Wednesday, May 9, 2012





ગાથા ૨૪,  પાના # ૧૧૪,૧૧૫
.                     સ્વાધ્યાય  નોવ. ૧, ૨૦૧૧.

ચરમાંવર્તમાં યોગબીજ ની  પ્રાપ્તિ. 

સંસારમાં  ઔદારિક, વૈક્રિય, અહારક, તૈજસ, ભાષા, શ્વાસો શ્વાસ , મન  અને  કર્માણ - આઠ  જાતની ગ્રાહ્ય  અને  અગ્રાહ્ય  અનંતી  અનંતી  પુદગલ પરમાનુંઓના સ્કાન્ધોની  વર્ગનાઓ ભરેલી છે. જીવ  પ્રત્યેક  ભવમાં  સંસારી  જીવન જીવવા  માટે  ઉપરોક્ત  વર્ગનાઓના  પુદગલો  જરૂરીયાત  મુજબ  ગ્રહણ  કરે  છે  અને  જરૂરીયાત  પૂરી  થતા  ત્યાગ (મોચન)  કરે છે.એક  જીવ  જયારે સમસ્ત ચૌદ રાજલોક  પ્રમાણ  લોકાકાશ માં  રહેલી  આઠે  વર્ગનમય સંપૂર્ણ  પુદાગલાસ્તીકાય  દ્રવ્યને  જુદા-જુદા પ્રયોજનથી  ગ્રહણ-મોચન  કરતા જેટલો  કાળ જાય  તેટલા કાળનું   નામ  બાદરદ્રવ્ય  પુદગલ પરાવર્તન  કહેવાય  છે.  જે  અનંત  ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ  છે.

આ જ  સમસ્ત  પુદગલાસ્તીકાય નું   ગ્રહણ  અને મોચન   આહારક  વિના  સાતમાંથી  કોઇપણ  એકરૂપે  થાય  અને  તેમાં જેટલો  કાળ  લાગે  તે  સુક્ષ્મદ્રવ્ય પુદગલ  પરાવર્ત  કહેવાય   છે. સુક્ષ્મ પુદગલ  પરાવર્તન  કરતી વખતે  જે   વિવક્ષિત  એકરૂપે  પુદગલ ગ્રહણ  કરવાની વિવક્ષા  કરી  હોય, તેમાં  તે એક સિવાય  શેષ  રૂપે  પુદગલોનું  ગ્રહણ થવા છતાં  તેની  ગણના  કરાતી  નથી.  તે પુદગલોને  ફરીથી  વિવક્ષિત  એકરૂપે જ ગ્રહણ કરવા પડે છે . તેથી  બાદર  કરતા  સુક્ષ્મ માં  અનંતગુન કાળ  લાગે  છે. આ જ  પ્રમાણે  બાદર  અને  સુક્ષમ ક્ષેત્ર, કાળ, ભાવ  પુદગલપરાવર્તન છે  ( કુલ  આઠ  પ્રકારના  પુદગલ  પરાવર્ત ) . ચરમાંવર્ત માં  સુક્ષ્મ ક્ષેત્ર  પુદગલ પરાવર્ત  લેવાનું  છે. ચૌદ રાજલોક  વ્યાપી  સમસ્ત  લોકાકાશ ના  સર્વ  પ્રદેશોને  ક્રમશઃ મરણ વડે  સ્પર્શ કરતા  જેટલો કાળ  થાય  તેટલા  કાળનું  નામ  સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ  પરાવર્ત  કહેવાય  છે.

જીવની  સંસારમાંથી  નીકળી  મુક્તિએ  જવાની  યોગ્યતા  પાકે  (તથાભવ્યત્વ ) ત્યારે  થતું  જે છેલ્લું  પુદગલ પરાવર્ત  તે  ચરમ પુદગલ પરાવર્ત  કહેવાય   છે.  અહી  મિથ્યાત્વની તીવ્રતા  ઓછી  થઇ  છે  અને પરમાર્થ પદની  પ્રાપ્તિ નું  પહેલું  સોપાન  છે. 


અજ્ઞાન થી   કે  પ્રમાદ થી  ભગવાન ની  આજ્ઞા  વિરુદ્ધ  લખાયી  ગયું  હોય  તો  મિચ્છામી  દુક્કડમ .

No comments:

Post a Comment