Monday, December 12, 2011

12/12/2011 (Monday) Gatha 27

છઠ્ઠું યોગબીજ:

શુભ આશયરુપ અને શાસન પ્રભાવનાનું કારણ હોવાથી – સિદ્ધાન્ત, સદાગમ, વસ્તુનું યથાર્થ વર્ણન કરનારાં ધર્મશાસ્ત્રો લખવાં-લખવવાં – તે યોગબીજ છે. તે અનુત્તમ અને સર્વોત્તમ યોગબીજ છે.

ધર્મશાસ્ત્રો (આસ્તિથી) – આર્ષ ઋષિઓએ રચેલાં ધર્મશાસ્ત્રો, કે જે:

  • મોહના વિષને ઉતારનારાં છે.
  • આત્માના હિત કરનારાં છે.
  • કલ્યાણના માર્ગે પ્રેરનારાં છે.

ધર્મશાસ્ત્રો (નાસ્તિથી) – અર્થ-વિષયક તથા કામવિષયક શાસ્ત્રો ન સમજવાં, કે જે:

  • વિષયરસનું ઝેર વધારી લોભ અને વાસનામાં આ જીવને ગરકાવ કરી દે છે.

સમ્યગ્શાસ્ત્રોનું લેખન વિધિથી કરવું અને કરાવવું.

અહિંયા વિધિ એટલે – ન્યાયથી મેળવેલા ઘનનો સદુપયોગ કરવારુપ વિધિ

અન્યાયથી મેળવેલું ધન:

  • ચિંતા, ભય, અને દેન્યતા જ આપનારું છે
  • તેનું સત્કાર્યમાં સ્થાન જ નથી
  • તેવા ધનથી સુકૃતોનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું નથી

ન્યાયથી મેળવેલા ધનના સદુપયોગકાળે જે પ્રસન્નતા, પરિણામની ધારાની ઉજ્જ્વલતા, નિર્મળતા, ઉત્સાહ જોવા મળે છે તે અન્યત્ર ન સંભવે

ઉત્તમ ધર્મશાસ્ત્રો લખવાં, છપાવવાં, પ્રકાશિત કરવાં, સુંદર કાગળ, સુંદર પુંઠાં રાખવાં એ પણ છઠ્ઠું યોગબીજ છે.

જેમ વીતરાગદેવ અને ગુરુજી આરાધ્ય છે, એ રીતે શાસ્ત્ર પણ સ્વ-પરને તત્વ માર્ગ બતાવનાર છે, આધ્યાત્મદ્રષ્ટિ ખીલાવનાર છે, તેના દ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે માટે શાસ્ત્ર પણ દેવ-ગુરુના તુલ્ય જ ઉપાસ્ય છે.

Wednesday, December 7, 2011

12/07/2011 (Wednesay), Pg 135 last pera to pg 137 1st pera

ચોથું યોગબીજ જ્ઞાનગર્ભિત ભવોદ્વેગ માટે
- પૈદગલિક સુખો ક્ષણમાત્ર છે, તેની ઉપાધિ દીર્ઘકાળ છે. આયુષ્ય વિજળીના ચમકારા જેવું છે, સંસાર સગાઇ માયાવી અને સ્વાર્થાધ છે, યૈવન વાદળ સમાન છે, વગેરે અસારતા, વગેરે એવી અસારતા-દુ:ખો થી થતા સહજ વૈરાજ્ઞ ને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહ્યો છે, અને તે દુ:ખો માંથી છુટવા જીવ ઇચ્છે છે.
પાંચમું યોગબીજ = અભિગ્રહો/નિયમો નું પાલન
સત્પાત્રોને આહાર, ઔષધ, વસ્ત્ર આદિ આપવાના અભિગ્રહનું પાલન કરવું, અતિથિની ભક્તિ કરીને જ જમવું ઇત્યાદિ દ્ર્વ્ય આશ્રયી અભિગ્રહને પાંચમું યોગબીજ કહ્યું છે.
- ગ્રંથિભેદ કર્યો હોય તેવો આત્માને મોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપક્ષમ હોવાથી ભાવાભિગ્રહ આવે છે, પરંતુ અહિં અભિન્નગ્રંથિભેદ હોવાથી દ્ર્વ્યાભિગ્રહ કહ્યું છે.
- સુત્પાત્ર શ્બ્દમાં અહિં જે મુનિ દેહની મુર્છા વિનાના, આત્મધ્યાન મા મગ્ન, દેહ ને પોતાના સાધનભૂત માની, સ્વ-પર-ઉપકાર-પરાયણ હોય તે સમજવા. આવા સુત્પાત્ર મુનિને યોગ્ય સમયે યથાશક્તિ વિધિપૂર્વક કરવાન દાન ના અભિગ્રહ સુંદર ફ્ળ આપનાર છે. કારણ તે મુનિ ગામોગામ વિહાર કરી અનેક જીવો ને ધર્મ પમાદશે.
- દીન-દુ:ખી આત્માઓને યોગ્ય સમયે અનુકંપા દાન કરવું, કરુણા કરવી એમા પણ પરોપકારનો હેતુ હોવાથી, શુભ આશયવિશેષ હોવાથી યોગબીજ છે.
આમ, સુપાત્રદાન, પાત્રદાન અને અનુકંપા દાન દ્રવ્યાભિગ્રહ એ પણ શુભાશય રૂપ હોવાથી તેને યોગમાર્ગની પ્રાપ્તિનુ બીજ કહ્યું છે.

