Tuesday, May 1, 2012

SWADHYAY - GATHA 23 -PAGES 109, 110- OCT.12,2011


ગાથા ૨૩, પાના # ૧૦૯, ૧૧૦.               ૧૦.૧૨.૨૦૧૧.

યોગબીજ- 
  1. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભ ભાવ 
  2. સ્તુતિ બોલવા દ્વારા તેઓને કરાતું શીર્ષ નમન 
  3. પાંચે અંગો નમાવવા પૂર્વક કરતા પ્રણામ.
પરમાત્મા પ્રત્યે અનાદિથી દ્વેષ, અરુચિ - નાખુશી ભાવ હતો તે ટાળીને તેમના પ્રત્યે પૂજ્યભાવ પેદા થવો, હૃદયમાં બહુમાન થવું. ભક્તિ ભાવ પ્રાપ્ત થવો એ  કુશલચિત છે  તે પ્રથમ યોગબીજ.

મિત્રા દ્રષ્ટિમાં  આવેલો  આત્મા યોગના  બીજને  ગ્રહણ  કરે  છે. આનાથી  આત્મા બાધક્ભાવોને  ત્યજીને સાધક્ભાવ  ધારણ કરે છે .ભવાભીનન્દીમાંથી  અત્માંર્થ ના  આનંદને  માને  છે . વિષય સુખો તરફ  ઉદાસીનતા  આવતી જાય  છે.  સદગુરુના  સંયોગથી  જ્ઞાનપાન કરતા જીવ સંસાર સાગર તરી જાય  છે.



અજ્ઞાનતા થી  કે  પ્રમાદથી  ભગવાનની  આજ્ઞા  વિરુદ્ધ  લખાયી  ગયું  હોય તો મિચ્છામી દુક્કડમ .

No comments:

Post a Comment