Tuesday, November 22, 2011

11/22/11 (Tuesday) - Gatha 25 pg 124 (last para) through pg 126 (2nd last para)

૧૧/૨૨/૨૦૧૧ ગાથા ૨૫ પાના ૧૨૪-૧૨૬

પાતંજલઋષિએ પણ સાંખ્યદર્શનમાં યોગબીજ માટે આમજ કહ્યું છે, તેની સાક્ષી પુરતા આચાર્ય હરિભદ્રસૂરિજી કહે છે:

) સાંખ્યદર્શન પ્રમાણે યોગબીજ વિષયસુખોની આશક્તિ અને પ્રક્રુતિની (કર્મોની) શક્તિને શિથિલ (ઓછી) કરનારૂં છે.

સાંખ્યદર્શનના મૂળ બે તત્વો: ) પુરુષ: અકર્તા-અભોક્તા તથા જ્ઞાતા-દ્રષ્ટા છે. ) પ્રક્રુતિ: સત્વ-રજસ-તમસની બનેલી અને કર્તા-ભોક્તા છે. તે ઘણી બલવાન છે. તે વિષયસુખોની આસક્તિવાળી હોવાથી આત્મામાં તેનું પ્રતિબિંબ પડવાથી આત્મા આસક્તિવાળો લાગે છે.

૩) સાંખ્યદર્શન પ્રમાણે યોગબીજ પહેલા અને પછીની અવસ્થા

યોગબીજ પહેલા: અ) પ્રક્રુતિને હિતકારી માનતો, બ) તેની સાથે ગાઢમિત્રતા=અભેદબુદ્ધિ વાળો હતો, ચ) પ્રક્રુતિનું કર્તુત્વ-ભોકતૂત્વ-જ્ઞાત્રુત્વ પોતાનાં જ છે એમ આ જીવ માનતો હતો, દ) પ્રક્રુતિજન્ય વિષયસુખ અને સંસારને પોતાનો જ માની તેમાં જ આનંદ-ચમન કરતો હતો.

યોગબીજ પછી: અ) આ મારું સ્વરૂપ નથી, બ) હું પ્રક્રુતિથી અલગ છું, ચ) પ્રક્રુતિએ મને ભોળવ્યો છે, અંધારામાં રાખ્યો છે, દ) પ્રક્રુતિની સાથેની ગાઢ મિત્રતા તૂટી જાય છે, એ) પ્રક્રુતિ સાથેની અભેદબુદ્ધિ ક્ષીણ થઇ જાય છે. ફ઼) પ્રક્રુતિ કડવી લાગે છે, ગ) પ્રક્રુતિ પ્રત્યે પ્રેમ વિનાની, કડવાશ ભરેલી, અણગમાવાળી દ્રષ્ટિ અહીંથી શરૂ થાય છે.

૪) યોગબીજ આવવાથી, પ્રક્રુતિ પ્રત્યે વિપ્રિયેક્ષા (કડવી ઝેર ભરેલી દ્રષ્ટિ) થાય છે. વિષયસુખો આકરાં લાગે છે, સંસાર ઝેર જેવો લાગે છે.

૫) યોગબીજ પ્રક્રુતિ અને પ્રક્રુતિજન્ય વિકારોને મંદ કરનારૂં છે.

૬) યોગબીજ આત્માતત્વ પ્રાપ્તિનું સૂચક છે અને એમ સૂચવે છે કે મુક્તિપદ અતિશય નિકટતમ છે.

૭) મુક્તિપદ નિકટ જાણી યોગબીજ આત્માને અદમ્ય ઉત્સાહથી અને બળથી આત્મ-તત્વની પ્રપ્તિને ઉચિત ધર્મતત્વોની વિચારણામાં પ્રવેશ કરાવનારૂં છે, અને સતત તત્વવિચારણામાં ડૂબાડૂબ રાખનારૂં છે.

૮) અનાદિકાળથી જામ થયેલા અને ગાઢ બનેલી રાગ અને દ્વેષ આદિ દોષોની બનેલી ગાંઠને યોગબીજ ભેદે છે.

No comments:

Post a Comment