Wednesday, May 9, 2012


ગાથા  ૨૪,  પાના # ૧૧૫-૧૧૭.               સ્વાધ્યાય  તારીખ  ૧૧.૨.૨૦૧૧.

સંશુદ્ધ કુશલ  ચિત્તાદી  યોગબીજ  આવવાથી  જીવ  ચર્માંવર્ત કાળમાં  પ્રવેશે  છે .  અચર્માંવર્તમાં  જીવને  સંશુધ્ધ યોગબીજ  હોતું  જ  નથી.

ચર્માંવર્ત નો  પ્રારંભનો  બહુ ભાગ ગયે આવનાર  સંશુધ્ધ  કુશલ ચિત્ત  - પરમાત્મા  પ્રત્યે  અત્યંત  ઉપાદેય  બુદ્ધિ વાળું  એટલે  સર્વજ્ઞ વીતરાગ  પરમાત્મા  જ  આ સંસારમાં  આદરવા, ભક્તિ, ઉપાસના  કરવા  યોગ્ય  છે  એવો  દ્રઢ  રાગ  થાય   છે.  સંસારના  બધા  પદાર્થો   ગૌણ  થય જાય છે  અને  પરમાત્મા પ્રત્યે  તીવ્ર  લગની  લાગે  છે.

ગાથા  ૨૫, પાના # ૧૨૦-૧૨૨./ ૧૨૨-૧૨૩.             સ્વાધ્યાય  તારીખ   ૧૧.૧૫.૨૦૧૧ / ૧૧.૧૬.૨૦૧૧.

દશ સંજ્ઞા  - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન,  માયા, લોભ, ઓઘ, લોક  - અટકાયત  કરવા  પૂર્વકનું  કુશલ ચિત્ત  સંશુધ્ધ  કહેવાઈ  છે  .  આ  અટકાયત  સંશુધ્ધ  ચિત્ત નું  બીજું  લક્ષન  છે.  સંજ્ઞાઓ  મોહનીય  કર્મના  વિપાકોદયના  કારણે  છે. મોહનીયનો  ક્ષયોપ્શમ  કરવાથી  સંજ્ઞાઓનો  ઉદય  મંદ  હોય  છે. અહી સંપૂર્ણ  પરીશુધ્ધી ના  અભાવે  જીવ  પુણ્ય કર્મ બાંધે છે.

સંસારના  સુખો ના  ફળની  અપેક્ષા  વિનાનું  કુશલ ચિત્ત  એ  ત્રીજું  સંશુધ્ધ  યોગબીજ  છે. 

ધર્મ કાર્ય  સંસારિક  સુખોની  ઈચ્છાથી  કરાય  તે  નિયાણું  કહેવાય .  અને  ભગવાને  નિયાણું  કરવાનો  નિષેધ  કર્યો  છે.

સંશુધ્ધ ના  બીજા  લક્ષન માં  પરિગ્રહ, લોભ નો  વિષ્કંભ  કહ્યો  તે વર્તમાન ભવની અંદર ભાવિના  સંસારિક  સુખના  ફળને  આશ્રયી  છે  જયારે  ત્રીજા  લક્ષનમાં  વર્તમાન ભવથી  અન્યભવ સંબંધી  સુખના  ફળને  આશ્રયી  છે.

દરેક  ધર્મ કાર્ય ( dharmanusthan)   સુંદર  છે  પરંતુ  તેમાં  સંસારસુખની  ઈચ્છા  ભરી  હોય  તો તે  મુક્તિમાં  અડચણ  ઉભી  કરે છે  ત્યારે તે  તેનાથી  બંધાયેલ  પુણ્ય  દ્વારા  થતા  સંસારિક -સુખો  તીવ્ર  આસક્તિ  ઉત્પન્ન કરનાર થાય  છે  અને વીતરાગ ભાવ ને રોકનાર  બને  છે. વળી  ધર્મ કાર્ય   સંસાર સુખના  માટે  નહિ  પણ  ધર્મ કાર્ય ની  આસક્તિ થી  સેવાય  તો તે  આસક્તિ  આત્મ ને   ત્યાને  ત્યાજ   બાંધી  રાખે  છે  અને  આત્માના  આગળ  જવાના વિકાસને  રોકે  છે. જેમકે  શ્રી ગૌતમસ્વામીને  પ્રભુ  પ્રત્યેનો  રાગ  તેમને વીતરાગતા  મેળવવામાં  બાધક  બન્યો. માટે ધર્મ ક્રિયાનો  રાગ  શરૂઆતના  ગુણસ્થાનક માં  સહાયક  છે  પરંતુ  આઠમાં  આદિ  ઉપરના  ગુનસ્થાનકમાં  જવા  માટે  આ  પ્રશસ્ત  રાગ  પણ  બાધક  છે. એટલે  ધર્મ કાર્ય  કોઇપણ  પ્રતિબંધ વિનાનું   હોય તો જ  તે મુક્તિ પ્રાપક   બને  છે.

સાચું યોગ બીજ  - અત્યંત ઉપાદેય બુદ્ધિ વાળું  મોહ્જન્ય  દશવિધ  સંજ્ઞા ના  વિશ્કામ્ભાન વાળું  , ઉભય ભવના  સંસારસુખના  ફળની  ઈચ્છા રહિત  તથા  તે તે ધર્મ કાર્યની  પોતાની  પણ  આસક્તિ  વિનાનું  કુશલચિત  તે સાચું યોગબીજ  અને  તેમાં અન્કુરા પુરુષાર્થ થી  ફૂટી  શકે  છે  અને  મુક્તિ ફળ  અપાવી  શકે  છે.


અજ્ઞાન  કે  પ્રમાદથી   ભગવાન ની  આજ્ઞા  વિરુદ્ધ  લખાયી  ગયું  હોય  તો  મિચ્છામી  દુક્કડમ .
  

No comments:

Post a Comment