Tuesday, May 1, 2012
૪/૧૭/૧૨ મંગળવાર-ગાથા ૪૦- પાના નં- ૧૬૯ ૩જા ફકરા - પાના નં ૧૭૦
મિત્રાદ્રષ્ટિના ગુણો ઉપર અતિશય વિચાર કરીને આત્મનિરીક્ષણ કરવુ બહુ જરૂરી છે કે આપણ।મા આવા ગુણો પ્રગટ્યા છે કે નહી, ના હોય તો તે પ્રગટાવવા છે કે નહી. ગુણસ્થાનક તો ગુણો થી આવે છે, માત્ર બાહ્યવ્યવહાર ની ક્રિયાથી સમ્યગદ્રષ્ટિ, દેશવિરતીધર સંયમી શ્રાવક - શ્રાવિકા પોતાને માની લઈને સંતોષ પામે તે અહંકાર અને અજ્ઞાન ની ભ્રાંતિમા રહે છે। બાહ્યક્રિયારૂપી વ્યવહાર તે ગુણપ્રાપ્તિમા નિમિત્ત જરૂર છે પણ તેને નિશ્ચયની સિદ્ધિમાં જોડે (યુંજે) તો જ તે નિમિત્ત ખરેખર નિમિત્ત બને અને કાર્ય પૂરું કરે.
જેમ કુહાડો છેદનનું નિમિત્ત હોવા છતા જો જીવ કુહાડાને છેદનમા જોડે (યુંજે,વાપરે) તોજ છેદનનું કાર્ય થાય અને કુહાડો ખરેખર નિમિત્ત બને.
વ્યવહાર એ નિશ્ચયની પ્રાપ્તિનું કારણ છે અને નિશ્ચય એ વ્યવહારની શુદ્ધિ નું કારણ છે। બન્ને પરસ્પર સાપેક્ષ છે। એક વિના બીજો નિરર્થક છે, જેમ "નફો અને વકરો." આનંદઘનજી મ. સ્તવનમાં કહે છે કે (ક્રિયા) વ્યવહાર જો ભગવાનના વચન,ગુણો (નિશ્ચય) સાપેક્ષ હોય તેજ સાચો, નિરપેક્ષ હોય તે ખોટો સંસારફળ આપનાર હોય એટલે બન્ને નય (નિશ્ચય અને વ્યવહાર)સાંભળી ને સાચો આદરવાનો ઉત્સાહ વધારવો.
આવા મિત્રાદ્રષ્ટિના ગુણો આવે તોજ પ્રથમ ગુણસ્થાનક ગણાય અને આત્મવિકાસ કરીને ઉપર ચઢાય.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ.
Labels:
4/17/12
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment