Monday, April 30, 2012

02/21/2012 (Tuesday)


Blog 02/21/2012

શુભયોગ, શુભક્રિયા અને શુભફ્લ
-     શુભયોગ
·        માનવભવ, જૈનશાસનની પ્રાપ્તિ, સદગુરૂનો યોગ, તેમની વાણીરૂપી અમ્રુતનું પાન, ધર્મક્રિયામાં ઓતપ્રોત, સતત જ્ઞાનક્રિયાનું સેવન આ બાહ્ય શુભ નિમિત્તો છે.
·        મન, વચન અને કાયાના યોગો શુભ થવા અને સદગુરૂનો મિલાપ થવા તે શુભ યોગ.
-     શુભક્રિયા
·        શાસ્ત્રજ્ઞાન અનુસાર ધર્મ કાર્યોમાં પ્રવ્રુતિ કરવી તે શુભક્રિયા.
-     શુભફ્લ
·        શુભયોગ અને શુભક્રિયાથી કર્મોની નિર્જરા થવી તે શુભફ્લ.
·        શુભયોગ, શુભક્રિયા અને શુભફ્લ આ ત્રણ અભ્યંતર શુભ નિમિત્તો છે.
·        આ શુભ નિમિત્તો આત્માની ક્લયાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે.
·        મોહનીય કર્મના ક્ષયોપક્ષમના કારણે આ ત્રણ શુભ નિમિત્તો અવંચક બને છે. અવંચકતાના ઉદયથી મળતા આ નિમિત્તો શુભ/પ્રશસ્ત કહેવાય છે.
·        આ નિમિત્તો મળવાથી મુક્તિનો માર્ગ સરળ બને છે.

-     ઉપાદાન અને નિમિત્ત

મુક્તિની સિદ્ધિ માટે ઉપાદાન અને નિમિત્ત બંન્ને જરુરી છે. રત્નત્રયીની પ્રાપ્તિ માટે ઉપાદાન અને બાહ્ય તેમજ અભ્યંતર નિમિત્ત કારણો પણ અવશ્ય જોઇએ જ. ઉપાદાનમાં કાર્ય કરવાની અને નિમિત્તમાં કાર્ય પ્રગટ કરવાની શક્તિ છે. ઉપાદાન, નિમિત્ત અને તે બંન્નેનું યથાયોગ્ય યુંજન એ ત્રણોની વિદ્યમાનતા એ જ કાર્ય સાધક છે.





03/12/2012 (Monday) gatha 34


ગાથા ૩૪,                                                                         તારીખ ૦૩/૧૨/૨૦૧૨

યોગાવંચક, ક્રિયાવંચક, ફ઼્લાવંચક (ત્રિપુટી)
-     યોગાવંચક, ક્રિયાવંચક, ફ઼્લાવંચક એમ ત્રણ અવંચક ભાવો છે.
-     “અવંચક” એટલે કે જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે કે ન આત્માનું અહિત કરે.
-     સદગુરૂનો યોગ, વંદનાદિ ક્રિયા અને તજ્જ્ન્ય ફ઼્લ આ ત્રણ ભાવની ત્રિપુટીરૂપ “અવંચક” ભાવનો ઉદય થવાથી શુભ નિમિત્તો નો સંયોગ થાય છે જે અવશ્ય મુક્તિની પ્રાપ્તિનું કારણ બને છે.

SWADHYAY - GATHA 22 ON 10.4.2011 - PAGE #s 108, 109.


મિત્રા દ્રષ્ટિ માં  આવેલ આત્મા યોગબીજ (જિનેશ્વર પ્રત્યે શુભ ભાવવાળું ચિત્ત, જીનેશ્વરને  નમસ્કાર કરવો , અતિશય શુદ્ધ પ્રનામાંદી ) ગ્રહણ કરે છે  જેનાથી આત્મા બાધક ભાવોને ત્યજીને સાધક ભાવ ધારણ કરે છે. પુદગલસુખ માં  આનંદ ને બદલે પરમાર્થ તત્વમાં આનંદ આવે છે . જો કે દ્રષ્ટિ બહુ ખીલી નથી , પણ કઈક ખુલી હોવાથી પરમાર્થ તત્વ માં  આનંદ આવે છે.
વિષય સુખો પ્રત્યે ઉદાસીનતા વધે છે . સમયગશાસ્ત્ર, સમ્યાગ શ્રદ્ધા   અને સદગુરુના જ  સયોગોની  રઢ  લાવે છે. અને જીવ કાલાંતરે સંસાર સાગર તરી જાય છે.  


