Monday, November 7, 2011

11/07/2011 (Monday) Page 117 last pera to Page 118 2nd pera


પ્રશ્ન: પરમાત્મા અને સાધના પ્રત્યે આટલી તીવ્ર લગની લાગવાનું કારણ શું?

જવાબ: તેના ભવો પાકી ગયા છે, જેમ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી પડવાની તૈયારીમાં હોઈ છે, તેમ જીવના ભવો સમાપ્ત થવાની તૈયારીમાં છે, ગ્રંથીભેદ કરવા પૂર્વક સમ્યાક્જ્ઞાન આવવાની તૈયારીમાં છે, સમ્યાક્જ્ઞાનની પ્રાપ્તિની પુર્વાકાલવર્તી અવસ્થા છે, તેથી જીવ પ્રભુ પ્રત્યેના, તેમની ભક્તિ પ્રત્યેના, પરમરાગના બળે ચરમ યથાપ્રવૃતકરણ અને ગ્રંથીભેદ દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યક્જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રભુ અને પ્રભુભક્તિ ગમી જાય અને રુચી જાય સંશુદ્ધચિત્તનું પહેલું લક્ષણ છે.

) મોહનીય કર્મ નો ઉદય મંદ કરી, ક્ષયોપક્ષમ થવાથી, જીવ પરમાત્મા અને તેમની ભક્તિ-સાધના માં મન લાગી જાય છે અને આહારાદી ની સંજ્ઞાઓ સાધના કાલે ઉછલતી નથી, અને સાધના સિવાયના કાલે આહારાદી સંજ્ઞાઓનું બળ નિર્બળ બની જાય છે. આહારાદી સંજ્ઞાઓ પ્રમાણે છે.

  • આહાર સંજ્ઞા
  • ભય સંજ્ઞા
  • મૈથુન સંજ્ઞા
  • પરિગ્રહ સંજ્ઞા
  • ક્રોધ સંજ્ઞા
  • માન સંજ્ઞા
  • માયા સંજ્ઞા
  • લોભ સંજ્ઞા
  • ઓઘ સંજ્ઞા
  • લોક સંજ્ઞા

No comments:

Post a Comment