Wednesday, November 23, 2011

11/23/2011 (Wednesday) Page 126 Point 9 to Page 129 1st pera

) ઇન્દ્રનું વજ્ર કોઈક પર્વત નો ભેદ કરી શકે અને મેરુપર્વત જેવા શાશ્વત પર્વતનો ભેદ કરી શકે, પરંતુ યોગબીજ નિયમા ગ્રંથિનો ભેદ કરી સમ્યક્દર્શન આપે છે.

૧૦) જેમ સ્કૂલ પૂરી થવાનો કાલ થયે કાલ ઘંટ વાગે અને છોકરાઓ છુટે તેમ યોગબીજ પ્રાપ્ત થતા સંસારરૂપ ચરક(જેલ) ને પૂર્ણ થવાનો જાણે કાલઘંટ વાગે છે.

૧૧) આત્માને અનાદીના વળગેલા એવા સંસારમાંથી આત્માનું અપસરણ(નીકળવાનું કામ) કરાવનારું યોગબીજ છે.

સાંખ્યદર્શન ના યોગાચાર્ય શ્રી તંજલિ ઋષિના શબ્દોમાં યોગબીજનું વણૅન કહીને ગ્રંથકારશ્રી હરીભદ્રસુરીજી મહારાજ પોતે વાત ને સ્પષ્ટ કરતા કહે છે, જીનકુશલચિત્તાદી(એટલે કે સાંખ્યદર્શન ના યોગાચાર્ય શ્રી પતંજલિ આદી ઋષીઓ વડે કહેવાયેલા ભાવવાળું ) હોઈ છે, અર્થાત યોગબીજ આવ્યા ત્યારથી ભવો પાકીને ખરી જવો અને મુક્તીફળ મળવાનો પાક શરુ થયો સમજવો. યોગબીજ મુક્તિની પ્રાપ્તિરૂપ ફળનો પાક શરુ થવા તુલ્ય છે. ફક્ત કાલવીલંબ લાગશે.

દા.. કાચા ચોખા ચડાવ્યા પછી તેને અનુકુલ કાલાદી લાગવા વડે તે તે ભાત આદીરૂપે પાકવાનો "ચોખા નામના દ્રવ્યનો" સ્વભાવ હોવાથી ચોખાના પાકનો જે આરંભ થયો તે ભાત રૂપ ફળ આપે છે.

No comments:

Post a Comment