્ત છે અંને કેવળ જ્ઞાન નું પ્રબળ સાધન બને છે. આવા યોગથી જ જીવ મોહનો ક્ષય કરે છે અને કેવલી થાય છે.
અલ્પ પણ વિલંબ વગર આ યોગથી સર્વજ્ઞપણ!ની (૧૩મુ ગુણસ્થાનક) સિદ્ધિ થાય છે
સારાંશ કે ગુરુમુખે શાસ્ત્ર શ્રવણથી શ્રોતા મુક્તિના ઉપાયરૂપ સમ્યગદર્શન, જ્ઞાન, ચરિત્ર ત્રણે ગુણોનું સ્વરૂપ જાણીને જ્ઞાન માત્ર મેળવે છે અનુભવ મેળવી શકતો નથી, પરંતું ઉપાયોનું બરાબર જ્ઞાન થવાથી તેનો અનુભવ મેળવવા માટે બહુંજ ઉત્સાહ થી આત્મ અનુભવનો અસાધારણ પ્રકાશ ચમકે છે અને અંતરમાં અસામાન્ય ચેતન શક્તિ સ્ફુરાયમાન થાય છે. આનેજ પ્રાતીભાજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાન પૂર્વક પોતાના આત્મ વીર્યને મોહના નાશ માટે વપરાતો આ જીવ ક્ષપક શ્રેણી માંડે છે અને સામર્થ્ય યોગ નાં બળે મોહસાગર તરી બારમે (ક્ષીણ મોહ) ગુણસ્થાનકે આવી ઘનઘાતીકર્મો ખપાવી તેરમે ગુણસ્થાનકે જઈને કેવલ્ય અવસ્થાને જલ્દીથી પ્રાપ્ત કરે છે.
બાળ બુધ્ધિના કારણે જીન આજ્ઞાથી વિરુદ્ધ કઈ લખાયું હોયતો મિચ્છામીદુક્કડમ

Friday, March 23, 2012

ગાથા ૪ શાસ્ત્રયોગ

ગાથાર્થ: પ્રમાદ વગર અને શ્રધ્ધા સહીત શાસ્ત્રીય સુશ્મ્બોધના કારણે આગમ વચન અનુસાર અને તેજ કારણે અતિચાર વગરનો યથાશક્તિ જે ધર્મયોગ તે શાસ્ત્રયોગ જાણવો.
અહીં યોગ(ધર્મ વ્યાપાર) સંબધી શાસ્ત્રોમાં કુશળતા મેળવીને તે પ્રમાણે કરાતો અતિચાર વગર નો ધર્મ વ્યાપાર
તે શાસ્ત્રયોગ.
આ શાસ્ત્રયોગ અપ્રમાંદી જીવને હોય છે. આ જીવ શાસ્ત્રના શુષ્મ અભ્યાસ ને કારણે નિંદા, વિકથા વગેરે પ્રમાંદો વગરનો હોય છે અને તેથીજ તેનો ધર્માંવ્યપાર દોષ વગરનો, અતિચાર વગરનો, ખામી વગરનો અને અવિકલ હોય છે.
કેવો પ્રમાદી? આ આત્માને દર્શન મોહનીય કર્મનો વિશેષ ક્ષયોપક્ષમ હોવાથી અત્યંત વિશ્વાસ, અત્યંત પ્રેમ અને અત્યંત શ્રધ્ધા હોય છે અને શાહ્સ્ત્રોના સુશ્મમાં શુશ્મ અર્થોની પટુતા યુક્ત બોધ થવાથી તે અગમોના વચન અનુસાર થોડી પણ કાલ,વિનય, બહુમાન વગેરે વિકલતા વગરનો અને જરા પણ અપૂર્ણતા વગરનો ધર્મ વ્યાપાર કરે છે અને તેનેજ શાસ્ત્રયોગ સમજાવો. આ આત્મા પોતાનાં શરીરની શક્તિ અનુસાર જ જરા પણ દોષ ન લાગી જાય તે પ્રમાણે ધર્મ વ્યાપાર કરે છે.
ઈચ્છા યોગમાં ઈચ્છા ની પ્રધાનતા છે અને પ્રમાદ હોય શકે જયારે શાસ્ત્ર યોગમાં શાસ્ત્રની પ્રધાનતા છે અને પ્રમાદ નો અભાવ છે.
બાળ બુધ્ધિના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કહી પણ લખી ગયું હોય તો મિચ્છામી દુક્ક્ડમ.

ગાથા ૧ વીર શબ્દનો અર્થ અને ઇષ્ટદેવતા મહાવીર

અહીં તીર્થંકરના નામમાં જે વીર શબ્દ છે તેના અર્થો નીચે પ્રમાણે છે.
૧. બહુંજ ઊંચું અત્મ્વીર્ય
૨.તપ વડે કર્મનો નાશ કરનાર
૩. કષાય વગેરે ભાવ શત્રુનો વિજય કરનાર
૪. કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીને મેળવનાર
પ્રભુમાં સાચા ગુણો છે અને અન્ય દેવોમાં ન સંભવી શકે એવા અસાધારણ ગુણો પ્રભુમાં છે તેથી તેવા ગુણો ગાવા એજ પરમાત્માનું ભાવ સ્તાવનું સ્વરૂપ છે. એટલે જ અહીં જીનોત્તમ, આયોગ અને યોગીગ્મ્ય વગેરે વિશેષણોવડે અને વીર શબ્દના જુદાજુદા અર્થ કરવારૂપ મહાવીર પ્રભુના અસાધારણગુણોની પ્રસંસા દ્વારા ઇષ્ટદેવતાની સ્તુતિ કરવારૂપ મંગળાચરણ કર્યું છે.
પ્રભુમાં ઇષ્ટત્વ અને દેવત્વ માનવાના કારણો:
મહાવીર પર્ભુમાં અન્ય દેવો કરતા અતિશય ગુણો હોવાથી તેમના પ્રત્યે ઇષ્ટત્વ ગ્રંથકારને યોગ્ય લાગ્યું છે
સંસારમાં વધારે સુખ અને આનંદના ક્ષેત્રમાં જે જીવો છે તેમાં દેવપણું મનાય છે તેમ પ્રભુ પરમગતિ (મુક્તીગતિ)ને
પામ્યા હોવાથી તેમાં દેવત્વપણું માનેલ છે.

Monday, March 19, 2012

03/19/2012 (Monday) Gatha 35 page 160

ગાથા ૩૫ પેજ ૧૬૦ તારીખ: ૦૩/૧૯/૨૦૧૨

  • અનાદિકાલીન મોહની મલીનતા ધોવાતાં આત્મા નિર્મળ બને છે, તેની દ્રષ્ટિ બદલાય છે.
  • પરમાર્થ સાધવાની પાત્રતા પ્રગટે છે.
  • પાત્રતા પ્રગટ થવારૂપ ભાવપુણ્યોદય વધતાં ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેંચાતો આવે છે.
  • ઉત્તમ નિમિત્તોનું સતત વારંવાર સેવન કરતો કરતો જીવ પોતાની મલીનતાને વધુ ને વધુ ટાળતો સત્ય માર્ગે પ્રયાણ કર્તો અંતે પરમાર્થપદની પ્રાપ્તિ કરે છે.
  • તારણ: શુભનિમિત્તોના સંયોગનું કારણ અવંચક ત્રય, અવંચક ત્રયનું કારણ સત્પ્રણામાદિ, અને તે સત્પ્રણામાદિનું કારણ ભાવમલની અલ્પતા છે.