ભાષાની ભૂલો સુધારી ને વાંચશો.

અજ્ઞાન  અથવા /અને  પ્રમાદથી  ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય  ગયું હોય તો મિચ્છામી  દુક્કડમ .


ગાથા ૧૯, પાના # ૯૯ થી ૧૦૨         ૮.૨૪.૨૦૧૧ 


પ્રથમ ચાર દ્રષ્ટિ - મિત્રા, તારા,બલા,  દીપ્રા- પ્રતીપાતી  છે ( પડવાના  સ્વભાવ વારી  પણ પડે જ  એવો   નિયમ નથી ) અને  પાછળની ચાર - સ્થીરા, કાન્તા, પ્રભા, પરા - પ્રતિપાત  યુક્ત નથી .
પ્રતિપાતને કારણે પ્રથમની  ચાર  અપાયવારી છે અને પાછળની ચાર અપાયવાળી નથી પણ સમ્યક્ત્વ, દેશવીરતી આદિ ગુનસ્થાનાકેથી  ઉપશાન્ત્મોહ  ગુણસ્થાનક (૧૧મુ ) સુધી ચડેલા આત્માઓ  ત્યાંથી પડીને પહેલે  ગુણસ્થાનક  પણ આવી  જાય  છે . એટલે  સ્થીરાદી દ્રષ્ટિઓ પણ  પ્રતિપાત વાળી ભાસે  છે  પરંતુ  પહેલે  ગુનસ્થાનકે જવા છતાં  જીવ  અંતઃ કોડાકોડી  સાગરોપમથીઅધિક  સ્થિતિ બંધ કરતો  નથી તથા વધુમાં  વધુ  દેશોન  અર્ધપુદ્ગલ  પરાવર્તમાં  અવશ્ય  પુનઃ  ઉપર  આવી  જ જાય  છે. માટે  તે  પ્રતિપાત  પ્રતિપાત  કહેવાતો  નથી. જયારે પ્રથમની ચાર દ્રષ્ટિમાં જીવ  હજુ મિથ્યાત્વી જ  હોવાથી  પુનઃ ગાઢ  મિથ્યાત્વી  પણ  એવો  થયી  જાય  છે  કે જીવ  પુનઃ ક્યારે પાછો  મંદ મિથ્યાત્વી  થાય  તે  કહેવાય  નહિ.  પહેલી  ચાર  દ્રષ્ટિમાં  પડેલા જીવના સંસારની  પરીમીતાતનું  પ્રણામ  નક્કી  ન  હોવાથી  આ  દ્ર્શ્તિઓ  પ્રતિપાત વારી  છે


મિત્રા, તારા , બલા, દીપ્રા દ્રશ્તિઓમાં મોહનીયકર્મના  વિપકોદયના  સામર્થ્ય થી  થનારા  પ્રતિપાત કાલે  જીવમાં આવનારી દુર્ગતિ-હેતુ તા હજુ  સર્વથા નષ્ટ થયી નથી તેથી આ ચાર જ દ્રશ્તીઓ  આવા ભય વારી છે. જયારે સ્થીરા, કાન્તા, પ્રભા,પરા દ્રશ્તિઓમાં પ્રતિપાત કાલે દુર્ગતિ-હેતુતા જીવમાં આવે એવો ભય નથી કારણકે મોહનીય કર્મ નો  વિપાકોદય એટલો તીવ્ર થતો નથી 