Tuesday, December 6, 2011

12/06/2011 (Tuesday), Gatha 27, Pg 134 last pera to pg 135 3rd pera

ચોથું યોગબીજ = સહજપણે થતો ભવોદ્વેગ
પાંચમું યોગબીજ = નિયમો નું પાલન
છઠ્ઠું યોગબીજ = સિધ્ધાન્તોને આશ્રયી વિધિપૂર્વક લેખનાદિ સેવવા
જેમાં ચોથું યોગબીજ સમજાવતા કહે છે કે.....
- જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, ભવના જ્ન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગઆદિ પ્રત્યે થવો તે ચોથું બીજ છે.
- સંસારની અલગ અલગ અવસ્થા તરફ દુ:ખગર્ભિત વૈરાગ્ય ને અહિં ન લેતા તેને આર્તધ્યાનનો જ એક પ્રકાર ગણાવ્યો છે, જેમાં ભારોભાર મોહ જ છુપાયેલો છે.

12/06/2011 (Tuesday), Gatha 27, Pg 134 last pera to pg 135 3rd pera

ચોથું યોગબીજ = સહજપણે થતો ભવોદ્વેગ
પાંચમું યોગબીજ = નિયમો નું પાલન
છઠ્ઠું યોગબીજ = સિધ્ધાન્તોને આશ્રયી વિધિપૂર્વક લેખનાદિ સેવવા
જેમાં ચોથું યોગબીજ સમજાવતા કહે છે કે.....
- જ્ઞાનગર્ભિત ભવના જ્ન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગઆદિ પ્રત્યે વૈરાગ્ય થવો તે ચોથું બીજ છે.
- સંસારની અલગ અલગ અવસ્થા તરફ દુ:ખગર્ભિત વૈરાગ્ય ને અહિં ન લેતા તેને આર્તધ્યાનનો જ એક પ્રકાર ગણાવ્યો છે, જેમાં ભારોભાર મોહ જ છુપાયેલો છે.

Wednesday, November 23, 2011

11/23/2011 (Wednesday) Page 126 Point 9 to Page 129 1st pera

) ઇન્દ્રનું વજ્ર કોઈક પર્વત નો ભેદ કરી શકે અને મેરુપર્વત જેવા શાશ્વત પર્વતનો ભેદ કરી શકે, પરંતુ યોગબીજ નિયમા ગ્રંથિનો ભેદ કરી સમ્યક્દર્શન આપે છે.

૧૦) જેમ સ્કૂલ પૂરી થવાનો કાલ થયે કાલ ઘંટ વાગે અને છોકરાઓ છુટે તેમ યોગબીજ પ્રાપ્ત થતા સંસારરૂપ ચરક(જેલ) ને પૂર્ણ થવાનો જાણે કાલઘંટ વાગે છે.

૧૧) આત્માને અનાદીના વળગેલા એવા સંસારમાંથી આત્માનું અપસરણ(નીકળવાનું કામ) કરાવનારું યોગબીજ છે.

