Monday, November 21, 2011

11/21/11 (Monday) - Gatha 25 pg 123 (2nd para) to pg 124 2nd last para.

ગાથા ૨૫ - પાના નં ૧૨૩ બીજો ફકરો થી ૧૨૪ ત્રીજો ફકરો

પ્રશ્ન ૧ : આવુ સંશુદ્ધ યોગબીજ મિથ્યાતવીને ક્યારે અને કેવી રીતે આવી શકે ?

: જ્યારે મિથ્યાતવી જીવ રાગ દ્વેષ ની ગાઢ ગ્રંથીને ભેદવા માટે અપૂર્વ વૈરાગ્યના સામર્થ્ય વડે મોહનીય કર્મનો બળવાન ક્ષયોપશમ કરી મિથ્યાત્વની અત્યંત મંદતાના કારણે ચરમ યથાપ્રવૃત્તીકરણ સમયેજ આવુ (ઉપાદેય બુદ્ધિવાળું,દસ સંજ્ઞાને અટકાવનારુ, સંસારિક ફળની અપેક્ષા વિનાનુ -ત્રણ વિશેષણ વાળુ) સંશુદ્ધ કુશલચિત્તાદી યોગબીજ આવે છે.
જેવી રીતે સાતમાં અપ્રમત્ત ગુણઠાણે મુનીમહાત્મા સંજ્વલન કશાયથી રાગી છે તોયે રાગદશા અતિશય મંદ હોવાથી વિતરાગભાવતુલ્ય કહેવાય છે તેમજ અહી મિથ્યાતવી હોવા છતા એની માત્રા અલ્પ હોવાથી અતિશય મંદ મિથ્યાત્વ ના કારણે સંશુદ્ધ કુશલચિત્તાદી યોગબીજ આવે છે. આવો આત્મા પરમાત્માની સાથે એકમેક થઈને પરમ ભક્તિથી તેમની શ્રેષ્ઠ સાધના કરે છે.

પ્રશ્ન ૨. અન્ય દર્શનનો શું મત છે?

: હરિભદ્રસુરીજી મહારાજે સાંખ્યદર્શનના પ્રસિદ્ધ યોગાચાર્ય પાતંજલઋષિના પાઠ ની સાક્ષી આપતા સમજાવ્યું કે " અન્ય દર્શનકારો પણ આમજ કહે છે".

પ્રશ્ન ૩.આ યોગબીજવાળુ ચિત્ત કેવા પ્રકારનું હોય?

જ: આ યોગબીજ સંસાર સમુદ્રમાં ડૂબેલા આત્માને પોતાના આત્મતત્વના આંશિક વિકાસ સ્વરૂપ છે.

જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને ચારે બાજુ પાણીજ દેખાય છે,બહાર નીકળવાની આશા જ તૂટી ગઈ છે તેવામા મહાપ્રયત્ને સપાટીપર આવીને જગત જોઈને આનંદ પામે છે અને તરી નીકળવાની આશા બંધાય છે તેવીજ રીતે સંસારમાં ડૂબેલા માણસને મોહાંધથી ચારેબાજુ વિષયસુખો જ દેખાય છે , તેમાંથી નીકળવુજ નથી ( ઉલ્ટાનો સંસાર વધારવો છે) તેવામા તથાભવ્યત્વનો પરિપાક થવાથી આવુ યોગબીજ (સપાટી) પ્રાપ્ત થાય છે આત્મતત્વ (કે આ વિષયસુખો ઝેર જેવા છે,સાર અસાર નું ભાન થાય છે ) જોઈને આનંદ પામે છે અને સંસાર તરી પૂર્ણ આત્મતત્વ પ્રાપ્ત કરાશે એવી આશા બંધાય છે.

માટે આ યોગબીજ સંસાર સમુદ્રમાં ડૂબેલા આત્માને પોતાના આત્મતત્વના આંશિક વિકાસ સ્વરૂપ છે.

જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખ્યું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ.

No comments:

Post a Comment