દુર્ગતિ-હેતુતા સમજાવતો  દાખલો  - શ્રેણિક મહરાજ  આદિ જેઓ ક્ષાયિક સમ્યક્ત્વ  પામેલા છે (સ્થીરાદી દ્રષ્ટિ માં છે ) પણ પૂર્વ બદ્ધ કર્મ ના કારણે નરકમાં ગયેલ છે પણ તેમને  નરકનો ભવ દીર્ઘ સંસાર હેતુ બનશે નહિ . આવો  જીવ જો સ્થીરાદી  ચાર  દ્રષ્ટિ માં  આવ્યા પછી દુર્ગતિમાં જાય  એવું  કર્મ બંધાતો  નથી  પણ  જો  જીવ  આવી  દ્રષ્ટિમાં  આવ્યા પહેલા દુર્ગતિનું કર્મ બાંધી લે તો તે જીવ સ્થીરાદી ચાર દ્રષ્ટિમાં આવ્યા છતાં દુર્ગતિમાં  જાય છે  પણ ત્યાં  એ  જીવની  સદદ્રષ્ટિ હણાતી નથી  અને સમાંતાવત  આત્મા  પોતાના આત્મ ભાવમાં મગ્ન પણે વર્તે છે અને દુર્ગતિ તેમને દીર્ઘ સંસાર  હેતુ બનતો નથી.


વ્યાકરણ  અને  જોડણીની  ભૂલો  સુધારીને  વાંચશો.  

અજ્ઞાનતા  કે  પ્રમાદને  કારણે  ભગવાન ની  આજ્ઞા  વિરુદ્ધ લખાયી  ગયું  તો  મિચ્છા મી  દુક્કડમ .






























Sunday, April 29, 2012

૪-૧૬-૨૦૧૨ સોમવાર ગાથા ૪૦ પાનું ૧૬૮ થી પાનું ૧૬૯ બીજો ફકરો

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ના નામ બે પ્રકારે હોય છે. (૧) ગુણ પ્રમાણે (૨) ઉપચારથી એટલે કે માત્ર બહાર ના વિવેકથી.
જેમકે દેવોના ઇન્દ્ર નું નામ દેવેન્દ્ર હોય તો તે બંધ બેસતા અર્થવાળું યથાર્થ ગુણ પ્રમાણે નામ છે. પરંતું કોઈ પૃથ્વી લોક ના બાળક નું નામ દેવેન્દ્ર રાખવામાં આવે તો તે નામ ઉપચારથી જ છે ને ગુણ પ્રમાણે નથી.
આવી જ રીતે અનાદિકાળથી જીવનું જે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાતું હતું તે ઉપચાર થી જ હતું અને ગુણ પ્રમાણે ન હતું કારણ કે ગુણસ્થાનક કહેવાય તેવા કોઈ ગુણો (આત્મ કલ્યાણ ના) પ્રગટ થયા ન હતા.
હવે આ જ જીવ જયારે ચરમાંવર્ત ને ચરમયથાપ્રવૃત્ત કરણમાં આવે છે ત્યારે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક એવા નામમાં જે ગુણસ્થાનક એવા શબ્દ નો ઉપયોગ કરાયો છે તે યથાર્થ અને ગુણ પ્રમાણે છે. આ જીવમાં ભવઉદ્વેગ, યોગ,ક્રિયા,ફલની અવંચક ત્રિપુટી વગેરે ગુણો પ્રગટ થયા છે.
જીવ જયારે ઓઘ દ્રષ્ટિમાંથી મિત્રાં નામની યોગ દ્રષ્ટિમાં આવે છે ત્યારે જ ખરેખર ગુણસ્થાનક કહેવાય છે અને આનેજ આગમમાં પ્રથમ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. કારણકે આ અવસ્થામાં જ ગુણો પ્રગટ થવાની સંભાવના છે અને ગુણસ્થાનક શબ્દ ની યથાર્થતા સંભવે છે.
આ અવસ્થામાં હજી મિથ્યાત્વ ગયું નથી અને સમ્યક્ત્વ પ્રગટ્યું નથી પરંતું ભાવમલ નો બહુ ક્ષય થયો છે અને સન્માર્ગે જવાની યોગ્યતા પ્રાપ્ત થવાની શરૂઆત થઇ છે. મુક્તીમાંર્ગનું પહેલું પગથીયું છે. મોટા મહેલ રચવાના પાયારૂપ છે.
મિત્ર દ્રષ્ટિમાં યોગનાં ગુણો આવવાથી ચિત્ત રૂપી જમીન વાવણી યોગ્ય બને છે. વૈરાગ્યરૂપી પાણી પાવાથી જરા પોચી બને છે અને તેમાં મિત્રાં દ્રષ્ટિ નામના યોગબીજની વાવણી ની શરૂઆત થાય છે. ઉત્તમ નીમીત્તોના સંયોગ રૂપી ખાતર-પાણી મળે છે. તેનાથી પરમાત્માની અને સદગુરૂ પ્રત્યે ભક્તિ પ્રગટે છે. આત્મકલ્યાણ નાં ગુણોનો વિકાસ થાય છે અને સમ્યકત્વ વગેરે ફળ મળેજ છે.
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ






