ગાથા ૩૬, પાનું ૧૬૨ ૩.૨૬.૨૦૧૨
આંખમાં દોષને હિસાબે - મંદ્લોચનવાળો - બરાબર જોય ન શકતો જીવ તેની સામેના પદાર્થને તે પદાર્થ જેમ છે તેમ જોય શકતો નથી તેમ જે જીવનો ભાવમલ ઓછો ન થયો હોય તે સત્પુરુષને સાચા સ્વરૂપે ઓળખી શકતો નથી અને તેથી સત્પુરુષ તરીકે પરિચય કરી શકતો નથી અને તેમના પ્રત્યે પ્રીતિ-વિશ્વાસ આવતા નથી . અને એટલે ધર્મ ને સમજી શકતો નથી અને આચરણમાં મૂકી શકતો નથી.
ગાથા ૩૭, પાના # ૧૬૨,૧૬૩,૧૬૪. ૩.૨૭.૨૦૧૨
કોઈ પણ વસ્તુને સમજવા માટે બે જાતની યુક્તિ લઈ શકાય .
- અન્વય - હકારાત્મક ભાવે સમજાવવું
- વ્યતિરેક - નકારાત્મક ભાવે સમજાવવું
- ધૃતિ - ધીરજ, કામમાં ધીરજાતા.
- શ્રદ્ધા - ધર્મ કાર્ય અવશ્ય મુક્તિ ફળ આપવાનું છે તે શ્રદ્ધા
- સુખા - ધર્મ કાર્યમાં ધીરજ અને શ્રદ્ધા પૂર્વક પ્રવૃત્તિ હોવાથી જીવને પ્રવૃતિમાં આનંદ છે તે સુખા.
- વિવિદિષા - જીવની પ્રવૃત્તિ ધૃતિ, શ્રદ્ધા અને સુખારૂપ હોવાથી તે ધર્મતત્વને ઊંડું જાણવાની ઈચ્છા રાખે છે તે વિવિદિષા .
- વિજ્ઞપ્તિ - ધૃતિ,શ્રદ્ધા, સુખા અને વિવિદિષા રૂપ પ્રવૃતિથી જીવ ધર્મ તત્વનું જ્ઞાન આપે તેવા સદગુરુની શોધ કરે છે અને સદગુરૂ મળતા શાસ્ત્ર સંબંધી વિજ્ઞપ્તિ (જ્ઞાન) પ્રાપ્ત કરે છે.
અજ્ઞાનથી અને પ્રમાદથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .
No comments:
Post a Comment