પાનાં # ૮૬,૮૭.
અભવ્ય જીવને સંવેગ ભાવ નથી આવતો અને તેથી અભવ્ય જીવમાં મિત્રાદી યોગદશાની
આ દ્રષ્ટિઓ કદાપિ આવતી નથી અને તેથી અભવ્ય જીવની મુક્તિ થતી નથી.
ભવ્યમાં જ કાર પાકે ત્યારે આ દ્રષ્ટિઓ હાંસલ થાય છે.
ભવ્ય આત્મા પણ અચરમાવર્તમાં ઓઘદ્રષ્ટિ હોય છે અને ચરમાવર્તમાં ઘણો ભાગ
ગયે છ્તે બહુ ભાવમલ ક્ષય થયા પછી મિત્રા, તારા, બલા, દિપ્રા દ્રષ્ટિઓ
ક્રમશઃ આવે છે અને ચરમાવર્તના છેલ્લા ભાગમાં સ્થિરા, કાન્તા, પ્રભા, પરા
દ્રષ્ટિઓ ક્રમશઃ આવે છે. આ રીતે ભવ્ય આત્મામાં દ્રષ્ટિ બદલાય છે તેથી
આત્મા પરિણમી નિત્ય છે એટલે પરીવર્તન પામનાર નિત્ય છે પરંતુ એકાંતે
નિત્ય અથવા એકાંતે ક્ષણિક નથી.
(લખાણમાં ભૂલ હોય તો સુધારીને વાંચવાની કૃપા કરશો અને બતાવશો . ભૂલ માટે
મિચ્છમી દુકકડમ )