સાંખ્યદર્શન ના યોગાચાર્ય શ્રી તંજલિ ઋષિના શબ્દોમાં યોગબીજનું વણૅન કહીને ગ્રંથકારશ્રી હરીભદ્રસુરીજી મહારાજ પોતે વાત ને સ્પષ્ટ કરતા કહે છે, જીનકુશલચિત્તાદી(એટલે કે સાંખ્યદર્શન ના યોગાચાર્ય શ્રી પતંજલિ આદી ઋષીઓ વડે કહેવાયેલા ભાવવાળું ) હોઈ છે, અર્થાત યોગબીજ આવ્યા ત્યારથી ભવો પાકીને ખરી જવો અને મુક્તીફળ મળવાનો પાક શરુ થયો સમજવો. યોગબીજ મુક્તિની પ્રાપ્તિરૂપ ફળનો પાક શરુ થવા તુલ્ય છે. ફક્ત કાલવીલંબ લાગશે.

દા.. કાચા ચોખા ચડાવ્યા પછી તેને અનુકુલ કાલાદી લાગવા વડે તે તે ભાત આદીરૂપે પાકવાનો "ચોખા નામના દ્રવ્યનો" સ્વભાવ હોવાથી ચોખાના પાકનો જે આરંભ થયો તે ભાત રૂપ ફળ આપે છે.

Tuesday, November 22, 2011

11/22/11 (Tuesday) - Gatha 25 pg 124 (last para) through pg 126 (2nd last para)

૧૧/૨૨/૨૦૧૧ ગાથા ૨૫ પાના ૧૨૪-૧૨૬

પાતંજલઋષિએ પણ સાંખ્યદર્શનમાં યોગબીજ માટે આમજ કહ્યું છે, તેની સાક્ષી પુરતા આચાર્ય હરિભદ્રસૂરિજી કહે છે:

) સાંખ્યદર્શન પ્રમાણે યોગબીજ વિષયસુખોની આશક્તિ અને પ્રક્રુતિની (કર્મોની) શક્તિને શિથિલ (ઓછી) કરનારૂં છે.

સાંખ્યદર્શનના મૂળ બે તત્વો: ) પુરુષ: અકર્તા-અભોક્તા તથા જ્ઞાતા-દ્રષ્ટા છે. ) પ્રક્રુતિ: સત્વ-રજસ-તમસની બનેલી અને કર્તા-ભોક્તા છે. તે ઘણી બલવાન છે. તે વિષયસુખોની આસક્તિવાળી હોવાથી આત્મામાં તેનું પ્રતિબિંબ પડવાથી આત્મા આસક્તિવાળો લાગે છે.

૩) સાંખ્યદર્શન પ્રમાણે યોગબીજ પહેલા અને પછીની અવસ્થા

યોગબીજ પહેલા: અ) પ્રક્રુતિને હિતકારી માનતો, બ) તેની સાથે ગાઢમિત્રતા=અભેદબુદ્ધિ વાળો હતો, ચ) પ્રક્રુતિનું કર્તુત્વ-ભોકતૂત્વ-જ્ઞાત્રુત્વ પોતાનાં જ છે એમ આ જીવ માનતો હતો, દ) પ્રક્રુતિજન્ય વિષયસુખ અને સંસારને પોતાનો જ માની તેમાં જ આનંદ-ચમન કરતો હતો.

યોગબીજ પછી: અ) આ મારું સ્વરૂપ નથી, બ) હું પ્રક્રુતિથી અલગ છું, ચ) પ્રક્રુતિએ મને ભોળવ્યો છે, અંધારામાં રાખ્યો છે, દ) પ્રક્રુતિની સાથેની ગાઢ મિત્રતા તૂટી જાય છે, એ) પ્રક્રુતિ સાથેની અભેદબુદ્ધિ ક્ષીણ થઇ જાય છે. ફ઼) પ્રક્રુતિ કડવી લાગે છે, ગ) પ્રક્રુતિ પ્રત્યે પ્રેમ વિનાની, કડવાશ ભરેલી, અણગમાવાળી દ્રષ્ટિ અહીંથી શરૂ થાય છે.

૪) યોગબીજ આવવાથી, પ્રક્રુતિ પ્રત્યે વિપ્રિયેક્ષા (કડવી ઝેર ભરેલી દ્રષ્ટિ) થાય છે. વિષયસુખો આકરાં લાગે છે, સંસાર ઝેર જેવો લાગે છે.

૫) યોગબીજ પ્રક્રુતિ અને પ્રક્રુતિજન્ય વિકારોને મંદ કરનારૂં છે.

૬) યોગબીજ આત્માતત્વ પ્રાપ્તિનું સૂચક છે અને એમ સૂચવે છે કે મુક્તિપદ અતિશય નિકટતમ છે.

