Wednesday, May 2, 2012

3/14/12 Wed ગાથા ૩૫ પાના નં ૧૫૯ છેલ્લો ફકરો - નં ૧૬૦ અંત સુધી

આનંદઘનજી મહારાજ વિમલનાથના સ્તવનમાં કહે છે કે સદગુરુ દિવ્યજ્ઞાન રૂપી આંજણ આપણી આંખમાં આંજીને આપણી આત્મા તરફ જોવાની દ્રષ્ટિ ખોલે છે જેથી આપણાજ આત્મામા રહેલા અનંતજ્ઞાન, અનંત સુખ આદિ પરમનિધાન દેખાય અને સંસારસુખ તરફ દ્દ્રષ્ટિ ઓછી થાય.
જગધણી પરમાત્માનો મહિમા આપણા હૃદયના નયનમા ઉતારી દઇ તેમને પ્રીતિ ભક્તિની દ્રષ્ટિ થી જોતા કરીને આપણા આત્માર્થ નો ઉત્સાહ વધારે. આવા સદગુરૂનો મહિમા પણ ભગવાનની જેમ ઘણો મોટો મેરુ પર્વત સમાન છે જે આપણને તત્વનો સાચો અર્થ સમજાવી એની પણ પ્રીતિ કરાવીને જિનવાણીનું પાણી પીવડાવી બધા ભ્રમો ભાંગી કાઢે.
પરંતુ આવા સદગુરુનો યોગ અને એમની સદગુરુ તરીકેની ઓળખાણ ક્યારે થાય?
જ્યારે મોહનીય ઘાતીકર્મનો ક્ષયોપશમ થાય, આત્માની મલીનતા મંદ પડે, ભાવમલ અલ્પ થાય ત્યારે ભાવપુણ્યના નિમિત્તે આવા સદગુરુનો સમાગમ થાય.
જેમ રત્ન ઉપરનો મેલ(પર-દ્રવ્ય ) દૂર કરવાથી સ્વયં એનો ચળકાટ આપોઆપ ઝળહળી ઉઠે છે(કોઈ બીજા પ્રયત્ન વગર) તેમ જ આત્મા ઉપરનો અનાદીકાળનો અજ્ઞાનજન્ય ને મોહજન્ય(રાગાદિ કશાય ) મેલ જે પરાયો છે તે દૂર થતાજ આત્માની પરમાર્થ સાધવાની યોગ્યતા રૂપ કાંતિ (સ્વ-દ્રવ્ય) આપોઆપ ઝળહળી ઉઠે. દ્રષ્ટિનો પ્રકાશ વધારે ને વધારે ખીલી ઉઠે. આત્મા નિર્મળ બને અને પરમાર્થ સાધવાની યોગ્યતા, પાત્રતા પ્રગટે અને લોહચુંબક થી લોઢુ ખેચાય તેમ ભાવપુણ્ય વધવાથી ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેચાતા આવે ત્યાર સદગુરૂનો શુભ યોગ થાય. તેમને સતત વારંવાર સત્પ્રણામાદિ કરવાથી તેઓની નિકટ થવાથી ઓળખાણ થાય છે. પછી બહુમાન,પૂજ્યભાવ વધતા સદગુરુપણ।ની બુદ્ધિ થતા અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે જેના કારણે શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. એમ પરસ્પર કારણ - કાર્યભાવ જાણવો.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયુ હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.

No comments:

Post a Comment