Thursday, April 26, 2012

swadhyay 8.23.2011 page #s 96 to 99

સ્વાધ્યાય   ૮.૨૩.૨૦૧૧     પાનું # ૯૬ થી  ૯૯ 

અસત્પ્રવૃતી  અટકે તો સત્પ્રવૃતીરૂપ યોગ આપોઆપ આવે છે  આને  વેઘસંવેદ્પદ  ( સમ્યક્ત્વ ) ( જાણવા યોગ્ય સાચી દ્રષ્ટિનું સંવેદન - અનુભવ ) કહે છે . ( અવેધસંવેદ્પદ  = અસત શાસ્ત્રોની શ્રદ્ધા - અસત દ્રષ્ટિમાં માનવું. )  વેધસંવેદ્પદની ( સમ્યક્ત્વની ) વાસ્તવિક પ્રાપ્તિ સ્થિરા , કાન્તા, પ્રભા, પરા દ્રશ્તિઓમાં છે પણ અંશે આ યોગાત્મક બોધ તો મિત્રા આદી પ્રથમની ચાર દ્રષ્ટિમાં શરુ થાય છે કે જ્યાં હજુ મીથ્યાત્વાવસ્થા છે  પણ મિથ્યાત્વ દિન પ્રતિદિન મંદ થતું જતું  હોવાથી  વેઘસંવેદ્પદની ભૂમિકા બંધાતી જતી હોવાથી અને સમ્યક્ત્વાનું અવન્ધ્ય કારણ બનવાનું  હોવાથી, આ  કાળે વર્તતા બોધ પણ કારણમાં કાર્ય નો  ઉપચાર કરીને આઠે દ્રષ્ટિમાં વર્તતા બોધને વેઘસંવેધ્પદ કહ્યું છે .

સત્પ્રવૃતીપદ એ શૈલેશીપદ  વાળું  ૧૪મા ગુન્સ્થાન્ક્વર્તી  સર્વથા અનાશ્રવાવ્સ્થારૂપ  પદ છે પણ યોગની પ્રથમ દ્રષ્ટિથી આવનારો   આ બોધ પ્રમ્પરાએ  આ પદની પ્રાપ્તિનું અવન્ધ્ય કારણ હોવાથી તે પદ પ્રાપ્ત કરાવનાર છે એમ કહેવામાં કોઈ દોષ નથી.

યોગ્દ્રષ્ટિ સ્થુંલભેદથી આઠ ભેદવારી છે પણ સુક્ષ્મભેદથિ  બહુ ભેદવારી  છે.
આઠ ભેદ - આવરણ કરનાર કર્મો  - મુખ્યત્વે જ્ઞાનાવરણીય  અને મોહનીયના ક્ષયોપશમ,  ક્ષય, ઉપશમના ભેદોને કારણે  સ્થૂળ નીતિથી આઠ ભેદ કહ્યા છે . એમાં સુક્ષ્મભેદોનિ અવિવક્ષા કરી છે . જો સુક્ષ્મભેદોનિ વિવક્ષા કરીએ તો વિશેષ ભેદો અનંત છે  કારણકે પ્રત્યેક જીવને આશ્રયી જ્ઞાનાવરણીય કર્મ અને મોહનીયાકર્મની  ક્ષયોપશમ  તરતામાંતાવાળી  અનંત જાતની દ્રષ્ટિઓ હોય છે . તે અનંત્ભેદોને જ્ઞાનીઓએ ઓછામાં ઓછી યોગ્દ્રષ્ટિ થી  (મંદ એવી મિત્રા દ્રષ્ટિ થી ) આરંભીને વધુમાં વધુ યોગ દ્રષ્ટિ (પરાદ્રષ્ટિ) સુધીમાં વર્તતા જીવોની દ્રષ્ટિઓ  ૧. અનંત્ભાગ અધિક   ૨. અસંખ્યાત ભાગ અધિક.     ૩. સંખ્યાત્ભાગ અધિક .      ૪. સંખ્યાત ગુણ અધિક.    ૫. અસંખ્યાત ગુણ અધિક.    ૬.  અનંતગુણ અધિક . એમ છ સ્થાનોથી  યુક્ત છે  અને તે સ્થાનોમાં પણ એક એકના બહુ ભેદ છે.


લખાણ માં જોડણી માં રહેલી ભૂલો માફ કરશો.

અજ્ઞાનથી કે પ્રમાદથી જો ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો માફ કરશો અને સુધારી ને વાંચશો  .  મિચ્છામી દુક્કડમ .

૩-૧૩-૧૨ મંગળવાર પાનું ૧૫૯ ગાથા ૩૫ થી પાનાના અંત સુધી

આ ગાથામાં સદગુરૂ ના લક્ષણો બતાવે છે અને તેને પ્રણામ વગેરે કરવાથી અવંચક ત્રય (ત્રણ ) ની પ્રાપ્તિના નિમિત્ત કેવી રીતે બને છે તે સમજાવે છે.
સદગુરૂ: જેમાં સાધુપણાના ગુણો હોય છે, પુરુષાર્થ (પરમાર્થ) થી જે સાધુ છે. ( સંત) સાંસારિક પ્રપંચ રહિત હોય છે. ગીતાર્થ (બહુ શાસ્ત્રોને જાણનાર) છે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ,ભાવ વગેરે ના જાણકાર છે, સંવેગ-નિર્વેદ ના પરિણામ વાળા હોય છે.
આવા સદગુરૂ મળે ત્યારે તેને પ્રણામ વગેરે કરવાથી તેની નિકટતા વધે છે અને તેનાથી પરિચય (સંબંધ) વધે છે અને સદગુરૂપણા ની બુધ્ધી થાય છે. તેના પ્રત્યે બહુમાન અને પૂજ્ય ભાવ વધે છે. સદગુરૂ આત્મ કલ્યાણ ની ક્રિયાઓ માં પ્રોત્સાહન આપે છે.
આ રીતે થયેલો સદગુરૂનો સંયોગ
યોગાવંચક બને છે ત્યારબાદ તેઓને સદગુરૂપણા ના ભાવ થી કરાતી વંદન વગેરે ક્રિયાઓ ક્રીયાવંચક અને ફલાવંચક બને છે.
આ રીતે સદગુરૂ ને પ્રણામ,વંદન,વૈયાવચ્ચ વગરે અવંચક ત્રય ની પ્રાપ્તિના નિમિત્ત છે.
સદગુરૂ આપણી આંખમાં દિવ્યજ્ઞાન રૂપી અંજન નાખીને આપણી દૃષ્ટિ આત્મ કલ્યાણ તરફ ખોલે છે અને તેનાથી સ્વાત્મામાં રહેલા અનંતજ્ઞાન,દર્શન,ચારિત્ર વગેરે નો ભંડાર દેખાય છે અને પુદગલ સુખ પ્રત્યે રાગ ઓછો થાય છે અને આત્મા પરમાર્થ સાધવા ઉત્સુક બને છે.
અજ્ઞાનતા ના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