૭) મુક્તિપદ નિકટ જાણી યોગબીજ આત્માને અદમ્ય ઉત્સાહથી અને બળથી આત્મ-તત્વની પ્રપ્તિને ઉચિત ધર્મતત્વોની વિચારણામાં પ્રવેશ કરાવનારૂં છે, અને સતત તત્વવિચારણામાં ડૂબાડૂબ રાખનારૂં છે.

૮) અનાદિકાળથી જામ થયેલા અને ગાઢ બનેલી રાગ અને દ્વેષ આદિ દોષોની બનેલી ગાંઠને યોગબીજ ભેદે છે.

Monday, November 21, 2011

11/21/11 (Monday) - Gatha 25 pg 123 (2nd para) to pg 124 2nd last para.

ગાથા ૨૫ - પાના નં ૧૨૩ બીજો ફકરો થી ૧૨૪ ત્રીજો ફકરો

પ્રશ્ન ૧ : આવુ સંશુદ્ધ યોગબીજ મિથ્યાતવીને ક્યારે અને કેવી રીતે આવી શકે ?

: જ્યારે મિથ્યાતવી જીવ રાગ દ્વેષ ની ગાઢ ગ્રંથીને ભેદવા માટે અપૂર્વ વૈરાગ્યના સામર્થ્ય વડે મોહનીય કર્મનો બળવાન ક્ષયોપશમ કરી મિથ્યાત્વની અત્યંત મંદતાના કારણે ચરમ યથાપ્રવૃત્તીકરણ સમયેજ આવુ (ઉપાદેય બુદ્ધિવાળું,દસ સંજ્ઞાને અટકાવનારુ, સંસારિક ફળની અપેક્ષા વિનાનુ -ત્રણ વિશેષણ વાળુ) સંશુદ્ધ કુશલચિત્તાદી યોગબીજ આવે છે.
જેવી રીતે સાતમાં અપ્રમત્ત ગુણઠાણે મુનીમહાત્મા સંજ્વલન કશાયથી રાગી છે તોયે રાગદશા અતિશય મંદ હોવાથી વિતરાગભાવતુલ્ય કહેવાય છે તેમજ અહી મિથ્યાતવી હોવા છતા એની માત્રા અલ્પ હોવાથી અતિશય મંદ મિથ્યાત્વ ના કારણે સંશુદ્ધ કુશલચિત્તાદી યોગબીજ આવે છે. આવો આત્મા પરમાત્માની સાથે એકમેક થઈને પરમ ભક્તિથી તેમની શ્રેષ્ઠ સાધના કરે છે.

પ્રશ્ન ૨. અન્ય દર્શનનો શું મત છે?

: હરિભદ્રસુરીજી મહારાજે સાંખ્યદર્શનના પ્રસિદ્ધ યોગાચાર્ય પાતંજલઋષિના પાઠ ની સાક્ષી આપતા સમજાવ્યું કે " અન્ય દર્શનકારો પણ આમજ કહે છે".

પ્રશ્ન ૩.આ યોગબીજવાળુ ચિત્ત કેવા પ્રકારનું હોય?

જ: આ યોગબીજ સંસાર સમુદ્રમાં ડૂબેલા આત્માને પોતાના આત્મતત્વના આંશિક વિકાસ સ્વરૂપ છે.

જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને ચારે બાજુ પાણીજ દેખાય છે,બહાર નીકળવાની આશા જ તૂટી ગઈ છે તેવામા મહાપ્રયત્ને સપાટીપર આવીને જગત જોઈને આનંદ પામે છે અને તરી નીકળવાની આશા બંધાય છે તેવીજ રીતે સંસારમાં ડૂબેલા માણસને મોહાંધથી ચારેબાજુ વિષયસુખો જ દેખાય છે , તેમાંથી નીકળવુજ નથી ( ઉલ્ટાનો સંસાર વધારવો છે) તેવામા તથાભવ્યત્વનો પરિપાક થવાથી આવુ યોગબીજ (સપાટી) પ્રાપ્ત થાય છે આત્મતત્વ (કે આ વિષયસુખો ઝેર જેવા છે,સાર અસાર નું ભાન થાય છે ) જોઈને આનંદ પામે છે અને સંસાર તરી પૂર્ણ આત્મતત્વ પ્રાપ્ત કરાશે એવી આશા બંધાય છે.

માટે આ યોગબીજ સંસાર સમુદ્રમાં ડૂબેલા આત્માને પોતાના આત્મતત્વના આંશિક વિકાસ સ્વરૂપ છે.

જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખ્યું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ.